SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ પ્રિયંગુસુંદરી લંક [ ૩૮૩] કામ પતાકાને સંબંધ ચંદનપુર નગરમાં અમોઘરિપુ નામે રાજા હતા, તેની ચારુમતી નામે દેવી હતી અને ચારચંદ્ર કુમાર હતે. વસુમિત્રને પુત્ર સુષેણ તેને અમાત્ય હતું. રાજાનાં સર્વ કાર્યોને તેઓ (વસુમિત્ર અને સુષેણ) સંભાળતા હતા. ત્યાં અનંગસેના નામે ગણિકા હતી, તેની પુત્રી કામ પતાકા નામે કન્યા હતી. દુર્મુખ નામે દાસ હતું, તેને રાજાએ દાસીએની વ્યવસ્થામાં નિયુક્ત કર્યો હતો. રૂપમાં, જ્ઞાનમાં અને બુદ્ધિમાં ચંદનપુરમાં તે કામપતાકા જેવી કન્યા બીજી કોઈ નહતી. એક વાર રાજભવનમાંથી બહાર નીકળતી કામ પતાકાને જોઈને દુર્મુખે કહ્યું, “મારી સાથે રહીશ?” પછી તેને નહીં ઈચ્છતી એવી કામ પતાકાને ક્રોધ પામેલા દુર્મુખે હાથથી પકડી ત્યારે તે બેલી, “જે જિનશાસન મને રુચેલું હોય, તે આ સત્ય વચનવડે આ દુર્મુખના મુખમાંથી હું મુકાઉં. ” તેણે એમ કહ્યું, એટલે દેવતાના પ્રભાવથી મેં વિફરીને એ ફાટેલા દાસને એકાન્તમાં પૂર્યો. કામ પતાકા પણ પિતાના ભવનમાં ગઈ. દુર્મુખ દાસ તેના ઉપર ગુસ્સે થયે. હવે, એક વાર વાસવ, શાંડિલ્ય, ઉદકબિંદુ આદિ તાપસોએ પુષ્પ-ફળ વગેરે લાવીને રાજાને ભેટ ધરી, અને પછી તેઓએ નિવેદન કર્યું કે, “અમારા આશ્રમમાં યજ્ઞ છે, માટે તેનું રક્ષણ કરવાને તમે યેગ્ય છે.” પછી વસુમિત્ર અને સુષેણ અમાત્ય સાથે મંત્રણ કરીને રાજાએ ચારુચંદ્ર કુમારને કહ્યું, “તું તાપસના આશ્રમમાં જા; ત્યાં યજ્ઞનું રક્ષણ કરજે.” પછી ઘણું વાહન અને સૈન્ય સાથે તથા ઘણુ મનુષ્યો સહિત તે કુમાર આશ્રમમાં પહોંચે. તે યજ્ઞ થયો તે વખતે ચિત્રસેના, કલિંગસેના, અનંગસેના અને કામ પતાકા (ગણિકાઓ) એક બીજાની ચડસાચડસીમાં પ્રેક્ષાઓ આપતી હતી-નૃત્યાદિ કરતી હતી. દુર્મુખ દાસે કામ પતાકાને વારો જાણીને સૂચિનાટ્ય (સાય ઉપર નૃત્ય)ની આજ્ઞા કરી. પછી તે સોયો વિષવાળી કરીને કામ પતાકાના નૃત્યસ્થાન ઉપર તેણે રાખી. તે જાણીને કામ પતાકાએ માનતા કરી કે, “જે આ પ્રેક્ષામાંથી હું પાર ઊતરીશ તો જિનવરેન અષ્ટાહિક મહામહોત્સવ કરાવીશ.” પછી ચોથ ભક્ત કરીને તે પ્રેક્ષામાંથી પાર ઊતરી. વિષયુક્ત તે સોયે દેવતાએ હરી લીધી. નૃત્યથી સંતુષ્ટ થયેલા ચારુચન્દ્ર કુમારે ત્યાં કડાં, બાજુબંધ આદિ સર્વ આભરણે તથા છત્ર-ચામરો પણ કામ પતાકાને આપી દીધાં. પછી લોકો પાછા વળ્યા, એટલે આભરણ વગરના રૂપવાળા કુમાર પણ આવ્યા. આભરણુ અને મુગટ વગરને તેને જોઈને રાજા વિચાર કરવા લાગ્યો, “આ કુમાર નિસ્તેજ શરીરવાળો અને ચિન્તામગ્ન કેમ દેખાય છે?” કુમારનાં પરિજનોને રાજાએ પૂછ્યું, “કુમારે આમરણ કોને આપ્યાં ?” તેઓએ કહ્યું, “આભરણે અને છત્ર-ચામર કામ પતાકાને આપ્યાં છે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy