SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮૨ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ અંક : કરવા લાગ્યું, “શું કરવું? આ વસ્તુ મારા કુળને અનુચિત છે, તેમાં અધર્મ, અપયશ, અપકીર્તિ અને જીવનું જોખમ છે સર્વ કારણેથી જોતાં પંડિતજનને માટે પરસ્ત્રીગમન ગ્ય નથી, તે પછી રાજકન્યા સાથે સમાગમ તે સુખદ કેવી રીતે હોઈ શકે ?” તે જ દિવસે બહુરૂપ નામનો ઘણા પરિવારવાળે નટ પુરુહૂત અને વાસવનું જેમાં નાટક કરવામાં આવ્યું હતું અને પરસ્ત્રીના સંગથી દૂર રહેવાને જેમાં ઉપદેશ કરવામાં આવ્યો હતે એવું નાટક અમારા ગૃહાંગણમાં જ ભજવતો હતો. તે નાટકનો અર્થ આ પ્રમાણે હતે.– પરસ્ત્રીસંગના દોષ વિષે વાસવનું દષ્ટાન્ત વૈતાદ્યની દક્ષિણ એણિમાં રત્નસંચયપુરીમાં ઇન્દ્રકેતુ નામે વિદ્યાધરરાજા હતે. તેના પુરુહૂત અને વાસવ નામના બે પુત્રો મોટા વિદ્યાધર હતા. વિકુલા રાવણ ઉપર બેસીને ગગનમાર્ગે આખાયે ભારતવર્ષમાં ફરતો વાસવ ગૌતમ ઋષિને રમણીય આશ્રમ જોઈને ઝટ કરતા તેમાં ઊતર્યો. ગોતમ તાપસનું નામ પૂર્વે કાશ્યપ હતું અને તે તાપસીનો અધિપતિ હતો. પછી એકવાર તે ગાયન હેમ કરવા લાગ્યો. આથી રૂઠેલા તાપસોએ તેને અંધકૃપમાં નાખે. કાન્દપિક નામનો દેવ તેનો પૂર્વકાળને મિત્ર હતા, તેણે આ જાણ્યું. કૂવા આગળ આવીને, વૃષભનું રૂપ ધારણ કરીને તેણે પિતાનું પૂછડું અંધકૂપમાં લટકાવ્યું. ગૌતમ પુંછડે વળગ્યે, એટલે તેને બહાર કાઢ્યો. આથી “અંધગૌતમ” એવું તેનું નામ પડયું. દેવે તેને કહ્યું, “દેવો અમેઘદશી હોય છે, તારી ઈચ્છા હોય તે વરદાન માગ, તે હું તને આપું.” તેણે કહ્યું, “ વિષ્ટાશ્રવ તાપસની ભાર્યા મેનકાની પુત્રી અહલયા મને અપાવો.” દેવે તે કન્યા તેને અપાવી પછી તે તાપસે તે આશ્રમપદમાંથી નીકળીને અયોધન રાજાના દેશના સીમાડા ઉપર રમણીય અટવીમાં આશ્રમ કર્યો. અયોધન રાજા પણ દેવની આજ્ઞાથી કેથળાઓમાં ડાંગર ભરી લાવીને ગૌતમ ઋષિને આપતો હતો. પછી ગૌતમ ઋષિની ગેરહાજરીમાં સ્ત્રીલેલુપ તે વાસવે ગતમઋષિની ભાર્યા અને વિષ્ણાશ્રવ તથા મેનકાની પુત્રી અહલ્યાને જોઈને તેની સાથે સંસર્ગ કર્યો. પુષ્પ, ફળ અને સમિધને માટે ગયેલ ગૌતમ પાછો આવ્યો. તેને જોઈને ડરેલા વાસ બળદનું રૂપ ધારણ કર્યું. ગતમ ઋષિએ તેને જે અને પરસ્ત્રીગમનના દેષથી તેને મારી નાખે.” આ સાંભળીને મારો ધર્મસંવેગ દ્વિગુણિત થયે. (પણ પછી ) મેં વિચાર્યું, “આ બાબતમાં એક ક્ષણનું પણ અતિક્રમણ કરવામાં મારે માટે શ્રેય નથી. આવતી કાલે જઈશ.” હવે, અર્ધ રાત્રિની વેળાએ દુઃખથી ભરેલા અવાજવાળો શબ્દ સાંભળીને હું જાગે, અને જાગીને મેં એક દેવીને જોઈ. તેણે મને આંગળીના ઇશારાથી બોલાવ્યો, અને હું પણ તેની પાસે ગયે. પછી તે મને અશોકવનિકામાં લઈ જઈને આ પ્રમાણે કહેવા લાગી, “પુત્ર ! સાંભળ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy