SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંગુસુન્દરી સંભક [ ૩૮૭ ] w પુરોહિતે રાજાને (કોઈ એષધિ અથવા મન્નથી) મસ્તકવેદના પેદા કરી. રાજાએ પુરેહિતને બોલાવ્યું કે, “મને સાજો કર.” તેણે રાજાને સાજો કર્યો. પછી પુરોહિતે રાજાને કહ્યું, “આ પુષ્યમિત્ર કિજંપી દ્વીપમાં કિંજપી પક્ષીઓ લાવવા માટે ભલે જાય તે પક્ષીઓ સુન્દર રૂપવાળાં હોય છે અને મધુર બોલે છે.” રાજાએ પુષ્યમિત્રને બેલાવીને કહ્યું, “કિજંપી પક્ષીઓ લાવવા માટે કિજંપી દ્વીપમાં જા.” તેણે હા પાડી. પુરોહિતનું ચરિત્ર પણ તેણે જાણ્યું હતું. પોતાના ઘરમાં તેણે ભેંયરું દાવ્યું. વિશ્વાસપાત્ર માણસેને ત્યાં રાખ્યા અને કહ્યું, “પુહિતને બાંધીને છાની રીતે મને ઍપજે અને તમે છાની રીતે નીકળી જજે.પુરોહિત (પિતાના ઘેરથી) નીકળે, દાસીએ તેને છાની રીતે લાવીને પલંગ ઉપર બેસાડ્યો, એટલે તે ભેંયરામાં પડ્યો. પેલા માણસોએ તેને બાંધીને પુષ્યમિત્રને સે. પુષ્યમિત્રે તેને છાની રીતે રાખે. પછી છ મહિને પાછો આવીને તે રાજાને કહેવા લાગ્યું, “મેં ઘણું કિંજપી પક્ષીઓ પકડ્યાં છે, પણ એક પક્ષી આયું છે, તે જુઓ.” તેણે તે પુરોહિતને મીણથી ખરડીને વિવિધ પ્રકારનાં પીંછાં વડે મંડિત કર્યો હતો. રાજાએ પૂછ્યું, “એ પક્ષી કેવું બેલે છે?” પુરોહિતને આર મારવામાં આવતાં તે બોલ્યો, “કિજં૫, કિંજપં” આ સાંભળીને રાજા પરમ આશ્ચર્ય પામ્યા. પણ દાંત હોવાથી તેને ઓળખે (કારણ પક્ષીને દાંત ન હોય). પીંછાંઓ વડે વીંટાયેલા પુરોહિતને તેણે જોયે. રાજાએ પુષ્યદેવને પૂછયું, “આ શું?” તેણે કહ્યું, “આ દુઃશીલ છે, તેને નહીં ઈચ્છતી સ્ત્રીને તે ગ્રહણ કરે છે અને જુએ છે.” પછી રાજાએ લેઢાની સ્ત્રી પ્રતિમા સાથે પુરોહિતને આલિંગન કરાવ્યું, એટલે તે મરણ પામ્યા. (મિથુનથી) નિવૃત્ત નહીં થવાના આ દે છે. હવે પ્રશસ્ત ઉદાહરણ–મથુરામાં અજિતસેન નામે રાજા હતો. તેની પટ્ટરાણું મિત્રવતી નામે હતી. એક વાર યવન રાજાએ અજિતસેન રાજાને એક સુન્દર, શુદ્ધ અને મેટું નૂપુર ભેટ તરીકે મોકલ્યું હતું. રાજાએ તે મિત્રવતીને આપ્યું. મિત્રવતીએ રાજાને કહ્યું, “ સ્વામી ! બીજું આવું ઘડાવો.” રાજાએ સેનીઓના મહાજનને બોલાવ્યું. તેને નમૂને આપીને કહ્યું, “બીજું આવું ઘડે.” “આ પરમ નિપુણ છે” એમ કહીને મહાજને તે નૂપુર જિન પાલિત સોનીના પુત્રને આપ્યું. તેણે ભેંયરામાં ગુપ્ત રીતે નૂપુર ઘડયું અને ઘડીને રાજા પાસે લાવ્યું. રાજા તે જોઈને પરમ વિસ્મય પામે. તે સનીને જોઈને મદનનાં બાણવડે પ્રહાર પામેલી દેવી ઉન્મત્ત થઈ. રાજાએ આ રહસ્ય જાણુને દેવીને કહ્યું, “જિનપાલિત પાસે જા.” સર્વ અલંકારથી આભૂષિત થઈને તે જિનપાલિત પાસે ગઈ. એટલે તેણે કહ્યું, “હું તો નપુંસક છું.” આથી વૈરાગ્ય પામીને અને સ્વસ્થ થઈને તે પાછી આવી. રાજાએ જિનપાલિતને સત્કાર કર્યો. પછી રાજાએ મિત્રવતીને ત્યાગ કર્યો. પાંચમા વ્રતના ગુણ-દેણ વિષે ચારુનંદી અને ફશુનંદીનું દાન વસન્તપુરમાં જિતશત્રુ રાજા હતો. તેનાં બે ગેકુળ હતાં. તે બે ગોકુળમાં ચારુનંદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy