SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકી લંભક [ ૪૮૧ ] પ્રત્યેના તેના પૂર્વભવના શ્રેષનું કારણ અતિશયજ્ઞાની સાધુએ મને કહ્યું હતું. તે કંસ પૂર્વભવમાં બાલતપસ્વી હતો. માસક્ષપણ કરતો કરતો તે મથુરાપુરીમાં આવ્યો. માસે માસે બહાર નીકળીને તે પારણું કરતો હતો. આ રીતે તે પ્રસિદ્ધ થયો. ઉગ્રસેને તેને નિમંત્રણ આપ્યું કે, “ભગવાને મારે ઘેર પારણું કરવું. ” પરંતુ પારણાને સમયે ચિત્ત બીજે રોકાયેલું હોવાથી ઉગ્રસેન તેને ભૂલી ગયે, પેલો તપસ્વી પણ અન્યત્ર જમે. એ જ પ્રમાણે બીજા અને ત્રીજા પારણા સમયે પણ થયું. આથી શ્રેષ પામેલો તે તાપસ “હું ઉગ્રસેનના વધને માટે જન્મ લઈશ” એ પ્રમાણે નિયાણું કરીને કાલધર્મ પામી ઉગ્રસેનની ગૃહિણીના ઉદરમાં ઉત્પન્ન થયેલ. તેણુને ગભરના ત્રીજા મહિને રાજાના ઉદરનું બલિમાંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયે. મંત્રીઓએ સરસ બલિમાંસની રચના માટે માંસનાજ રંગનું વસ્ત્ર તૈયાર કરીને, દેવીની નજર પડે તેમ ( રાજાના ઉદર ઉપર તે મૂકી) તેમાં માંસ કાપ્યું. પછી તે માંસ રાણીની પાસે લાવવામાં આવ્યું. તે ખાધા પછી જેને દેહદ પૂરે થયો છે એવી રાણીને અનુક્રમે ઉગ્રસેન (જીવતો) બતાવવામાં આવ્યો. (આ અમંગળ દેહદ થયેલ હોવાથી) “મારા ગર્ભમાં વધેલે આ પુત્ર નિ:સંશય કુળને વિનાશ કરનાર થશે” એમ વિચારીને રાણીએ તેને કાંસાની પેટીમાં સુવાડીને યમુનામાં વહેતો મૂકો. શરિપુરના રસ-વણિકે (તેલ વગેરે પ્રવાહી પદાર્થોને ધંધો કરનાર વાણિયાએ) તેને લીધે. મારી પાસે તે ઊછર્યો. મેં આ પ્રમાણે કારણ જાણીને, “ઉગ્રસેનને આ જન્મશત્રુ છે” એમ વિચારીને ઉગ્રસેનને છોડાવવા માટે પ્રયત્ન કર્યો નહીં. અનાવૃષ્ટિ આદિ મારા પુત્રને કલાઓ શીખવવા માટે કલાચાર્યને રાખવામાં આવ્યું. પછી કંસ પણ મને બહુમાનપૂર્વક મથુરા લઈ ગયે, મારો આદરસત્કાર કર્યો, અને વિશેષ કરીને મારા પ્રત્યે વિનીત થઈને રહેવા લાગ્યા. પરિજન સહિત એવા મારો સમય શૂરસેન દેશના વનખંડોમાં આ રીતે વીતવા લાગે. દેવકીનું પાણિગ્રહણ દેવક રાજાની પુત્રી દેવકીને વરવાને મૃત્તિકાવતી જવા માટે એક વાર કંસની અનુમતિથી અમે નીકળ્યા. માર્ગમાં નેમિનારદ મળ્યા, તેમને મેં પૂછયું, “આર્ય! દેવકી રાજકન્યાને તમે અવશ્ય પૂર્વે જોઈ હશે, માટે તેનાં વિનય, રૂપ અને જ્ઞાન વિષે કહો.” એટલે નારદે કહ્યું, “(દેવકીને) હું જાણું છું. હે સેમ્ય! સાંભળ–અંગબિન્દુ (શરીર ઉપરનાં ગેળ બિન્દુઓ) અને ઉત્તમ લક્ષણે વડે આકીર્ણ દેહવાળી, બાન્ધવજનોનાં નયનરૂપી ૧. રસ-વણિકે કંસને લાવીને વસુદેવને સોંપે હતે: આથી કંસ વસુદેવની પાસે ઊછર્યો હતો. જુઓ પૃ. ૧૫૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy