SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ રમશાનમાં મુડદું બાળતી વખતે બાજુમાં અળતે મૂકવાનો ઉલ્લેખ છે (૧૫૩). માત્ર સ્ત્રીના મૃતકની બાજુમાં જ અળતા મુકાતો હોવાનો સંભવ વધારે છે. ચોરો અને ધૂર્તો કેટલીક વાર પરિવ્રાજકના વેશમાં ફરતા અને લોકોને ફસાવતા (૪૮-૪૯, પરપ૩). દુષ્ટ પુરુષો અને ચરોનાં આશ્રયસ્થાનમાં પાનાગાર–મધની દુકાન, ધૂતશાલા, કંદોઈની દુકાન, પરિવ્રાજકના મઠે, દાસીગૃહો, સભા, ઉદ્યાન, શૂન્ય દેવકુલ, વિહાર વગેરે ગણાવ્યાં છે (૪૮). વિષમ જંગલ અને પહાડી પ્રદેશમાં આવેલી ચોર૫લીઓ-ચેરનાં ગામના પણ સંખ્યાબંધ નિર્દેશ છે. ચોરીનાં સાધનોમાં ખાતર પાડવા માટેના આરાવાળા હથિયાર નારણ )ને તથા ચર્મવસ્ત્ર અને યોગવર્તીનો ઉલ્લેખ છે (૪૯, ૧૯૧). ગુપ્ત રાખી શકાય એવા ચોર દીવાને- દીપસમુદ્ગક”ને પણ ઉલ્લેખ છે. એ સમુદગક-દાબડો ઉઘાડીને દી બહાર કાઢી શકાતે અને પાછો અંદર મૂકી શકાતે (૫૮-૫૯). શ્રીવત્સના આકારના ખાતરનો નિર્દેશ એક સ્થળે કરે છે (૪૯).૩૪ ૩૪ પ્રાચીન ભારતમાં ચોરીનું પણ એક શાસ્ત્ર બન્યું હતું અને ચેરના પણ અધિષ્ઠાયક દેવ હતા એમ સંસ્કૃત સાહિત્યમાં મળતા ઉલ્લેખ ઉપરથી જણાય છે. “દશકુમારચરિત’માં ચેરીનાં ઉપકરણનું એક નાનું પણ ઝીણવટભર્યું વર્ણન છે. એમાં એક ચેર પોતાના કાર્ય માટે કાળી રાત્રિએ અંધારપછેડે એટી નીકળે છે. સાથે તીક્ષ્ણ તલવાર, ખેરવા માટે સર્ષની ફેણ જેવું હથિયાર, સિટી, સાણસી, ઘરનાં માણસે ઊઠે છે કે જાગે છે તે જાણવા માટે બનાવટી મસ્તક, ગચૂર્ણ (ત્રણમુક્તિ આપે એવું ચૂર્ણ ), યોગવર્તિકા, ખાતર પાડવા માટે માપવાની દેરી, ઉપર ચઢવા માટે હુક અને દોરડું, દીપભાજન-ચેરદી અને બળતે દી હેલવી નાખવા માટે પતંગિયાંની દાબડી –એટલાં સાધને લઈ જાય છે. “મૃચ્છકટિક’માં તે એને “સ્કન્દપુત્રો” અર્થાત કાત્તિકેયના પુત્ર તરીકે વર્ણવ્યા છે. કેવા પ્રકારની ઈંટનું મકાન હોય ત્યાં ખાતર કેવી રીતે પાડવું તે પણ એમાં—અલબત્ત, ભગવાન કાત્તિકેયના ઉપદેશ તરીકે-સૂચવ્યું છે. ખાતરોની જુદા જુદા પ્રકારની આકૃતિ પણ તેમાં વર્ણવી છે એટલું જ નહીં પણ પિતે પાડેલા ખાતરની કલાત્મક આકૃતિ જોઈને સવારમાં લોકો વિસ્મય પામી જશે એવો પણ વિચાર એમાંને ચેર શર્વિલક કરે છે. વસુદેવ-હિંડી”મને ચેર જેમ શ્રીવત્સના આકારનું ખાતર પાડે છે તેમ “મૃચ્છકટિકને શર્વિલક પૂર્ણકુંભની આકૃતિનું ખાતર પાડે છે. ‘દાકુમારચરિત’ તેમજ ‘મૃચ્છકટિક એ બન્નેનાં ઉદ્ધરણે અહીં આપું છું— (१) तन्मुखेन च सारतः कर्मतः शीलतश्च सकलमेव नगरमवधार्य धूर्जटिकण्ठकल्माषकालतमे तमसि नीलनिवसना?रुकपरिहितो बद्धतीक्ष्णकौक्षयकः फणिमुख-काकली-संदंशक-पुरुषशीर्षक-योगचूर्ण-योगवर्तिकामानसूत्र-कर्कटक-रज्जु-दीपभाजन-भ्रमरकरण्डकप्रभृत्यनेकोपकरणयुक्तो गत्वा कस्यचिल्लुब्धेश्वरस्य गृहे सन्धिं छित्त्वा पटभाससूक्ष्मच्छिद्रालक्षितान्तर्गृहप्रवृत्तिरव्यथो निजगृहमिवानुप्रविश्य नीवीं सारमहतीमादाय निरगाम् ।દેશકુમારચરિત, ઉશ્વાસ ૨. (૨) શર્વિઢવા–xxx (મિત્તિ પરાય) નિત્યાહિત્યનોરને હૃત્તેિયં મૂઃ લાક્ષીળા मषिकोत्करश्चेह । हन्त, सिद्धोऽयमर्थः । प्रथममेतत्स्कन्दपुत्राणां सिद्धिलक्षणम् । अत्र कर्मप्रारम्भे कीदृशमिदानीं संधिमुत्पादयामि । इह खलु भगवता कनकशक्तिना चतुर्विधः सन्ध्युपायो दर्शितः । तद्यथा-पक्वेष्टकानामाकर्षणम्, आमेष्टकानां छेदनम् , पिण्डमयानां सेचनम् , काष्ठमयानां पाटनमिति । तदत्र पक्वेष्टक इष्टिकाकर्षणम् । तत्र पद्मव्याकोशं भास्कर बालचन्द्र वापी विस्तीर्ण स्वस्तिकं पूर्णकुम्भम् । तत्कस्मिन् देशे दर्शयाम्यात्मशिल्पं दष्ट्वा श्वो यं यद्विस्मयं यान्ति पौराः ।। तदत्र पक्वष्टके पूर्णकुम्भ एव शोभते। तदुत्पाटयामि । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy