SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વેણીમાં બાંધી રાખતી (૮૬, ૨૦૦). પતિની ગેરહાજરીમાં સ્ત્રીને માટે કેશસસ્કાર નિષિદ્ધ ગણેલો છે.૩૩ સભાસ્થાનમાં સ્ત્રીએ જનિકાની પાછળ બેસતી ( ૧૬૩, ૧૬૯). કેટલાક દાખલાઓમાં ‘ મૃચ્છકટિક ’ની વસતસેનાની જેમ કાપુત્રો પણ કુલવધૂ ખતી શકતી (૨૩, ૧૩૬). ગણિકા ઉપર રાજાને અધિકાર ગણાતા. રાજા કાઇ મનુષ્યને ગણિકાનું દાન આપી શકતા (૩૩૮). રાજાની સેવામાંથી મુક્તિ મેળવવા માટે ગણિકાને નિષ્ય આપવા પડતા (૨૦૦). આ પ્રકારના ધારાઓનું વિગતથી વર્ણન આપણને કૌટલીય ‘· અર્થાંશાસ્ત્ર ’ આદિ ગ્રન્થામાંથી મળે છે. ચાંડાલે વીણા વેચવાને ધંધા કરતા (૧૨૪). ઇન્દ્રમહાત્સવ એ એક સુપ્રચલિત ઉત્સવ હતા. ઇન્દ્રષ્ટિના પણ નિર્દેશ મળે છે (૨૮૭). · દોરી તૂટેલા ઇન્દ્રધ્વજની જેમ જમીન ઉપર પડ્યો ' (૩૨૧) એ ઉપમા પણ સૂચક છે. કૌમુદી-ચાતુસિકા મહેાત્સવ (૧૭૨) અને ક°ટ-દેવતા નિમિત્તે ધરમાં થતા ઉત્સવને (૪૧) પણ ઉલ્લેખ છે. અધિરાજાએ વવમાની કરતા, જ્યારે રાજદરબારમાં ધર્મોપદેશક-ધર્માધિકારી રહેતા (૨૨૧). બધા માંડલિક રાજાએ હાજર રહેતા (૨૨૫). જેમના ઉપર અન્યાય ગુજર્યા હાય ઍવા અનાથા માટે ફરિયાદ કરવાનું સ્થળ અનાથસ્તંભ નામથી ઓળખાતુ (૩૫૩). ફરિયાદીનું લેખિત નિવેદન એ કાળમાં પણ લેવામાં આવતુ (૩૩૦). એક સ્થળે તુલાદિત્યથી અપરાધનો નિર્ણય કરવાના ઉલ્લેખ છે (૩૮૫), પણ તેની વિગતે પૂરતી સ્પષ્ટ નથી. કારણિકન્યાયાધીશને પણ ઉલ્લેખ છે (૩૮૫). અપરાધની તપાસ માટે ચારપુરુષો-ગુપ્તચરાના નિર્દેશ પણ વારવાર આવે છે. અનાથેાને માટે આશ્રયસ્થાન–અનાથશાળા બંધાવવાના રિવાજ હતા (૪૮૦). રાજકન્યાના સ્વયંવર થતા, તેમાં એકત્ર થયેલા રાજાના પરિચય કન્યાને લેખિકા કરાવતી (૪૭૬). આ કા પ્રતિહારી કરતી હોવાનો ઉલ્લેખ પણ સરકૃત સાહિત્યમાં છે ( રઘુવંશ, ૬-ર૦ ). જમ્યા પછી હાથ-માંની ચીકાશ ચણાના લોટથી સાક્ કરવામાં આવતી (૨૮૪). વિકટ પદ્માડી માર્ગ ચઢતી વખતે હાથે પરસેવે વળવાથી લપસી ન પડાય તે માટે હાથે તુંબનું ચૂર્ણ મસળવાને ઉલ્લેખ છે, જેથી ક્ષતાને કારણે હાથને પકડવાના આધાર રહે (૧૯૨). છૂત રમવા માટેના જુદાં સ્થાને હતાં. આ દ્યૂતશાળાને અધિપતિ પુરુષ ત્યાં રહેતા (૩૨૩). ત્યાં અમાત્યે, શ્રેષ્ઠીઓ, સાÖવાડા, પુરોહિત, નગરરક્ષકા અને દંડનાયકા જેવા માટા માણસા દ્યૂત રમતા (૨૭૩, ૩૨૨). · મૃચ્છકટિક'ના વર્ણન અનુસાર, દ્યૂતાગારના અધ્યક્ષ દ્યૂત રમનારની જીતમાંથી અમુક ભાગ પડાવતા. મસાણુમાં એક સ્તંભ રાખવામાં આવતા. વસુદેવે પોતાને ક્ષમાપના—લેખ એવા સ્તંભ ઉપર બાંધ્યા હતા (૧૫૩). સ્મશાનમાં સ્તંભ રાખવાની સૂચકતા આ ગ્રન્થમાંના ઉલ્લેખ ઉપરથી સમજાતી નથી, પણ આવતા જતા લાકા સહેલાઇથી સ્મશાનનું સ્થળ જાણી શકે તે માટે કદાચ એ રાખેલ હશે. ૩૩, જીએ—વસને વરિધૂસરે વસાના નિયમક્ષામમુલી ધૃતૈવેળિ: अतिनिष्करुणस्य शुद्धशीला मम दीर्घ विरहब्रतं बिभर्त्ति ॥ Jain Education International For Private & Personal Use Only —શકુન્તલા, અર્ક છ www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy