SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ( વાયુધ ચક્રવતી સભામાંના રાજાને કહે છે કે ) આ વાત સાંભળીને ઉપશાન્ત થયેલાં તથા જેમણે વેર છેડી દીધુ છે એવાં આ ત્રણે જણાં ( શાન્તિમતી, અજિતસેન અને પવનવેગ ) ક્ષેમ’કર જિનેશ્વરની પાસે દીક્ષા લેશે. આ શાન્તિમતી પણ દીક્ષા લઇને, રત્નાવલિ તપ કરીને ઈશાન કલ્પમાં દેવેન્દ્ર થશે. તે જ સમયે આ અજિતસેન અને પવનવેગને કેવલજ્ઞાન થશે, એટલે ઇશાનેન્દ્ર તેમની જ્ઞાનાત્પત્તિના મહેાત્સવ કરશે, અને પેાતાના શરીરની પણ (તે કાળે પેાતાનું જે મૃત શરીર પડ્યું હશે તેની) પૂજા કરશે. તે ઈશાનેન્દ્ર આગામી ભવમાં મેાક્ષમાં જશે. ” આ પ્રમાણે વાયુષે કહ્યું, એટલે વિસ્મિત મનવાળા તે સર્વ રાજાએ કહેવા લાગ્યા, “ અહા ! આશ્ચય છે !” પેલાં ત્રણ જણે પણ વાયુધને પ્રણામ કરીને, ક્ષેમ કર જિનેશ્વર પાસે જઇને દીક્ષા લીધી. યુવરાજ સહસ્રાયુધની યતના નામે ભાર્યા હતી. તેમના પુત્ર કનકશક્તિ હતા. મંગલાવતી વિજયમાં સુમન્દિર નગરમાં મેરુમાલી રાજા હતા, તેની મલ્લા કેવી હતી; તેમની કનકમાલા પુત્રો હતી. તે કન્યા કનકશક્તિને આપવામાં આવી હતી. તેજ વિજયમાં શક્રસાર નગર હતુ, ત્યાં રાજા અજિતસેન હતા, તેની ભાર્યો પ્રિયસેના હતી; વસન્તસેના તેમની પુત્રી હતી. કનકમાલા સહિત એવા કનકશક્તિએ તે વસન્તસેનાને ગ્રહણ કરી હતી. તે વસન્તસેના પણ કનકશક્તિની ભાર્યો થઈ. તે કનકશક્તિ વિદ્યાધર થયા અને તે પ્રિયાએ સાથે પૃથ્વીમાં સર્વત્ર ક્રવા લાગ્યા. એક વાર પ્રિયા સહિત તે હિંમત પર્વતના શિખર ઉપર ગયા હતા. ત્યાં કરતાં તેણે વિપુલમતિ ચારણુ શ્રમણને જોયા. તેમને વંદન કરીને, ધર્મ' સાંભળીને, રાજ્યલક્ષ્મીના ત્યાગ કરીને તેણે દીક્ષા લીધી. કનકશક્તિની એ ભાર્યાઓએ પણ વિપુલમતિ આર્યોની પાસે દીક્ષા લીધી, અને તે તપમાં ઉદ્યત તથા ઘણા લેાકેા વડે પૂજનીય એવી આર્યોએ થઇ. પેલા કનકશક્તિ પણ વિહાર કરતાં સિદ્ધિપર્વત ઉપર જઇને પૃથ્વીશિલાપટ્ટ ઉપર એકરાત્રિકી પ્રતિમામાં રહ્યા. ત્યાં હિમચૂડ નામે દેવ તેમને ઉપસ કરવા લાગ્યા. એટલે ક્ષેાભ પામેલા વિદ્યાધરાએ ઉપસતું કારણ પૂછીને, આ નિર્દોષને ઉપસ કરે છે ’ એ જાણીને હિમચૂડને ત્રાસ પમાડ્યો. પછી પ્રતિમા પારીને વિહાર કરતા કનકશક્તિ રત્નસ ંચય નગરમાં ગયા અને ત્યાં સુરનિપાત ઉદ્યાનમાં રહ્યા. ત્યાં પણ તે એકરાત્રિકી પ્રતિમામાં રહ્યા. પ્રતિમામાં રહેલા અને પરમ ધ્યાનથી યુક્ત તે ભગવાનને અપ્રતિહત અને અનંત એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં આવેલા દેવા જ્ઞાનેાપત્તિના 6 ૧. ચારભ્રમણનુ નામ વિપુલમતિ છે એ જોતાં આર્યાંનુ નામ પણ વિપુલમતિ હાય એ ચેાગ્ય લાગતું નથી. કદાચ પ્રતામાં કંઇક અશુદ્ધિ હોય. ત્રિષષ્ટિના પાંચમા પર્વના ત્રી સમાં આ પ્રસંગ વર્ણવાયેા છે ત્યાં આર્યાનું નામ વિમલમતિ આપ્યુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy