SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [૩૫]. મહિમા કરવા લાગ્યા. ભય પામેલ હિમચૂડ પણ સમોસરણ–વ્યાખ્યાનભૂમિમાં આવ્યા. બત્રીસ હજાર રાજાઓ સાથે આવેલ વાયુધ રાજા પણ જ્ઞાનત્પત્તિનો મહિમા કરીને અને ધર્મ સાંભળીને પાછો નગરમાં ગયે. હવે, ભગવાન ક્ષેમંકર અરિહંત પોતાના ગણની સાથે રત્નસંચય પુરીમાં સમોસર્યા. વાયુધ પણ વંદન કરવા નીકળ્યો. તીર્થકરનાં વચન સાંભળીને પ્રતિબંધ પામેલા તેણે સહસાયુધને રાજ્ય ઉપર સ્થાપીને, સાત પુત્ર, ચાર હજાર મુકુટધારી રાજાઓ અને રૂપગુણશાળી એવી ચાર હજાર રાણુઓની સાથે પોતાના પિતાના (ભગવાન ક્ષેમકરના) ચરણમાં દીક્ષા લીધી, તથા જેણે સૂત્ર તથા અર્થનું ગ્રહણ કર્યું છે તથા જે ઉત્તમ ચારિત્ર્યથી યુક્ત છે એવો તે વિહાર કરવા લાગ્યા. એક વાર તે વાયુધ સિદ્ધપર્વત ઉપર ગયા અને ત્યાં “નમે સિદ્ધાણું” કરીને, જેણે શરીર વસરાવ્યું છે તથા શુશ્રુષાને ત્યાગ કર્યો છે એવા તે, “મને જે કોઈ ઉપસર્ગો થશે તે સર્વે સહન કરીશ” એવો નિશ્ચય કરીને, વજીના સ્તંભની જેમ, સાંવત્સરિકી પ્રતિમામાં રહ્યા. અશ્વગ્રીવના પુત્ર મણિકંઠ અને મણિકેતુ સંસારમાં ભમીને અસુરકુમારે થયા હતા, તેઓ તેમને નાના પ્રકારના ઉપસર્ગો કરવા લાગ્યા. એ ભગવાન વજાયુધ પણ જ્ઞાન વડે કરીને અવિશેષિત મન વડે-રાગદ્વેષ વગર તે સમ્યક્ પ્રકારે સહન કરતા હતા. એ દેશકાળમાં ઉત્તરકિય રૂપવાળી રંભા અને તિલોત્તમા આવી, પછી તેમના વડે ત્રાસ પમાડાયેલા અસુરકુમારે નાસી ગયા. પછી રંભા અને તિત્તમ ભગવાનને વંદન કરીને તથા નૃત્ય બતાવીને પાછી ગઈ. સંયમપરાયણ એવા વાયુધ સાંવત્સરિકી મહાપ્રતિમા પારીને વિચરતા હતા. સહસાયુધ રાજા પણ પિહિતાસવ ગણધરની પાસે ધર્મ સાંભળીને, પુત્ર શતબલી કુમારને રાજ્યાભિષેક કરીને, તે ગણધરની પાસે જ દીક્ષા લઈને વાયુધને જઈ મળે. તે બને પિતાપુત્ર ઘણાં વર્ષો સુધી તપ કરીને, ઇષ~ાશ્માર નામે રમણીય પર્વત ઉપર ચઢીને, પાદપપગમન વિધિથી સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરીને ઉપરિમ રૈવેયકમાં એકત્રીસ સાગરોપમની સ્થિતિવાળા અહમિન્દ્રો થયા, શ્રીશાન્તિનાથની પૂર્વભવસ્થામાં મેઘરથને ભવ પછી અહમિન્દ્રનું સુખ અનુભવ્યા પછી ચુત થઈને-આજ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં, પુષ્કલાવતી વિજ યમાં, પુંડરીકિણી નગરીમાં રાજ ઘનરથ હતો, તેની બે દેવીઓ પ્રીતિમતી અને મને હરી હતી, તેમના ગર્ભમાં વાયુધ મેઘરથ નામે પુત્ર થ અને સહસાયુધ ૧, મૂળમાં વારોથળો ૨ ચમો એવા શબ્દ છે. વાળનો અથ “વ” કલ્પનાથી કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy