SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : દરથ નામે પુત્ર થયે. સુખપૂર્વક ઊછરેલા તેઓ કલાઓમાં નિપુણ થયા. મેઘરથકુમારની બે ભાયીઓ પ્રિય મિત્રો અને મનેરમા હતી. પ્રિયમિત્રાને પુત્ર નંદિષણ હતું અને મનેરમાનો મેધસેન હતે. દઢરથની સુમતિ ભાર્યા હતી અને તેને પુત્ર રથસેનકુમાર હતે. બે કૂકડાઓ અને તેમને પૂર્વભવ હવે, એક વાર અંતઃપુરમાં રહેલો અને સિંહાસન ઉપર આરૂઢ થયેલો ઘનરથ પત્રો. દોહિત્રો અને પૌત્રો વડે વીંટળાઈને બેઠો હતો. વાદની ઇચ્છાવાળી સુષેણ નામે ગણિકા એક કુકડો લઈને રાજાની પાસે આવી અને કહેવા લાગી, “સ્વામી ! હેડને અંત આવે ત્યારે જે એક લાખ પ્રતિમૂલ્ય મળે તો મારો કૂકડો આપના ચરણમાં યુદ્ધ કરે.” રાણી મનહરી ત્યાં આવી. તે રાણીએ દાસીને કહ્યું, “મારા કુકડા વાતુંડને અહીં લાવો; સુષેણું કહે છે તેટલી હેડ પણ ભલે મુકાઓ.” પછી દાસીએ (સાઠમારીમાં) સજજ એવા તે કૂકડાને મેદાનમાં ઉતાર્યો અને સુન્દર રૂપવાળા તથા સમાન બળવાળા તે કૂકડાઓ ત્યાં યુદ્ધ કરવા લાગ્યા. ઘનરથ રાજાએ કહ્યું, “આમાંથી એકે કૂકડો જીતશે નહીં. ” મેઘરથ કુમારે કહ્યું, સ્વામી ! એનું રહસ્ય શું?” ફરી મેઘરથે કહ્યું, “બેમાંથી એકે નહીં તે તેનું કારણ સાંભળ જંબુદ્વીપમાં, એરવત વર્ષમાં રત્નપુર નગરમાં ધનવાસુ અને ધનદત્ત નામના ગાડું ચલાવનારા બે વાણિયા હતા. તે બન્ને સાથે વેપાર કરતા હતા. જેમની ધનની આશા શાન્ત થઈ નથી એવા તે બે જણ ઘણા પ્રકારનો માલ લઈને ગામ અને નગરોમાં વેપાર કરતા ફરતા હતા. ઘણા ભારથી દુઃખી થયેલા, ભૂખ-તરસથી ત્રાસેલા, ઠંડી અને ગરમીથી સંસાયેલાં અંગવાળા, ડાંસ અને મચ્છરોથી પીડાયેલા શરીરવાળા, જેમનાં સર્વ ગાત્રો દખતાં હતાં એવા તથા નાસાભેદ-નાથ ઘાલવાથી અને (પરોણાના) પ્રહારથી ભાંગી પડેલા બળદને તેઓ ચલાવતા હતા. માયા, નિતિ અને ઉત્કચના-અનેક પ્રકારનાં કપટ કરનારા, ખોટાં ત્રાજવાં અને ખાટાં તેલથી વેપાર કરતા, મિથ્યાત્વથી માહિતી મતિવાળા, નિર્દય, કર્કશ, લોભ અને કલિથી ગ્રસ્ત તથા આર્તધ્યાનવાળા તેઓએ તિર્યંચનું આયુષ્ય બાંધ્યું. એક વાર રાગદ્વેષ નિમિત્તે તેમની વચ્ચે લડાઈ થઈ. યુદ્ધ કરતા તેઓ એકબીજાને મારીને ફરીથી તે જ એરવત વર્ષમાં સુવર્ણ કુલા નદીના કિનારે હાથીઓના યૂથમાં પર્વતના શિખર જેવા આકારવાળા તથા સર્વાંગસુન્દર શરીરવાળા હાથી થયા. વનચર મનુષ્યએ તેમનાં તામ્રકલ અને વેતક્રાંચન એવાં નામ પાડ્યાં, એટલે તેઓ એ રીતે પ્રસિદ્ધ થયા. તેમની વચ્ચે યૂથને માટે એક વાર ઝઘડો થયો. એકબીજાને મારીને તેઓ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં અયોધ્યા નગરીમાં નંદિમિત્રના માનીતા પયૂથમાં પાડાઓ થયા. ત્યાં શત્રુંજય રાજાની દેવાનંદ દેવીના ધરણીસેન અને નંદિપેણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy