SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [૪૩૩ ]. જણાવનારી વિદ્યાનું) આવાહન કર્યું. પ્રજ્ઞપ્તિ દ્વારા (ખરી હકીકત) જાણુને હું અહીં આવે. એના (વિદ્યાધરના) આ દોષે છે, માટે દેના સમૂહરૂપ એવા તેને ત્યાગ કરો. હે નરોત્તમ! દેષના ભંડારરૂપ એવા તેને જે તમે ત્યાગ કરે તે ગદાના એક જ પ્રહાર વડે તેના સર્વ દોષને હું નાશ કરું.” તે વિદ્યારે આમ કહ્યું, એટલે અવધિજ્ઞાન વડે જાણીને વાયુધ (સભામાં બેઠેલા) તે રાજાઓને કહેવા લાગ્યા, “હે નરેશ્વર ! આમને પૂર્વ સંબંધ સાંભળો– જંબુદ્વીપમાં ઐરાવત વર્ષમાં વિધ્યપુર નગરમાં વિશ્વદર રાજાની ભાર્યા સુલક્ષણ હતી, તેને નલિનકેતુ પુત્ર હતા. તે જ નગરમાં ધર્મમિત્ર સાર્થવાહ હતા, તેની ભાર્યા શ્રીદતા હતી. તેમને પુત્ર દત્ત હતા, પ્રભંકરા નામે દત્તની ભાર્યા હતી. રૂપ-યૌવનવતી તે પ્રભંકરા દત્તની સાથે ઉદ્યાનમાં ગઈ હતી ત્યારે વિષયસુખમાં લુબ્ધ થયેલા નલિનકેતુએ તેને જોઈ અને તેનું હરણ કર્યું. તેના વિયેગથી દુખી થઈને ઉદ્યાનમાં ફરતો દત્ત સુમનષિના ચરણમાં ગયા. તે સમયે જ એ મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ચાર પ્રકારના દે તેમને મહિમા કરવા લાગ્યા. તે ષિની એ રિદ્ધિ જોઈને દત્ત ઉપશાન્ત થયો. ભગવાન શ્રષિ પણ નિર્વાણ પામ્યા. જેને સંવેગ થયે છે એવો દત્ત પણ ગયે અને તે મરીને-જંબુદ્વીપમાં સુકચ્છ વિજયમાં વૈતાલ્ય પર્વત ઉપર સુવર્ણ તિલક નગરમાં મહેન્દ્રવિક્રમ રાજા વસતે હતો, તેની પત્ની અનિલગા હતી, તેના ગર્ભમાં અજિતસેન નામે વિદ્યાધરકુમાર થયે. તેની ભાર્યાનું નામ કમલા હતું. વિધ્યદત્ત રાજા મરણ પામ્યું, એટલે જેણે સર્વ સામતેને નમાવ્યા છે એ પેલે નલિનકેતુ રાજા થયે. એક વાર પ્રશંકરાની સાથે બેઠેલા નલિનકેતુએ પહાડના શિખર જેવા આકારવાળા, જામરાવલી જેવા ચામ, ગંભીર ગરવ વડે શબ્દાયમાન, અનેક વર્ણવાળા, ચારે તરફથી આકાશને છાઈ દેતા, તથા તીક્ષણ વીજળી વડે જેમની નિરંતરતા અને નિબિડ શોભાનું દર્શન કરાવાતું હતું એવા મેઘને જોઈને તેમજ ફરી વાર તે જ મેઘને સખ્ત અને આકરા પવન વડે મુહૂર્ત માત્ર પછી વિલય પામતા જોઈને, રિદ્ધિઓના ઉદય અને વિનાશનો તથા અનિત્ય-ભાવનાને વિચાર કરતાં, રાજરિદ્ધિનો ત્યાગ કરીને ક્ષેમંકર જિનવરની પાસે દીક્ષા લીધી, અને તે નિર્વાણ પામે. મૃદુતા અને માર્દવથી સંપન્ન તથા પ્રકૃતિથી ભદ્ર એવી તે પ્રભંકરા પણ સુસ્થિતા આર્યો પાસે ચાંદ્રાયણુ અને પૌષધ કરીને, પછી મરણ પામીને આ તારી પુત્રી શાતિમતી થઈ છે. તે દત્ત પણ મરણ પામીને આ અજિતસેન થયો છે. પરભવના સંબંધથી તેણે એનું હરણ કર્યું હતું. માટે (હે પવનવેગ !) તેને આ અપરાધની ક્ષમા કર, વૈરાનુબંધ ન કરીશ; અનુપશાન્ત ઘણા વેરની પરંપરાઓ પામે છે. ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy