________________
[ ૪૩ર ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
નીકળે, અને પ્રિયદર્શના વાટિકામાં સર્વની સાથે ક્રીડા કરવા લાગ્યો. તે કુમારને જલ ક્રિીડામાં પ્રસક્ત જોઈને તેને વધ કરવાની ઈચ્છાવાળા તેને વેરી વિદ્યુદંષ્ટ્ર દેવે તેના ઉપર પહાડ નાખે અને નીચે બલવાન નાગપાશથી તેને બાંધ્યું. એ ઉપસર્ગને જોઈને વજાયુધ કુમાર ડર્યો નહીં. તે પર્વતને ભેદીને અને તે બળવાન નાગપાશને છેદીને કુમાર દોડ્યો, અને ત્યાં ઈન્ડે તેની પૂજા કરી. પછી તે ઉદ્યાનની શોભા અનુભવીને કુમાર નગરમાં ગયે અને ત્યાં ઇચ્છિત ભેગે ભેગવવા લાગે.
હવે, લોકાન્તિક દેવો વડે પ્રતિબંધ પમાડાયેલા ક્ષેમકર રાજાએ સર્વ રિદ્ધિપૂર્વક વાયુધ કુમારનો રાજ્યાભિષેક કરીને દીક્ષા લીધી અને ઘાતી કર્મનો ક્ષય થતાં જેને કેવળજ્ઞાન થયું છે એવા તેમણે તીર્થ પ્રવર્તાવ્યાં-તીર્થકર થયા. વજાયુધના આયુધગૃહમાં એક હજાર યક્ષેથી યુક્ત એવું ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી તે ચક્રના માર્ગને અનુસરતા તે વજાયુધે આખો મંગલાવતી વિજય છો, અને નિદ્વિગ્ન એવો તે દેના જેવા ચક્રવતીના ભેગો ભેગવવા લાગ્યો. વાયુધ ચક્રવતીએ પોતાના પુત્ર સહસ્રાયુધને યુવરાજ તરીકે સ્થાપિત કર્યો. વિષયસુખ અનુભવતાં તેમને સમય આ પ્રમાણે વીતતે હતે.
બત્રીસ હજાર રાજાઓ વડે પરિવરાયેલ અને શીર્ષરક્ષક, અંગરક્ષક, પુરોહિત, મંત્રી અને મહામંત્રી સહિત વાયુધ વિશાળ રત્નમંડિત સભામાં સિંહાસન ઉપર બેઠો હતું. તે સમયે થરથર કંપતા અને ભયને લીધે ગદગદ સ્વરવાળો એક વિદ્યાધર “શરણ! શરણુ! “એમ બોલતો વાયુધ રાજા પાસે આવ્યો. જેણે હાથમાં ઢાલ-તલવાર લીધાં છે એવી તથા લલિત અને નમેલી અંગયષ્ટિવાળી કોઈ વિદ્યાધરકુમારી ત્વરાપૂર્વક તેની પાછળ આવી. આકાશમાં રહીને તે બોલી, “સ્વામી ! આ વિદ્યાધરને તમે મૂકી દે આ પાપીએ મારે અવિનય કર્યો છે, જેથી અમે તેને શિક્ષા કરીશું.” જેણે પિતાના હાથમાં ગદા ધારણ કરેલી છે એ એક વિદ્યાધર તેની પાછળ આવ્યું અને વાયુધ આદિ તે રાજાઓને કહેવા લાગ્યા, “અરે ! આ પાપીને અવિનય સાંભળે– શાતિમતી તથા અજિતસેનને સંબંધ અને તેમને પૂર્વભવ
આ જ જંબુદ્વીપમાં, પૂર્વ વિદેહમાં, સુકચ્છ વિજયમાં વૈતાઢ્ય પર્વત ઉપર કપુર નગરમાં શુકદત્ત નામે રાજા વસે છે, તેની ભાર્યા યશોધરા છે. તેને હું પવનવેગ નામે પુત્ર છું. ત્યાં જ વૈતાઢ્યની ઉત્તર શ્રેણિમાં કિન્નરગીત નગર છે, ત્યાં રાજા દીચૂડ છે, તેની ભાર્યા ચંદ્રકીર્તિ છે. તેની સુકાન્તા પુત્રી છે, તે મારી ભાર્યા છે. તેનાથી થયેલી મારી આ શાન્તિમતી પુત્રી મણિસાગર પર્વત ઉપર પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધતી હતી ત્યારે આ પાપીએ તેને ઉપાડી. તે જ સમયે શાન્તિમતીને ભગવતી પ્રકૃતિ સિદ્ધ થઈ. તેનાથી પલાયન કરતા તે અહીં તમારે શરણે આવ્યો છે. ભગવતી પ્રજ્ઞપ્તિની પૂજા કરવા માટે હું તે પ્રદેશમાં ગયો હતો. ત્યાં શાન્તીમતીને નહીં જોતાં મેં આગિની વિદ્યાનું (સમાચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org