SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ મદનગા લંભક [ ૩૧૫ ] શું આપું ?” એટલે સન્તષથી વિકસિત વદનવાળી તે કહેવા લાગી, “ એક વર વડે ભરત રાજા થાઓ, બીજા વરમાં રામ બાર વર્ષ સુધી વનમાં વસે. ” એટલે વિષાદ પામેલા રાજાએ કહ્યું, “દેવિ ! આ અસહ્વાહ-બેટા આગ્રહથી બસ કર મોટા પુત્ર (રામ) ગુણોના સમૂહને આવાસ છે, એ રામ જ પૃથ્વીના પાલન માટે યોગ્ય છે. બીજું જે કહે તે આપું. ” કેકેયી બોલી, “ જે સાચું બોલતા હે તે બીજું કંઈ મારે જોઈતું નથી. બાકી જેમ તમારી ઈચ્છા હોય તેમ કરે.” એટલે તેને મધુર અને કઠોર એવું ઘણું કહીને રાજાએ રામને બોલાવ્યા અને અશથી ભરેલા કંઠવાળા તે કહેવા લાગ્યા, “ મેં પહેલાં આપેલો વર દેવી માગે છે કે, “રાજ્ય (ભરતને મળે) અને તું વનમાં વસે,’ માટે હું જૂઠ ન પડું તેમ તું કર.” (રામે) મસ્તક નમાવીને તે સ્વીકાર્યું. પછી સીતા અને લક્ષમણ સહિત રામ વીરવેશધારી બનીને લોકોનાં મન, નયન અને મુખકમલને પ્લાન કરતા, કમલવનના સંકેચને વ્યાપાર કરતો સૂર્ય જેમ અસ્તાચળે જાય તેમ, નીકળ્યા. દશરથ પણ “ હા પુત્ર! હા કૃતનિધિ ! હા સુકુમાર ! હા અદુઃખોચિત ! હું મંદભાગ્ય વડે અકાંડે દેશવટે દેવાયેલા તું વનમાં કેવી રીતે સમય ગાળીશ?” એ પ્રમાણે વિલાપ કરતા કાળધર્મ પામ્યા. પછી ભારત પોતાના મામાના દેશમાંથી આવ્યું. જેણે સાચી હકીકત સાંભળી છે એવા તેણે માતાને ઠપકો આપે. અને પિતાના સગાંવહાલાં સહિત તે રામની પાસે ગયો. તેણે રામને પિતાનું મરણ થયાનું કહ્યું. જેણે પિતાની ઉત્તરક્રિયા કરી છે એવા રામને નયન જળથી ભરાયેલા મુખવાળી ભારતની માતા કૈકેયીએ કહ્યું, “પુત્ર! તેં પિતાનું વચન કર્ય'. હવે. અપયશના કાદવમાંથી મારો ઉદ્ધાર કરવાનું તથા કલકમાગત રાજ્યલક્ષમીનું અને ભાઈઓનું પાલન કરવાનું તારે માટે એગ્ય છે. ” રામે કહ્યું, “માતા ! તમારું વચન અનુલ્લંઘનીય છે; પણ (તે ઉલ્લંઘન કરવાનું) કારણ સાંભળો–રાજા જે સત્યપ્રતિજ્ઞાવાળો હોય તે જ પ્રજાપાલનમાં સમર્થ થઈ શકે, સત્યથી ભ્રષ્ટ થાય તે પિતાની પત્નીના પાલનમાં પણ અયોગ્ય બને. પિતાનું વચન પળાય તે માટે મેં વનવાસ સ્વીકાર્યો છે. હવે મને (પાછા વળવાને) આગ્રહ ન કરશો. ભરતને રામે આજ્ઞા કરી, “જે મારે તારા ઉપર અધિકાર હાય અને હું તારો વડીલ હોઉં તો તારે મારી આજ્ઞાથી પ્રજાપાલન કરવું, અને માતાને ઠપકો આપે નહીં. એટલે અશ્રપૂર્ણ મુખવાળો ભારત હાથ જોડીને વિનંતી કરવા લાગ્યું, “આર્ય! પ્રજાપાલનના કાર્ય માટે જે શિષ્યની જેમ મને નિયુક્ત કરવામાં આવતો હોય તો મને પાદુકાઓ આપવાની કૃપા કરો. ” રામે ભલે ” એમ કહીને એ વસ્તુ સ્વીકારી (પાદુકાઓ આપી). પછી ભારત પાછા નગરીમાં ગયે. આ બાજુ સીતા-લક્ષમણ સહિત રામ તાપસના આશ્રમે જોતા તથા દક્ષિણ દિશાનું અવલોકન કરતા વિજનથાનમાં પહોંચ્યા. ત્યાં એકાન્ત વનપ્રદેશમાં તે સીતા સહિત રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy