SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : વિદ્યાર્થી સંતાડીને કન્યાને હળના અગ્રભાગે મૂકી દીધી. પછી ‘ આ કન્યા હળ વડે જમીનમાંથી કાઢવામાં આવી છે ’ એ પ્રમાણે રાજાને નિવેદન કરવામાં આવ્યું. એ પુત્રી ધારિણી દેવીને આપવામાં આવી, અને ચંદ્રલેખાની જેમ વૃદ્ધિ પામતી એવી તે, લેાકાનાં નયના અને મનનું હરણ કરનાર થઈ. પછી · તે રૂપસ્વિની છે’ એમ વિચારીને પિતા જનકે સ્વયંવરના આદેશ કર્યો. ઘણા રાજપુત્રા એકત્ર થયા. તે સમયે (તે કન્યા ) સીતા રામને વરી. બીજા કુમારીને પણ ધનસંપત્તિ સહિત કન્યાઓ આપવામાં આવી. તેમને લઈને દશરથ પેાતાના નગરમાં આવ્યા. "" પૂર્વે સ્વજનના ઉપચારમાં વિચક્ષણ એવી કૈકેયી વડે સતાષાયેલા રાજાએ તેને કહ્યું હતું કે, “ તું વર માગ. તેણે કહ્યું, “હમણાં મારા વર ભલે રહ્યો; કામ પડતાં માગીશ. ” ફરી એક વાર દશરથને સીમાડાના રાજા સાથે વિરાધ થયા. તેમની વચ્ચે યુદ્ધ થતાં ( દશરથ ) પકડાયા. દેવી કૈકેયીને કહેવામાં આવ્યું કે, “ રાજા પકડાયા છે, માટે તમે ચાલ્યાં જાઆ. ” તે ખેલી, “ શત્રુ જો પ્રયત્ન કરશે તે આપણે નાસી જશું તેા પણુ પકડાઇશું; માટે હું પાતે જ યુદ્ધ કરીશ. હું હારી નથી ત્યાં સુધી કાણુ ભાગ્યું ગણાય ? ” એમ કહીને કવચ પહેરી, રથમાં બેસી, જેના ઉપર છત્ર ધરવામાં આવ્યું છે એવી તે યુદ્ધ કરવા લાગી. જે પાછે! હઠે તેને મારા ' એમ ખેલતી તે શત્રુસૈન્યના પરાભવ કરવા લાગી. પછી અનુરાગ વડે પેાતાનું પરાક્રમ દર્શાવતા ચાદ્ધાએ યુદ્ધ કરવા લાગ્યા. ચાદ્ધાઓને તે પ્રીતિદાન–સરપાવ આપવા લાગી. આ પ્રમાણે દેવીએ શત્રુસૈન્યના પરાજય કરીને છેડાવેલા દશરથ કહેવા લાગ્યા, “ દેવી ! તારું કામ ઉત્તમ પુરુષના જેવું છે; માટે વર માગ. તે એલી, “ મારા બીજો વર પણ હમણાં ભલે રહ્યો; કામ પડતાં ,, ગ્રહણ કરીશ. ” ,, 66 આ પ્રમાણે ઘણાં વર્ષો જતાં તથા પુત્રા યુવાવસ્થામાં આવતાં વૃદ્ધ એવા દશરથ રાજાએ રામના અભિષેકની આજ્ઞા કરી કે “ અભિષેકની તૈયારી કરી. કુબ્જા મથરાએ આ ખબર કૈકેયીને આપી; એટલે તેણે મંથરાને પ્રીતિસૂચક આભરણુ આપ્યું. મથરાએ દૈવી કૈકેયીને કહ્યું, વિષાદ પામવા લાયક વસ્તુ પરત્વે તું આન ંદિત થાય છે; ‘હું અપમાનના સાગરમાં ડૂબું છું' એમ તું જાણતી નથી. કૌશલ્યા અને રામની તારે ચિરકાળ સેવા કરવી પડશે; તેનું આપેલું ખાવું પડશે. માટે માહુ ન પામ, રાજાએ પૂર્વે તને એ વર આપેલા છે; તે વડે ભરતના અભિષેક અને રામના વનમાં પ્રવાસ એ એ વસ્તુ તું માગ. પછી મંથરાના વચનથી કૈકેયી કુપિતાનના-કેપ પામેલા મુખવાળી બનીને કાપઘરમાં પ્રવેશી. દશરથે આ સાંભળ્યું. તે કૈકેયીને મનાવવા માંડ્યા, પણ તેણે કાપ ક્યો નહીં. દશરથે તેને કહ્યું, “ કહે, શું કરું ? કૈકેયી મેલી, “ તમે વર આપેલા છે; જો સત્યવાદી હૈ। તા તે મને આપે. ” રાજાએ કહ્યુ, ,, 66 માલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy