SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - મદનગા સંભક [ ૩૧૩ ] સર્વ સિન્યને દઢ કરવાને માટે મંત્રણા કરી. પુંડરીકિણ વાવમાં આયુધ રાખ્યાં. વિદ્યાધરોએ કહ્યું, “અમર એવા અમારાવડે (જીવતાં સુધી) બલિસ્વામીને ત્યાગ કરાય નહીં. આ પર્વતમાં અનમિત–નહીં નમેલે એ સિદ્ધાર્થ પાદપ છે, અને તે પાદપ-સંતતિને ધારણ કરે છે. આ નંદીઘષા શિલા પણ યોગ્ય છે.” જેઓ પરમાર્થ–સાચી વસ્તુ જાણે છે તેઓએ અમૃતની ઉત્પત્તિની કૃતિ વિસ્તારેલી છે. રામાયણ તે બલિ રાજાના વંશમાં સહસ્ત્રગ્રીવ રાજા થયે, તેને પુત્ર પંચશતગ્રીવ થયે, પછી શતગ્રીવ, પછી પંચાશથીવ, પછી વિંશતિગ્રીવ, અને પછી દશગ્રીવ થયે, જે રાવણ તરીકે પ્રસિદ્ધ છે. વિંશતિગ્રીવ રાજાની ચાર પત્નીઓ હતી–દેવવર્ણની, વક્રા, કૈકેયી અને પુષ્પકૂટા. દેવવનીના ચાર પુત્રો હતા–સેમ, વરુણ, યમ અને વૈશ્રમણ. કેકેયીને રાવણ, કુંભકર્ણ અને વિભીષણ (એ ત્રણ પુત્ર) તથા ત્રિજટા અને સૂર્પણખા એ બે પુત્રીઓ હતી. વક્રાના મહાદર, મહાથે મહાપાશ, અને ખર (એ ચાર પુત્રો) તથા આશાલિકા પુત્રી હતી. પુષ્પકૂટાના ત્રિસાર, કિંસાર અને વિદ્યુજિહ્ન એ પુત્ર અને કુંભનાસા કન્યા હતી. પછી રાવણ સોમ-ચમાદિના વિરોધવડે કરીને સપરિવાર નીકળે અને લંકાદ્વિીપમાં વસ્યું. પછી તેણે પ્રજ્ઞપ્તિ-વિદ્યા સાધી, એટલે તેને વિદ્યાધર સામંત નમ્યા. એ પ્રમાણે લંકાપુરીમાં જ તેની સ્થિરતા થઈ. ત્યાં રહેલા એવા તેની વિદ્યારે સેવા કરવા લાગ્યા. કોઈ એક વાર મગ નામે વિદ્યાધર પિતાની મંદોદરી નામે પુત્રીને લઈને સેવાપૂર્વક રાવણની પાસે ઉપસ્થિત થયે. એ કન્યા લક્ષણવિદેને બતાવવામાં આવી. તેઓએ કહ્યું, “જે આને પ્રથમ ગર્ભ થશે તે કુલના ક્ષયના કારણરૂપ થશે. ” પણ અતીવ રૂપવાન હોવાથી રાવણે તેને ત્યાગ કર્યો નહીં. “પહેલા જન્મેલા બાળકનો ત્યાગ કરીશું” એમ કરીને તેની સાથે વિવાહ કર્યો. અનુક્રમે તે મંદદરી (રાવણની રાણીઓમાં) મુખ્ય થઈ. આ તરફ, અયોધ્યા નગરીમાં દશરથ રાજા હતા. તેને ત્રણ ભાર્યાઓ હતી-કૌશલ્યા, કેકેયી અને સુમિત્રા. કોશલ્યાના પુત્ર રામ, સુમિત્રાને લક્ષમણ અને કેકેયીના ભરત-શત્રુઘ હતા. દેવ જેવા રૂપાળા તેઓ પોતાના પિતાના ઘરમાં મોટા થયા હતા. રાવણની પટ્ટરાણ મંદોદરીએ પુત્રીને જન્મ આપે. પછી તે પુત્રીને રત્નભરેલી પેટીમાં મૂકવામાં આવી, અને મદદરીએ અમાત્યને કહ્યું, “જાઓ, આને ત્યાગ કરો.” તેણે મિથિલામાં જનકરાજાની ઉદ્યાન-ભૂમિ જ્યારે સજજ થતી હતી ત્યારે તિરસકરણી ૧. અહીં છેલ્લી ચાર-પાંચ પંક્તિઓમાં બધી વસ્તુ નિક્તિગાથાઓની જેમ અતિ સંક્ષેપમાં વર્ણવેલી છે, અને તેથી અર્થ અસ્પષ્ટ રહી જાય છે. ૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy