SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ २६ સં. પાર્શ્વ-ગુ. “પાસે '(કાઠિયાવાડમાં), એ સપ્તમી એકવચનનું રૂપ છે. આ સાનુનાસિક રૂપ આચાર્ય હેમચન્દ્ર આપ્યું નથી; પણ પછીના સાહિત્યમાં તેને પ્રયોગ વિપુલ પ્રમાણમાં છે. અi<{. રાયને પણ સપ્તમી એકવચનનું એજ પ્રકારનું રૂપ છે. આમ આ ગ્રંથમાંનું ઉપયુક્ત ચાર પંક્તિનું પદ્ય અને તેમાંના ચાર પ્રયોગો સાહિત્યિક અપભ્રંશના અભ્યાસમાં એક પ્રારંભિક સીમાચિહ્ન પૂરું પાડે છે. અલબત્ત, આ સાથે અપભ્રંશનાં બીજાં પણ પ્રારંભિક સીમાચિને તુલનાત્મક દૃષ્ટિએ જેવાં જોઈએઃ બૌદ્ધ કવિ અશ્વઘોષ (બીજી શતાબ્દી) ના “સારિપુત્રપ્રકરણમાં મશ્નો રૂપ છે, જે સં. મરચનું અપભ્રંશ રૂપ હોઈ શકે. ભાસ કવિના “પાંચરાત્ર’ નાટકમાં ગવાળના વાર્તાલાપની માગધીમાં અપભ્રંશને લાક્ષણિક હકાર મળે છે. ઉદાહરણ તરીકે–પૂઢમં હુ પુઓ સં. રાતમંદ: સૂર્યઃ | gવંશોધું વિવંત ગોઝા=સં. સર્વોઉં વિદ્યારિત ચૌરાઃ | જો કે કેટલાક વિદ્વાને આ રૂપ પર શંકા વ્યકત કરે છે. “કચ્છકટિક' (ચોથી અથવા છઠ્ઠી શતાબ્દી ) ના બીજા અંકમાં માથુર નામના પાત્રની માગધી બોલીમાં પણ અપભ્રંશને ૩કાર મળે છે. પહેલી અને આઠમી શતાબ્દી વચ્ચેના જુદા જુદા સમયમાં જેના જુદા જુદા અંશે રચાયા હોવાનું મનાય છે તે બૌદ્ધ ગ્રન્થ “ લલિતવિસ્તર” આખોયે અપભ્રંશમિશ્રિત સંસ્કૃતમાં (કહેવાતી “બૌદ્ધ સંસ્કૃતમાં છે.) સૌથી વધુ નોંધપાત્ર તે એ છે કે “ઉત્તરાધ્યયન' જેવા, પ્રાકૃત સાહિત્યના પણ સૌથી જૂના થરના ગ્રન્થમાં અછર્દિ સં. છત્તિ (વાસ અદ્દે મે ના રૂમે વચ્ચે સિળ વાર્દિ પંડુિં ચ સંનિદ્ધા ૨ સરછર્દિ # ૨૨-૧૬ ) એવું એક વિરલ, સાચું અપભ્રંશ રૂપે મળે છે તે બતાવે છે કે ઘણા પ્રાચીન કાળથી પ્રાકૃતની સાથોસાથ જ અપભ્રંશને પ્રવાહ પણ વહતે આવતું હતું. અને અપભ્રંશના પ્રવાહનું આ સાતત્ય જોતાં કાલિદાસના “વિક્રમોર્વશીય’ નાટકના ચોથા અંકમાંનાં અપભ્રંશ પધોને ક્ષેપક ગણવાનું જે સામાન્ય વલણ વિદ્વાનોમાં ચાલુ રહેલું છે તેને હવે સ્વીકારવું કે કેમ એ પ્રશ્ન થાય છે. વસુદેવ-હિંડી ” અને આર્ષ પ્રાકૃતના બીજા ગ્રન્થની ભાષાનું એક નોંધપાત્ર લક્ષણ તેમાં નજરે પડતી “ત શ્રતિ” છે. આર્ષ પ્રાકતની એક ખાસ વિશેષતા એ છે કે જેમ સાધારણ પ્રાકૃતમાં અનાદિસ્થ અને અસંયુક્ત એવા ૧, ૪, ૨, , , ૮, ૧, ૨, ૨ અને ૫ પામે છે અને તેને બદલે કેટલાક પ્રયોગોમાં “શ્રતિ” થાય છે અને કેટલાક પ્રયોગોમાં ઉદવૃત્ત સ્વર–શેષ સ્વર-કાયમ રહે છે તેમ આ પ્રાકતમાં થતું નથી. તેમાં તે કેટલાક પ્રયોગોમાં તે વ્યંજને કાયમ રહે છે, કેટલાક પ્રયાગોમાં તે તે વ્યંજનોને બદલે કોઈ બીજા જ વ્યંજને સંભળાય છે અને વધારે પ્રયોગોમાં તે બધા વ્યંજનાને બદલે “ત્ત શ્રેતિ' સંભળાય છે.”૨૩ અનાદિમાં રહેલા અસંયુક્ત વ્યંજને પાલીમાં કાયમ રહે છે તેમ આ પ્રાકૃતમાં પણ તેવા અનેક પ્રયોગોમાં સંસ્કૃતવત્ અવિકૃત રહેલા માલૂમ પડે છે. ૨૪ પાલીની જેમ આર્ષ પ્રાકતમાં પણ વ્યંજનોને ઘસારો પ્રમાણમાં ઓછા છે; એ વિષયમાં બનેની સમાનતા છે. પરંતુ ઉપર કહી તેવી “ત શ્રુતિ ”ને પાલીમાં સદંતર અભાવ હોઈ તે આ પ્રાકૃતની એક આગવી વિશિષ્ટતા છે. ' '૨૩. પં. બેચરદાસ દેશીકૃત “ ગુજરાતી ભાષાની ઉત્કાન્તિ, પૃ. ૧૧૦ ૨૪. આ પ્રકારના પ્રયોગો “વસુદેવ-હિં ડી'માં પણ પુષ્કળ છે. તેમાંથી ઉદાહરણ રૂપે થોડાક જોઈએ: વિતરું (૧૯૦-૨૬), ૩વાતો (૨૨૫-૧૪ અને ૨૯), મિતપુ (૨૨૫-૧૩), વઢાવિત (૨૦૫-૧), વરિતો (૨૦૪૨૫), માતો (૩૫૬-૧૬), નિમિતં (૩૫૬-૧૬), મત્તwોવિઝા (૧૨૩-૨), રવાના (૧૨૩-૧૪), ઇત્યાદિ. બાજ વ્યંજનોની તુલનાએ અષ* પ્રાકતમાં તે મેડો ઘસા હોય એમ જણાય છે. તકારપ્રધાન ભાષાની એ અસર હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy