SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૧૯ ] શત્રુને મારો અને સ્વજનનું રક્ષણ કરવું. આ રુકિમણી દેવીથી થયેલ તમારો પુત્ર છે અને આજે નારદ તેને અહીં લાવ્યા છે. નારદના કહેવાથી જ તેણે દેવીનું હરણ કર્યું છે.” આ સાંભળીને શાન્ત થયેલા કૃષ્ણ “પ્રિય વસ્તુનું નિવેદન કરનાર એવા તારી પૂજા કરીશ” એમ બેલીને પ્રધુમ્નને પ્રીતિથી જાણે કે પીતા હોય તેમ ઊભા રહ્યા. નારદે પ્રદ્યુમ્નને કહ્યું, “પ્રદ્યુમ્ન ! ચક્રરને રહસ્ય ખેલી દીધું છે, માટે પિતા પાસે જા.” પછી નારદ સહિત પ્રદ્યુમ્ન પિતા પાસે ગયે. પ્રણામ કરતા તેને અશુપૂર્ણ નયનવાળા પિતાએ ખેળામાં બેસાડ્યો અને તેનું માથું સૂછ્યું, મહાફળ આપનાર આશીર્વાદથી તેનું અભિનંદન કર્યું અને ભારે ઠાઠમાઠથી તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. કુલવૃદ્ધો અને યાદવ રાજાઓની નયનમાલાઓ વડે જાણે કે ગ્રહણ કરાતા રૂપવાળે તે પ્રધુમ્ન, આદિત્યયશ જેમ ભારતના ઘરમાં પ્રવેશે તેમ, રુકિમણના ઘરમાં પ્રવે. તેને યુવરાજ તરીકે અભિષેક કરવામાં આવ્યો. દુર્યોધન રાજાની પુત્રીનું તેણે ભાનુ સાથે લગ્ન કરવાની રજા આપી. શરમાઈ ગયેલી સત્યભામાએ પણ તેનો સત્કાર કર્યો. પછી દ્વારવતીના લોકો વડે “ આ પ્રદ્યુમ્ન રૂપાળ, તેજસ્વી, વિનીત, પ્રિયભાષી, સત્વયુક્ત, શરણ લેવા લાયક અને દાતા છે” એ પ્રમાણે પ્રશંસા પામતો તે સુખપૂર્વક રહેવા લાગ્યો. તેની ઈચ્છા નહીં હોવા છતાં, અત્યંત પ્રસન્ન થયેલા કૃણે વિદ્યાધર અને માનવ રાજાઓની સમાન યૌવન અને ગુણવાળી કન્યાઓ સાથે તેનું લગ્ન કરાવ્યું. પ્રાસાદમાં વસતે તે પ્રદ્યુમ્ન દેશૃંદુક દેવની જેમ ભેગ ભેગવતો સુખપૂર્વક રહેવા લાગ્યા. સાંબકુમારને જન્મ એકવાર કૃષ્ણ સત્યભામાને ઘેર ગયા હતા ત્યારે સત્યભામાએ તેમને વિનંતિ કરી, “દેવ! જે સ્ત્રી પતિની માનીતી નથી હોતી તેનાં બાળકો મંદ રૂપવાળાં અને નિસ્તેજ થાય છે. જે સ્ત્રી પતિને વહાલી હોય છે તેનાં સંતાનો પતિના જેવા જ રૂપ અને ગુણવાળાં થાય છે. હું તમને અણમાનીતી છું અને રુકિમણી માનીતી છે, આથી ત્રણ સમુદ્રોવડે વીંટળાયેલી આ પૃથ્વીના તિલક સમાન પુત્ર તમે તેને આગે.” કૃણે કહ્યું, દેવિ ! એમ ન કહે. આખા અંત:પુરમાં તું યેષ્ઠ છે. આવું શું કામ બેલે છે ? ” એટલે સત્યભામાએ કહ્યું, “જે એમ હોય તો પ્રદ્યુમ્ન જેવો પુત્ર મને આપો.” કૃષ્ણ બેલ્યા, “દેવિ ! જે તારી આવી ઈચ્છા હોય તો હું હરિગમેષ દેવની આરાધના કરીશ, જેથી તારે મરથ સફળ થશે.” પછી કુલવૃદ્ધાને જણાવીને કૃષ્ણ અષ્ટમ ભક્ત કરીને પૌષધશાળામાં બેઠા. આકંપિત થયેલે દેવ બે, “જે માટે મારું સ્મરણ કર્યું છે તે વરદાન માંગ.” કૃણે કહ્યું, “દેવી સત્યભામા પ્રદ્યુમ્ન જેવો પુત્ર માંગે છે, માટે કૃપા કરે.” હરિગમેષીએ કહ્યું, “જે દેવી સાથે તમારે પ્રથમ સમાગમ થશે તેને પ્રદ્યુમ્ન જે પુત્ર થશે. આ હાર તમારે તે દેવીને આપ.” આમ કહીને દેવ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy