SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] વસુદેવ–હિંડી: : પ્રથમ ખંડ : વાળ પેાતાના હાથમાં લીધા છે એવા તે હજામા દાસીઓના ઉપહાસ પામતા ત્યાંથી ચાલ્યા ગયા. ! : એ પછી નારદ ત્યાં આવ્યા. રુકિમણીએ તેમને કહ્યુ, “ આ તમે જૂઠા પડ્યા છેા. ’ નારદ એલ્યા, “ દેવિ ! જો પાસે જ બેઠેલા પુત્રને તમે ઓળખી ન શકે। તા ખીજું શુ થાય ? ” પછી પ્રદ્યુમ્ને પેાતાનું ખરું રૂપ બતાવ્યું અને અશ્રુપૂર્ણ નયનવાળા તે માતાને પગે પડ્યો. ઘણા કાળથી રૂંધાયેલાં આંસુ સારતી માતાએ તેને આલિંગન આપ્યું, “હું પુત્ર! તું ભલે આવ્યા, હજારો વર્ષ સુધી તુ જીવજે. ” એ પ્રમાણે તેને આશીર્વાદ આપ્યા અને ખેાળામાં બેસાડીને મુખમાં સ્તન આપ્યા. દેવીની દાસીએ પણુ પગે પડીને રડવા લાગી. નારદે કહ્યું, “ કાલાહલ કરશે! નહીં. કુમાર ! સામાન્ય માણસની જેમ પિતાની પાસે જવુ' તારે માટે ચૈગ્ય નથી. '' પ્રદ્યુમ્ન પૂછ્યું, “ તા કેવી રીતે જવું ? ” નારદે ઉત્તર આપ્યા, “ દેવીનુ હરણુ કર, પછી યાદવામાં ચંદ્ર સમાન કૃષ્ણના પરાજય કરીને. સૈા જાણે તેવી રીતે કુલવૃદ્ધોને વંદન કરજે. '' રુકિમણીએ કહ્યું, ૮ આર્ય ! યાદવા બળવાન છે. રખેને કુમારને શરીરપીડા ન થાય, માટે આવું ન એલશેા. ” નારદ એલ્યા, “ દૈવિ ! તમે કુમારના પ્રભાવ જાણતાં નથી. પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે રક્ષાયેલે તે પેાતાના પરાક્રમથી અને મારી સહાયથી સર્વ રાજાએ સાથે યુદ્ધ કરવાને સમર્થ છે, તેા માત્ર યાદવેાની શી વીસાત? માટે ડરશે! નહીં. એમ કરવાથી પિતા– પુત્રના ઉજજવળ મેળાપ થશે. ” નારદના અભિપ્રાયને અનુકૂળ થયેલી રુકિમણીએ પણુ આ વસ્તુ માન્ય રાખી. પછી નારદે રથ વિકુબ્યો. એમાં પરિચારિકાએ સાથે રુકિમણી બેઠી. મેાટા સાદથી નારદે ઘેષણા કરી કે, “ રુકિમણીનું હરણ થાય છે, માટે ખળ દર્શાવીને રાકેા. ” એ સાંભળીને હાથી, ઘેાડા અને રથ સાથે યાદવ ચાન્દ્રાએ નીકળ્યા. પ્રકૃમિ વિદ્યાના પ્રભાવથી પ્રદ્યુમ્ને ઘેાડા અને હાથીને નિર્મૂળ કરી નાખ્યા અને આયુધાને નિષ્ફળ બનાવ્યાં. આ પ્રમાણે તેને પરાજય કરવાને અસમર્થ એવા યાદવે! રથ વગરના થઇને પ્રેક્ષકાની જેમ ઊભા રહ્યા. પછી કૃષ્ણ આવ્યા અને તેમણે શંખ હાથમાં લીધેા. પ્રદ્યુમ્ને પ્રજ્ઞપ્તિને આજ્ઞા આપી કે, “ શંખ ધૂળથી ભરી દે. ” આથી શંખ વાગી શકયા નહીં. પછી કૃષ્ણે પ્રદ્યુમ્નને ખાણુ વડે ઢાંકી દેવા માંડ્યા, પણ પ્રદ્યુમ્ને ક્ષુરપ્ર અને અર્ધચંદ્ર માણેાથી એ માણેાના ટુકડેટુકડા કરી નાખ્યા. રાષ પામેલા કૃષ્ણે ચક્ર મૂકયુ. એટલે ભયભીત થયેલી રુકિમણીને નારદે કહ્યુ, “ વિષાદ ન કરશે. કુમારના શરીરને ચક્ર કઈ નુકશાન નહીં કરી શકે. ” સુદર્શન ચક્ર પણ પ્રદ્યુમ્નના રથને પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું. કૃષ્ણે તેને પૂછ્યું, “ કાર્ય સિદ્ધ કર્યા સિવાય મારી પાસે કેમ પાછું આવે છે ? ” ચક્રના અધિષ્ઠાયક યક્ષે ઉત્તર આપ્યા કે, “ દેવ ! ક્રોધ કરશેા નહીં. આયુધરત્નાના એ ધર્મ છે કે સ્વામીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy