SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ વેગવતી લંભક [ ૨૯૩ ] વેગવતીનું પાણિગ્રહણ ત્રીજા દિવસે સોમશ્રીથી જેનું હૃદય ગ્રહણ કરાયેલું છે એવો હું “અશોકવનિકામાં જ્યાં તેની સાથે અગાઉ ક્રીડાઓ કરેલી છે તે પ્રદેશથી અવશ્ય મારો શોક દૂર થશે” એમ બોલતો હતો ત્યાં પ્રસન્ન મુખવાળી પ્રિયાને મેં જોઈ. હું તેની પાસે ગયો અને હર્ષથી જેની આંખ વિકસિત થયેલી છે એવા મેં તેને દોરી જઈને કહ્યું, “સુન્દરિ ! શા માટે તું વિના કારણ કે પાયમાન થઈ હતી? કૃપા કર, જેથી મને તારા અદર્શનની પીડા ન થાય. આ હું તને પ્રણામ કરું છું. હવે કેપનો ત્યાગ કર.” તે બોલી, “આર્યપુત્ર! હું તમારી સાથે કોપેલી નથી. તમને અને પરિજનોને મેં દર્શન ન દીધું તેનું કારણું સાંભળો. મેં પૂર્વે નિયમોપવાસની પ્રતિજ્ઞા કરી હતી. તેમાં મૌન ધારણ કરીને રહેવાનું હતું તથા પ્રિયજનની સાથે પણ બોલવાનું નહોતું. તે મારું વ્રત તમારા ચરણની કૃપાથી પૂર્ણ થયું છે. એ નિયમનું રક્ષણ કરવામાં પરાયણ રહીને મારે બ્રહ્મચર્ય સેવવાનુ હતું, માટે એ બાબતને તમારે અપરાધરૂપ ગણવી નહીં. ” મેં કહ્યું “પ્રિયે! પ્રિય જનની ખલનામાં તારો અપરાધ ન ગણાય. (અર્થાત તું કે જે પ્રિયજન છે તેની ખલના અપરાધ ન ગણાય.) કહે, શું કરું ? ” તે બોલી, “ આ વ્રતમાં વિવાહBતુકનું સર્વ કર્મ કરવું પડે છે, તેનું ઉદ્યાપન એ રીતે થાય છે. ” મેં કહ્યું “તું આજ્ઞા આપે છે તે સર્વ ભલે થાય.” આ પ્રિય વસ્તુ રાજાને તથા દેવીને જણાવવામાં આવી કે, “ કુમારી જડી છે. ” પછી ચોરી તૈયાર કરવામાં આવી, તથા દૂર્વા, દર્ભ અને સરસવ આદિ મંગલ દ્રવ્ય પણ લાવવામાં આવ્યાં. પછી તેણુએ પિતે અગ્નિમાં હોમ કર્યો તથા જળથી ભરેલા ચાર કળશ ચારે દિશામાં મૂક્યા. પછી દાસીઓએ મંગલ ગીત ગાયાં. તેણે પોતે કળશ ઉપાડીને પિતાના તેમજ મારા ઉપર ઢળ્યા. પછી હાસ્ય કરતી તે બોલવા લાગી, “સોમ, યમ, વરુણ, વેશ્રમણ એ લોકપાલે, ઉપવન-દેવતાઓ તથા પરિજનો ! સાંભળો—હું આર્યપુત્રની ભાર્યા છું. આજથી તે મારા દેવ છે અને મારા જીવન ઉપર તેમને અધિકાર છે.” વરના વેશમાં રહેલા મેં પણ વધૂના વેશવાળી તેને ઉત્તમ લક્ષણવાળ જમણે હાથ ગ્રહણ કર્યો. અગ્નિની આસપાસ અમે ફેરા ફર્યા. પછી હું (તેની સાથે મારે ઘેર આવ્યું. પછી તેણીએ દાસટીઓને આજ્ઞા આપી, “દકના થાળ તથા મધ, પુષ્પ અને ગંધ લા.” બોલતાંની સાથે જ તેઓ તે વસ્તુઓ લાવી. પછી વાસગૃહનાં દ્વાર બંધ કરીને તેણીએ વેત કુસુમ વડે કઈ દેવતાની સ્થાપના કરી તથા તેનું અર્ચન કર્યું. ઉત્સાહપૂર્ણ મનવાળી તે રાત્રે આવી અને મને કહેવા લાગી. “આર્ય. પુત્ર! દેવતાના શેષ મોદક લાવવામાં આવ્યા છે તે ખાવાને તમે યોગ્ય છો. ” તેની અનુમતિથી તે મેં મુખમાં મૂકયા. તેથી મારું શરીર ઠંડું થયું અને મારું મન શાન્ત થયું. પછી મધથી ભરેલું પાત્ર તેણે ઊંચું કરીને કહ્યું, “પીઓ. ” મેં કહ્યું, “પ્રિયે ! ગુરુજ એ જેની અનુજ્ઞા આપી નથી એવું મ નહીં પીઉં. ” તે બોલી, “એમાં નિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy