SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૪ ] વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ : અને વરસાદના ત્રાસને શી રીતે સહન કર્યો હશે ? ” એ પ્રમાણે કરુણું વચન બોલતી દેવીઓએ બાહુબલિને વંદન કર્યું. તેમણે (બાબલિના શરીર ઉપર વીંટાયેલી) વેલે ઉખાડી. જાણે કે પ્રત્યક્ષ સરસ્વતી હોય એવી બ્રાહ્મીએ બાહુબલિને કહ્યું, “ જેકાર્ય ! તાત આજ્ઞા કરે છે કે–જે માન રાખે તેને કેવલજ્ઞાન થતું નથી. માટે તીર્થકરની પાસે જાઓ. ” વિશુદ્ધ વેશ્યાવાળા બાહુબલિના શ્રવણમાં આ વચન અમૃતની જેમ પ્રવેશ્ય. ત્રિકના ગુરુના ચરણમાં હું ન ગયે, એ મેં બેટું કર્યું એમ વિચાર કરતા બાહુબલિ અપૂર્વકરણમાં પ્રવેશ્યા. જેમને મહાવરણને અંતરાય ચલિત થયો છે એવા તેમણે પગ ઊપાડ્યો તે સમયે તેમને કેવલજ્ઞાન થયું. બ્રાહ્મીએ અને રાણીએાએ તેમને વંદન કર્યું. પાસે રહેલા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, અને તેઓ શ્રવણમધુર સ્તુતિ કરવા લાગ્યા. સર્વજ્ઞ બાહુબલિ પણ ભગવાન રાષભસ્વામી પાસે ગયા, અને કેવલીની પર્ષદામાં પ્રવેશ્યા. જેણે પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે એવી બ્રાહ્મી પણ તીર્થકરના ચરણ સમીપ ગઈ. એક વાર (ભરતના પુત્ર) આદિત્યયશ અને (બાહુબલિના પુત્ર) સોમપ્રભ પરસ્પર સંકેત કર્યો, “બધા રાજાઓ આપણું સેવકે છે, માટે તેમને જે આપણે પુત્રીઓ આપશું તે તેઓ ગર્વિત થઈ જશે માટે આપણે બે કુળ ભલે મુખ્ય રહે, આપણે પરસ્પરને કન્યાદાન આપીએ તે સારું થશે.” પછી બાહુબલિના વંશમાં અજિત, જય, સંજય, વિજય, વૈજયંત, શંખ, મેઘરથ, સમબિન્દુ, ધુંધુમાર આદિ અસંખ્યય રાજાઓ થઈ ગયા, તેમજ સનકુમાર, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, સુબૂમ એ ચક્રવતીએ તથા તદ્દભવક્ષગામી (અન્ય) રાજાઓ પણ થઈ ગયા. તે પછી બાહુબલિના પ્રસિદ્ધ વંશમાં તૃણપંગુ નામે રાજા થયે. તેની હું બહેન છું. તારા પિતા અયોધનની બહેન સત્યયશા તે તૃણપંગુ રાજાની મહાદેવી હતી. તેને પુત્ર મધુપિંગલ નામે રાજા થયે. હે પુત્રિ! એ પ્રમાણે સમય જતાં ભરત-બાહુબલિના વંશની કન્યાઓનું લગ્ન અરસપરસના કુળમાં જ થવા લાગ્યું. તે પણ પ્રથમ ચક્રવતી ભારતના વંશમાં થયેલી છે, પણ કોણ જાણે રૂપથી મોહ પામીને તું કોને વરીશ-આ વિચાર થવાથી હું રડતી હતી.” ત્યારે સુલતાએ દિતિ દેવીને કહ્યું, “માતા! મારાથી કુલધર્મને વિનાશ નહીં થાય. સર્વ રાજાઓમાંથી હું મધુપિંગલને જ વરીશ.” આ સાંભળીને મંદિરો પ્રતિહારી “આ સત્ય હકીકત છે” વિચારીને થોડેક દૂરથી પાછી વળી દિતિદેવી પાસે ગઈ. દિતિએ પોતાના ભવનમાં લઈ જઈને તેનો સત્કાર કર્યો તથા વિદાય આપી. તેણે જઈને સગરને કહ્યું, “દેવ! સ્વયંવરનું નિર્માણ થયું છે.” સગરે પૂછયું, “કેવી રીતે?” એટલે તેણે સાંભળ્યું હતું તે બધું કહ્યું. “એ કન્યા કેવી છે?” એમ સગરે પ્રશ્ન કરતાં મદદરી બોલી, “એ તે ત્રિલેકસુન્દરી છે. એક જીભથી તેનું વર્ણન કરવાને પણ હું સમર્થ નથી. લક્ષમી પણ જે તેના જેવી હોય તે કૃતાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy