SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - સેમી લંભક [૨૪૫] થાય એવી મારી કલ્પના છે. દેવાંગનાઓને પણ તે કન્યા વિસ્મય પમાડનાર છે.” જેમ જેમ મર્દોદરી સુલસાના રૂપતિશયનું વર્ણન કરવા લાગી તેમ તેમ સગર કામદેવના બાણનું નિશાન બનવા લાગે. પછી સગરે વિશ્વભૂતિ પુરોહિતને એકાન્તમાં કહ્યું, “તુલસા કન્યા જે મારી પત્ની ન થાય તે મારું રાજ્ય અને રાજત્વ શા કામનું ? મારું જીવન પણ શા કામનું? એ કન્યા ન મળે તે હું ભગ્નમરથ થઈ જાઉં. માટે વિચાર કરો કે એ મારા હાથમાં કેવી રીતે આવે? પરાક્રમથી કે યુક્તિથી ?” પુરોહિતે કહ્યું, “હે રાજા! સાંભળ, જે તું બળાત્કારે કન્યાનું હરણ કરીશ તો રાજાઓના સમૂહથી બાલ્દા ગણાઈશ. તુલસા કન્યા તને મળે એવો ઉપાય હું વિચારું છું. તું બિમારીને ટૅગ કર, એટલે સ્વયંવરને દિવસ મુલત્વી રહેશે. યુક્તિ કરવાની પણ સારી તક રહેશે. “અધિરાજા સગર બિમાર છે” એમ જાણીને અયોધન રાજા તથા એકત્ર થયેલા ક્ષત્રિયે દિલગીર થશે.” પછી વિશ્વભૂતિની સૂચના અનુસાર સગરે બિમારપણું દર્શાવ્યું. પુરોહિતે નાનકડાં તામ્રપત્ર ઉપર રાજાનાં લક્ષણ લખાવીને ત્રિફળાંના રસથી પત્રને કાળાં કરીને તે પુસ્તક (પત્રો) તાંબાના વાસણમાં મૂકયું, અને તે વાસણ નગરની બહાર દૂર્વાપીઠની નીચે દાઢ્યું. વિશ્વભૂતિની સૂચના અનુસાર, એકત્ર થયેલા રાજાઓને સગરે કહેવરાવ્યું કે, “હું સમર્થ થાઉં ત્યાં સુધી તમે ભેગા મળી કીર્તિને માટે કોઈ પ્રદેશમાં વાવ અને પુષ્કરિણીઓ દા.” “ભલે, એમ થાઓ” એમ કહીને સવે એ તે વચન સ્વીકાર્યું. વિશ્વભૂતિએ જલ-નિધાનવાળી જમીન બતાવીને કહ્યું, “અહીં પાણું નજીકમાં જ નીકળશે.” ત્યાં ખોદવામાં આવતાં કલશ જેવામાં આવ્યું. રાજાની પાસે તે લાવ્યા. “એમાં શું હશે?” એમ કરીને તે ઊઘાડવામાં આવતાં તેમાંથી પુસ્તક (તામ્રપત્રો) નીકળ્યું. “કર્કસ, આમાં નિધિનું પરિમાણ લખેલું હશે” એમ (સએ) વિચારી તે પુસ્તક ઉઘાડ્યું અને સાફ કરીને વિશ્વભૂતિએ તે વાંચ્યું. તેમાં લખ્યું હતું કે– “પિતનપુરના અધિપતિ જયશત્રુ રાજાએ કંકત્રષિને પૂછ્યું હતું, “ભગવન્! જય નામે ચક્રવતી વ્યતીત થઈ ગયો છે, હવે આગામી યુગમાં કેવા પ્રકારના રાજાઓ થશે?” ત્રષિએ ઉત્તર આપે, “ સાકેતન અધિપતિ સગર રાજા થશે.” તેની લક્ષણયુક્ત શરીરાકૃતિનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. (ત્રષિએ આગળ કહ્યું, “અધન રાજાની પુત્રી સુલસા નામે તેની પટ્ટરાણી થશે.” તેનું વર્ણન પણ મંદોદરીએ કહ્યા , પ્રમાણે કરવામાં આવ્યું હતું. જે જે દેશમાં જે મુખ્ય રાજાઓ હતા તેમનાં પણ જોયા પ્રમાણેનાં પ્રશસ્ત લક્ષણેનું વર્ણન એમાં કરેલું હતું, પરંતુ મધુપિંગલને તેમાં સર્વથા નિર્લક્ષણ અને કુબડા, કાણા, મૂળા, આંધળા, બહેરા અને ખંધાથી પણ અધમ અને કેઈની નજીકમાં પણ નહીં લાવવા લાયક એવો વર્ણવવામાં આવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy