SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ-હિંડી [ ૧૭ ] અર્ધરાત્રિના સમયે દેવગે ત્યાં થઈને જતા વિદ્યાધર-યુગલને અમારા પ્રત્યે અનુકંપા થઈ. યુગલ આકાશમાંથી નીચે ઊતર્યું. તેઓએ મને પૂછયું, “આ શાથી મરણ પામી છે?” મેં કહ્યું કે, “સપે દંશ કર્યો છે.” પછી સાનુકંપ વિદ્યાધરે “શા માટે સૂઈ રહી છે?” એમ બોલતાં શ્યામદત્તાને સ્પર્શ કર્યો, એટલે તે ઊભી થઈ. મેં પણ તે વિદ્યાધરને પ્રણામ કર્યા અને આકાશમાગે ઊડતાં ક્ષણવારમાં તે અદશ્ય થયે. અમે પણ દેવકુલ પાસે ગયાં. મેં સ્પામદત્તાને કહ્યું, “ તું ડરીશ નહીં; શેડીક વાર બેસ, ત્યાં સુધીમાં હું સમશાનમાંથી અગ્નિ લાવું.” પછી હું અગ્નિ લઈને આવ્યા. તે વખતે દેવકુલમાં મેં પ્રકાશ જે. આથી શ્યામદત્તાને મેં પૂછ્યું કે, “આ શેને પ્રકાશ છે?” તેણે જવાબ આપે કે, “તમારા હાથમાં રહેલા અગ્નિનો પ્રકાશ દેવકુલમાં પડેલો જણાય છે. ” પછી મેં કહ્યું, “તું તલવાર પકડ, એટલે હું દેવતા સળગાવું.” તેણે તલવાર પકડી, એટલે હું અગ્નિ સળગાવવા માંડ્યો. એવામાં તલવાર મારી આગળ પડી. એટલે મેં પૂછ્યું, “આ શું?” તેણે જવાબ આપે કે, “મને ગભરાટ થયે, એથી હાથમાંથી તલવાર પડી ગઈ. ” પછી દેવતા સળગાવીને અમે દેવકુલમાં પ્રવેશ્યાં અને ત્યાં રહ્યાં. આ પ્રમાણે રાત્રિ પસાર થઈ અને નિર્મળ પ્રભાત થયું. પછી પ્રભાતે મિત્ર, બાંધવ, સ્વજન અને પરિજન “સ્પામદત્તા સાજી થઈ ” એ સાંભળીને આનંદ પામ્યાં. હર્ષ પામેલાં અમે પણ દેવકુલમાંથી ઘેર આવ્યાં. શ્યામદત્તા સહિત મને જોઈને માતા ખૂબ રાજી થઈ. શ્યામદત્તાની સાથે વિષયસુખ અનુભવતો હું રહેવા લાગ્યા. પછી એક વાર રાજાએ મને આજ્ઞા આપી કે, “દશપુરમાં અમિત્રદમન રાજા પાસે દૂત તરીકે જા.” આ આજ્ઞા માથે ચડાવીને હું મારા પરિવારની સાથે દશપુર ગયે, નગરમાં પ્રવેશ્યા અને પ્રતિહારે મારા આગમનની ખબર આપતાં રાજાની પાસે ગયે. રાજાને હું મળે, પ્રણામ કરીને મને મળેલી સૂચના અનુસાર વિનંતી કરી તથા નજરાણું ધર્યા. મને મુકામ આપવામાં આવે તથા મારે સત્કાર કરવામાં આવ્યું. એ રીતે હું રહેવા લાગ્યા. ત્યાં એક વાર મધ્યાહ્નકાળે શાસ્ત્રમાં ઉપદેશેલી વિધિ પ્રમાણે, ત્રસપ્રાણુ અને બીજરહિત માર્ગ ઉપર યુગાન્તરદષ્ટિ (ગાડાના ઘૂસરા જેટલી-સાડા ત્રણ ડગલાં) રાખીને ચાલતા તથા તપથી કૃશ બનેલા બે સાધુઓ મારે ત્યાં ભિક્ષા લેવા માટે આવ્યા, અને સાધુને પ્રદેશમાં ઊભા રહ્યા. મેં તેમને પ્રણામ કરીને તત્કાળ હાજર હતા તે સાધુને યોગ્ય પ્રાસુક આહાર વહેરાવ્યું, એટલે તેઓ ત્યાંથી ગયા. પછી ફરી પાછા બીજા બે સાધુઓ આવ્યા. તેમને ભિક્ષા આપી, એટલે તેઓ પણ ગયા. મુહૂર્ત રહીને ત્રીજા બે સાધુએ આવ્યા. એટલે મેં વિચાર કર્યો કે, “શું આ લોકો માર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy