SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫૨ ] વસુદેવRsિ'ડી : : પ્રથમ ખંડ : ભૂમિમાં–ચક્રાયુધ મહર્ષિએ અનુગૃહીત કરેલી આ શિલા ઉપર જેએ જન્મ-મરણથી વિમુક્ત થયા છે એવા સંખ્યાતા કરાડ શ્રમણેા સિદ્ધિમાં ગયા છે. શ્રીઅરનાથનું ચરિત્ર પડ્યેાપમના ચેાથા ભાગ જેટલેા કાળ વ્યતીત થયા પછી શ્રીઅરનાથ અરિહંત ( જેમનું નામ એ ભવમાં ધનપતિ હતું) પૂવિદેહમાં મંગલાવતી વિજયમાં મહામાંડલિક–રાજ્યના ત્યાગ કરીને શ્રમણ થયા. અગીઆર અંગમાં વિશારદ એવા તે ઘણાં કરાડ વર્ષ સુધી તપ-સંયમ પાળીને, તીર્થંકરનામ-ગાત્ર કર્મ ઉપાર્જન કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરાપમ સુધી ઉત્તમ વિષયસુખ અનુભવ્યા પછી ચવીને— આ જ ભરતમાં હસ્તિનાપુર નગરમાં પ્રણામ કરતા જના વડે સુખપૂર્વક દર્શન કરવા લાયક, વિશુદ્ધ અને સમ્યક્ દનવાળા સુદર્શન રાજાની તીર્થંકરની વાણીની જેમ નિન્દનીય વસ્તુથી વર્જિત, ચંદ્રપ્રભા જેવા સ્વભાવવાળી, જેમાં સારી રીતે હેામ કરવામાં આવ્યે છે એવા હુતાશન-અગ્નિ જેવી તેજસ્વી, દેવીઓને પણ વિસ્મય પમાડનાર રૂપના ઉત્કર્ષ વાળી અને જેણે મહાપુરુષની ઉત્પત્તિ અને આગમન સૂચવનાર સ્વપ્ના જોયાં છે એવી દેવી નામે રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. નવ માસ પૂરા થયા અને દશમા શરૂ થયા, તારાધિપતિ ચન્દ્ર રેવતી નક્ષત્રના યેાગમાં આળ્યે અને પૂર્વદિશાના વદનમાં અલંકારરૂપે જીવ ( ગુરુગ્રહ ) રહેલા હતા તે સમયે જીવાને ઉપકારક શ્રીઅરનાથના જન્મ થયા. પછી હુ પામેલાં હૃદયવાળી દિશાદેવતાઓએ જેમનુ જાતકર્મ કર્યું છે એવા ભગવાનને સુરાધિપાએ ગિરિરાજ મનેારમ-મેરુના શિખર ઉપર લઇ જઈને તૌ કરાભિષેકથી તેમના અભિષેક કર્યા. સહસ્રનિધિ ઇન્દ્ર તેમને પાછા જન્મભવનમાં લાખ્યા. તેઓ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં રત્નમય અર્ ( ચક્રના આરા ) જોયા હતા, તેથી તેમનુ નામ ‘અર' પાડવામાં આવ્યું. દેવતાવડે પરિગૃહીત ભગવાન ઊછરતા હતા, પરિતાષથી વિકાસ પામતાં નયનવાળા ટાકા વડે તેઓ દર્શન કરાતા હતા. વાદળાંઓના ગહન પટલ જેના ઉપરથી ખસી ગયે છે એવા પૂર્ણ ચન્દ્ર સમાન સામ્ય વદનચંદ્રવાળા, ૧ભ્રમર સહિત એવાં સહસ્રપત્ર કમળ જેવાં નેત્રવાળા, મુખકમળને શાલા અર્પનાર બહુ ઊંચી નહીં એવી અને ઉત્તમ નાસિકાવાળા, વિદ્રુમવૃક્ષના પદ્મવ જેવા હાઠવાળા, મેાગરાની કળીઓ જેવા સ્નિગ્ધ દાંતવાળા, શ્રીવત્સ વડે અંકિત પહેાળા વક્ષ:સ્થળવાળા, ભુજંગની ફણાની ઉપમા આપી શકાય એવા ખાડુવાળા, મદમદ વાતા પવન વડે સહેજ નમેલા કમળ કમળની સુન્દર રેખા વડે અલ'કૃત હથેળીવાળા, સુરપતિ ઇન્દ્રના શસ્ર-વજ્ર સમાન મધ્યભાગવાળા, ખિડાયેલા કમળ સમાન ગંભીર ૧, અહીં સુમરિૐ હૈં હિવુદ્દો એ વાકયખંડના અર્થ સમજાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy