SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૯૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : દેવ વિદાય આપે એટલે પાછી મારા કૅકણવતંસક વિમાનમાં આવી હતી. હે માતા ! તે દેવ વડે લાલન કરાતી એવી મારાં આ પ્રમાણે ઘણું પોપમ વીતી ગયાં. એક વાર ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં અધ્યા નગરીમાં મુનિસુવ્રત અરિહંતના જન્મમહોત્સવમાં દેવે ગયા હતા; હું પણ મારા પ્રિયતમ સાથે ગઈ હતી. મહોત્સવ પૂરો થયે એટલે તે જ સમયે ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં દઢધર્મ અરિહંતને નિવણ-મહોત્સવ વિધિપૂર્વક કરીને દેવે પોતાના આવાસમાં પાછા વળ્યા. હું પણ મહાશુક્રના અધિપતિના સામાનિક દેવની સાથે મહાશુક્ર કપમાં ગઈ. વચમાં બ્રહ્મલોક કલ્પમાં, રિષ્ટ વિમાનના પ્રસ્તર પાસે, લોકાક્ષાટકના મધ્યમાં મારો તે હૃદયસ્વામી મેઘધનુષ્યના રંગની જેમ ક્ષણવારમાં નાશ પામ્યા. આથી મને દિશાઓ અંધકારમય લાગવા માંડી, મારી ઊર્વગતિ અટકી ગઈ. “મારે પ્રિયતમ સૂક્ષ્મ શરીર ધારણ કરીને ક્યાં ગયે હશે ?” એમ વિચાર કરતી તથા સનેહને કારણે તેને વેલે નહીં જાણતી એવી હું પાછી વળી અને જે માગે અમે આવ્યાં હતાં તે માગે તપાસ કરતી મલેકમાં જબૂદ્વીપના ઉત્તરકુરુમાં ભદ્રસાલ વનમાં મધ્યભાગના શિખર સમાન જિનમન્દિર આગળ પહોંચી. શોકગ્રસ્ત હોવા છતાં જિનપ્રતિમાને જેણે પ્રણામ કર્યા છે એવી મેં ત્યાં એક ભાગમાં પ્રીતિકર અને પ્રીતિદેવ નામના વિપુલ અવધિજ્ઞાની ચારણશ્રમને જોયા. તેમને વંદન કરીને મેં પૂછ્યું, “ભગવંત ! મારો નાથ ક્યાં ગયે હશે? અને તેની સાથે મારો સમાગમ ક્યારે થશે?” તેઓ કહેવા લાગ્યા, “હે દેવિ ! તારો એ દેવ સત્તર સાગરપમનું આયુષ્ય ક્ષીણ થતાં આવીને મનુષ્ય થયેલ છે. તું પણ વીને મહાપુર નગરમાં સમદેવ રાજાની પુત્રી થઈશ. ત્યાં તેની સાથે તારો સમાગમ થશે. હાથીના દષ્ટિપથમાં આવેલી અને જીવિતસંશયમાં રહેલી એવી તારું જે રક્ષણ કરે તે તારે પતિ ”—એ પ્રમાણે તેઓએ કહ્યું, એટલે હું મારા વિમાનમાં ગઈ. પછી તે દેવમાં જેને રાગ બંધાય છે એવી હું કેટલાક કાલ પછી ચવીને અહીં જન્મી. શ્રમણના કેવલજ્ઞાન પ્રસંગે આવેલા દેવાના ઉદ્યોતથી મને જાતિસ્મરણ થતાં હું મૂચ્છિત થઈ. ભાન આવતાં મને વિચાર થયો, “મને પિતાએ સ્વયંવર આપ્યો છે, રાજાએ એકત્ર થયા છે, માટે મારે માટે બોલવું ઠીક નથી. મારે મૂંગાપણું ધારણ કરવું જોઈએ. ” પછી રાજાએ પાછા ગયા, એટલે સાધુનું વચન ફલીભૂત થવાની હું રાહ જોઉં છું. “મારા એ પ્રિયતમ વિના મારે બેલીને શું કામ છે?” એમ વિચારીને હું મૂંગાપણું ધારણ કરીને રહું છું. ” સમશ્રીએ આ પ્રમાણે કહ્યું, એટલે હું બેલી, “પુત્રિ ! સુખી થા, પૂર્વભવના તે પ્રિય પતિ સાથે તારો સમાગમ થાઓ ” રાહુના મુખમાંથી જેમ ચન્દ્રબિંબ બચી જાય તેમ હાથીના મુખમાંથી બચી ૧. બ્રહ્મલેકને મધ્યભાગ લેકાક્ષાટક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy