SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૫વા લલક [ ૨૬૭ ] પ્રવેશ્યાં. પ્રસન્ન થયેલા રાજાએ અમને બત્રીસ કોટિ ધન આપ્યું. પ્રિય અને મધુર વચનવાળી પડ્યાની સાથે વિષયસુખ અનુભવતાં મારા કેટલાક દિવસો વીતી ગયા. એક વાર પ્રતિહારીએ મને પ્રણામ કરીને વિનંતી કરી, “સ્વામી ! રૂપવાન અને તેજસ્વી કઈ તરુણ માર્ગમાં પ્રવાસ કરીને આવે છે અને તે આપને મળવા ઈચ્છે છે.” પછી હું બહારના ઉપસ્થાનગૃહમાં આવ્યું અને તે યુવકને પ્રવેશ કરાવવામાં આવ્યા. પ્રતિહારે તેને અંદર આવવા દીધે, એટલે તે મારા ચરણમાં પડ્યો. મેં તેને ઓળખ્યો કે, “આ તે અંશુમાનકુમાર છે. મેં તેને કહ્યું, “ભદ્રમુખ! તું ભલે આવ્યો ! તું વિશ્રામ લે.” પછી તેણે પાદશચ કર્યું અને મારી સાથે સ્નાન કર્યું. તેને માટે લાવવામાં આવેલાં મહામૂલ્યવાળાં બે વસ્ત્રો તેણે પહેર્યા, ભેજન કર્યું તથા સુખપૂર્વક બેઠે, એટલે મેં તેને પૂછયું, “તું અહીં કેવી રીતે આવ્યો? નગરમાંથી તું કેવી રીતે નીકળે?” એટલે તે કહેવા લાગ્યા, “સાંભળ આર્યપુત્ર! તમે જંગલી હાથીને દયે તથા તમારો વશવતી બનાવે, તેથી રાજા અને લેકો ખૂબ વિરમય પામ્યાં. પછી તમારા વડે નિરંકુશપણે હંકારાતે તે હાથી વેગથી ચા, અને થોડેક દૂર જઈને આકાશમાં ઊડ્યો. ડરેલા લેકે તે કંઈ બોલી શક્યા નહીં, પણ ત્વરાપૂર્વક કેડ બાંધીને હું તે દિશામાં દેડ્યો. આપણી વચ્ચેના લાંબા અંતરને કારણે પહેલાં તો મેં હાથીને પાડા જેટલો, પછી વરાહ જેટલો અને પછી પક્ષી જેટલો છે. એ પછી તે તે સાવ અદશ્ય થઈ ગયા. તમને નહીં જેવાને કારણે હું ખિન્ન થઈ ગયો. મેં નિશ્ચય કર્યો કે, “આર્યપુત્રની ભાળ મેળવ્યા સિવાય પાછો નહીં વળું.” પછી હું લોકોને પૂછવા લાગ્યો કે, “આકાશમાર્ગે જતો હાથી તમે જે છે?” એટલે કેટલાક કહેવા લાગ્યા કે, “હાથી આ દિશામાં ગયે છે, પણ તેને કઈ પુરુષ હાંકતે હતું કે પિતાની મેળે તે જતો હતો એ અમે જાણતા નથી.” એમ કરતાં હું દૂર સુધી આવ્યો, અને સાંઝ પડતાં ત્યાં જ રહ્યો. રાત્રિ પૂરી થઈ એટલે મેં જનપદ વટાવે, અને જંગલમાં પ્રવે. પછી મારાં આભરણે પત્રપુટમાં મૂકીને તે ઉપર મેં પાંદડાં ઢાંકી દીધાં. પછી ફલાહાર કરતા હું અરણ્યમાં ચાલવા લાગ્યો. એ પ્રમાણે મારા કેટલાક દિવસ વીતી ગયા. વનચર મનુષ્યએ મને કહ્યું, “તમે પૂછે છે એવો દેવરૂપી પુરુષ સાલગુહાના માર્ગે ગયો છે. ” આ સમાચારથી હું સતુષ્ટ થયે, અને મારાં આભારણો બહાર મૂકીને અહીં આવ્યા. અક્ષત શરીરવાળા તમને જોયા તેથી મારે પરિશ્રમ સફળ થયે છે.” પછી મેં પણ અંશુમાનને મારો બધે વૃત્તાન્ત કો. અભગ્નસેનના પુરુષોએ અંશુમાનને કપિલરાજાના પુત્ર તરીકે ઓળખે. સંતુષ્ટ થયેલા રાજાએ તેને સત્કાર કર્યો, મારે પણ પૂર્વવૃત્તાન્ત સાંભળીને દેવી સહિત અભગ્નસેન રાજા પરમ આનન્દ પામે. એક વાર સુખપૂર્વક બેઠેલી પઘાએ મને પૂછ્યું, “આર્યપુત્ર! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy