SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંગુસુન્દરી સંભક [ ૩૭૯ ] ઉત્પન્ન થાય છે એ ત્વરાપૂર્વક મારે ઘેર આવ્યું. ત્યાં હું જતું હતું ત્યારે ઘણા લેકેનું વચન મેં સાંભળ્યું કે, “બાર વર્ષને અંતે, પિતાનું મરણ થતાં આ ઘેર આવ્યું છે. ” પછી (પિતૃમરણ ઉપરાંત લેનિન્દારૂપ) બીજો સંતાપ જેને થયે છે એ હું જલદીથી મારા ઘરમાં પ્રવેશ્યો. શોકથી વિષણુ હૃદયવાળી મારી માતાને મે જોઈ. તેની સાથે ઘણું રુદન કરીને શોકથી વ્યાપ્ત હૃદયવાળા મેં જેમ તેમ કરીને દિવસ ગાળ્યા. પછી લોકપ્રસિદ્ધ ઉત્તરક્રિયાઓ કરીને હું માતાની પાસે બેઠે. મારો બાલમિત્ર મર્કટક નામે હતો. તેની પત્ની આવીને માતાને કહેવા લાગી, મહાદેવારિકની માતાને જય થાઓ.” માતાએ કહ્યું “હું ગમે તેની માતા હેલું પણ મશ્કરી શું કામ કરે છે? મને હેરાન ન કર” મને યાદ આવ્યું કે, “મેં ઘણું દ્રવ્ય ગુમાવ્યું છે, તેથી મારી માતાએ આમ કહ્યું.” પછી થોડી વારે મર્કટક આવ્યું અને મને આલિંગન કરીને કહેવા લાગ્યું, “આવ, મિત્ર! તને રાજા બોલાવે છે.” એટલે તેની સાથે હું રાજદરબારમાં ગયે. રાજાએ સત્કાર કરીને મને દ્વારના અધિકાર ઉપર સ્થાપિત કર્યો-વારિક બનાવે. હવે, મધ્યાહ્ન વીતી ગયા પછી પ્રથિકા(વાંસના બનાવેલા પાત્રવિશેષ)માં ભાત લઈને તથા જમણા હાથમાં ખ્યાલે લઈને દાસીએ જેમ કૂતરાને બોલાવવામાં આવે તેમ, મને બેલા. હું ત્યાં ગયે. ક્રોધાવિષ્ટ થયેલ હું બે, “આ ખ્યાલે તારા માથામાં ફેડું છું.” પણ તેણે મને તિરસ્કૃત અને લજજાવિષ્ટ કર્યો. તે બોલી, “આ ભાત લઈને તું કાં તે કૂતરાને નાખ અથવા ફેંકી દે. ભલે તે તું ન રાખીશ; પણ હે પંડિત ! પ્રવૃત્ત થયેલાની નિવૃત્તિ નથી. આ પ્રમાણે વિચારીને, એકવાર રાજદરબારમાં પ્રવૃત્ત થયેલા એવા તારે નિવૃત્ત થવાનું નથી–પાછા વળવાનું નથી. એટલે હું વિચાર કરવા લાગ્યા, “અહા ! મારા પિતાએ દુષ્કર એવું દોવારિકપણું કર્યું હતું. ” આ પ્રમાણે મારો સમય વીતતે હતે. એક વાર ઉત્પલમાલા નામે દાસીને “તું આચારનું ઉલ્લંઘન કરે છે” એમ કહીને (તેણે કંઈક અનિષ્ટ ચેષ્ટા કરી હોવાથી) મેં ઠપકો આપે. ગુસ્સે થઈને તે મને કહેવા લાગી, “તારુ હવે મત આવ્યું છે.” એટલામાં રાજા પાસેથી મર્કટક આવીને કહેવા લાગે, “અહ, વયસ્ય ! તે રાજાને પ્રસન્ન કર્યા છે. એકાન્તમાં અંગચેષ્ટા કરતી આ ઉત્પલમાલાને તેં મારી હતી; પ્રાસાદની ઉપર ગોખમાં બેઠેલા રાજાએ તે જોયું હતું. આથી સંતુષ્ટ થયેલા રાજાએ મને મોકલ્યો કે, “જા ગંગરક્ષિતને બોલાવ.” માટે આવ, આપણે રાજા પાસે જઈએ. ” પછી હું મર્કટકની સાથે રાજા પાસે ગયે, અને પ્રણામ કરીને થોડેક દૂર ઊભો રહ્યો. પછી રાજાએ મારે ગ્ય સત્કાર કર્યો અને કન્યા-અન્ત:પુરની વ્યવસ્થા ઉપર મારી નિમણૂક કરી. સમય જતાં એકવાર હું પ્રિયંગુસુન્દરીને ઘેર ગયે. તે વખતે તેને ભેજનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy