SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : થશે. એ પુરુષ અર્ધભરતના અધિપતિ વસુદેવ)ને પિતા થશે.” ફરી રાજાએ પૂછયું, “ભગવન્! મારે એને કેવી રીતે ઓળખવો ?સાધુએ ઉત્તર આપે, “કુંજરાવર્ત અટવીમાં સરેવરની પાસે જે વનગજની સાથે યુદ્ધ કરે તેને તારે એાળખી લે.” પછી સાધુને વંદન કરીને અમે કુંજરાવર્ત અટવીમાં રહ્યાં. દરરોજ રાજાની આજ્ઞાથી બબ્બે પુરુષે એ પ્રદેશમાં ફરતા રહેતા હતા. સાધુએ કહ્યું હતું તેવા તમને ત્યાં જોવામાં આવ્યા અને અહીં લાવવામાં આવ્યા. ચારણશ્રમણને આદેશ મારા ભાઈ અંગારકના પણ સાંભળવામાં આવ્યો છે. આથી કેષવાળે તે કદાચ તમારો બેધ્યાન અવસ્થામાં વધ કરે. પરંતુ નાગરાજે અમે વિદ્યાધરો માટે નિયમ ઠરાવેલ છે કે, “સાધુની પાસે, જિનગૃહમાં કે પત્નીની પાસે રહેલાને અથવા સૂતેલાને જે વધ કરે તે વિદ્યાભ્રષ્ટ થશે.” આ કારણથી હું વિનંતી કરું છું કે-તમે મારી સાથે હશે ત્યાં સુધી તે તમને કંઈ કરી શકશે નહી.” આ સાંભળીને શ્યામલીને મેં કહ્યું, “અંગારક મને કંઈ કરી શકશે નહીં, વાણીથી ભલે મને બાધા કરે. છતાં પણ તને રુચે છે તે હું કરીશ.” એ પ્રમાણે શ્યામલીની સાથે ઈન્દ્રની જેમ ઈચ્છિત વિષયસુખરૂપી નંદનવનમાં રહેતા એવા મારો સમય વીતતો હતો. શ્યામલીએ મને વિશેષ સંગીતકળા શીખવી; બંધવિમોચની ( જેનાથી બંધનમાંથી છૂટી શકાય) તથા પત્રલથુકિકા ( જેનાથી કોઈ વસ્તુને પાંદડા જેવી હળવી બનાવી શકાય ) એ બે વિદ્યાઓ પણ તેણે મને શીખવી. એ બન્ને વિદ્યાઓ મેં શરવનમાં સાધી. ચિન્તારહિત અવસ્થામાં હું મારી હિતકારિણી શ્યામલી સાથે ઊંઘતો હતો તે વખતે કોઈ મને હરી જવા લાગ્યું, એટલે હું જાગ્યો. મને હરી જતા એક પુરુષને મેં જે અને શ્યામલીના મુખના આકાર સાથે તેની સમાનતા ઉપરથી તે અંગારક હશે એ તર્ક મેં કર્યો. પછી મેં વિચાર કર્યો, “ જે શત્રુનો નાશ કરે તે ઉત્તમ છે, જે તેની સાથે નાશ પામે તે મધ્યમ છે, અને જેને શત્રુવટે નાશ થાય તે અધમ છે. માટે હું માધ્યમ બનીશ, આની સાથે જ નાશ પામીશ, પણ તેનાથી ન્યૂન નહીં થાઉં.” આ પ્રમાણે વિચાર કરીને મેં તેના ઉપર પ્રહાર કરવાની ઈચ્છા કરી ત્યાં તો મારાં ગાત્રે થંભી ગયાં અને હું હાલી ચાલી શકે નહીં. ઊભું રહીને અંગારક મને કહેવા લાગ્યા, “ કુમાર ! કર્યા વિદ્યારહિત પુરુષ નાગને પકડવાની હિંમત કરી શકે ? મેં જ તમારાં ગાત્રે થંભાવેલાં છે. ” એ વખતે શ્યામલી આવીને અંગારકને કહેવા લાગી, “દેવ! મારા પતિનો વધ કરવાનું આપને માટે યોગ્ય નથી, કારણ કે તે તમારા પૂજ્ય છે.” અંગારકે હુંકારથી તેનો તિરસ્કાર કર્યો, એટલે તે ફરીવાર બેલી, “મારા પતિને છોડી દે જે નહીં છોડી દે તે તમારી સાથે સ્વજન સંબંધ હું ત્યજી દઉં છું.” એટલે કુદ્ધ થયેલા અંગારકે મને ફેંકી દેતાં હું પરાળથી ભરેલા હવડ કૂવામાં પડ્યો. ત્યાં પડ્યાં પડ્યાં મેં યુદ્ધ કરતાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy