SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંગુસુંદરી લંક [ ૪૦૩] પછી તે દેવીએ રાજાને કહ્યું કે, “પ્રિયંગુસુન્દરીને પતિ આ છે; તેને અંત:પુરમાં પ્રવેશ કરાવો.” વિસ્મય પામેલા એવા મારી ચમત્કારોથી ભરેલી તે રાત્રિ વીતી ગઈ. પછી બીજે દિવસે મુહર્ત જેટલો સૂર્ય ઊગે. સૂર્યોદયને એક મૂહુર્ત થયું ત્યારે ગંગરક્ષિત આવ્યો અને મને પ્રણામાંજલિ કરીને વીનવવા લાગ્યું, “સ્વામી! તે દિવસે મેં તમને કહ્યું ત્યારે તમે બેલ્યા હતા કે “વિચાર કરીશ.” તો જે તમે એ બાબતમાં વિચાર કર્યો હોય તે કૃપા કરે.પછી મેં ઘણી વાર સુધી વિચાર કરીને કહ્યું, “ઉદ્યાનમાં સમાગમ ભલે થાય.” પછી મેં ગંગરક્ષિતને વિદાય આપી. મેં પણ મારી જાતને પ્રસંગને અનુરૂપ સજજ કરી. પછી પાછલા પહોરે શેરીમાંથી મીકળતા મને જોઈને લોકો કહેવા લાગ્યા, “અહો આ કોઈ દિવ્ય પુરુષ છે.” આ પ્રમાણે લેકે વડે શંકા કરતે હું પરમ રમ્ય ઉદ્યાનમાં ગયે, અને ત્યાં નાગગૃહમાં બલિ આપવા નિમિત્તે કન્યા આવી. પછી ગંગરક્ષિત આખા ઉદ્યાનમાં (કોઈ માણસ તે નથી એની) તપાસ કરીને, જેમાં એકલી કન્યા રહેલી છે એવા તે નાગગૃહના દ્વારનું રક્ષણ કરવા લાગ્યો. ગાન્ધર્વ વિવાહધર્મથી તે કન્યા સાથે વિવાહ કરીને હું ત્યાં અતુલ ભેગો ભેગવવા લાગ્યા. પછી ગંગરક્ષિતે મને કહ્યું, “સ્વામી! હવે દેવીને રજા આપો.એટલે પ્રિયંગુસુન્દરીએ મને કહ્યું, “નાથ! અવિષ્ણુ એવી મારે ત્યાગ કરો તમારે માટે યોગ્ય નથી.” આ પ્રમાણે, લાંબા કાળથી જેનું ચિન્તન કરાતું હતું એવા પ્રિયંગુસુન્દરીના મનોરથો હું પૂરત હતે. પછી ફરી પાછું ગંગરક્ષિતે કહ્યું, “વામી! તમે જલદીથી સ્ત્રીવેશ ધારણ કરે, કારણ કે અંતઃપુર (રાણુઓ) પ્રવેશ કરે છે.” એટલે આનાકાનીપૂર્વક દુ:ખ સહિત એ વસ્તુ મેં સ્વીકારી. પછી મેં સ્ત્રીનો વેશ ધારણ કર્યો, એટલે વાહનમાં બેસાડીને પ્રયત્નપૂર્વક મને કન્યાના વાસગૃહમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં દેવલેકના જેવા ભેગે હું ભેગવવા લાગ્યા. પછી પ્રભાત થતાં ગંગરક્ષિત આવ્યું અને દેવીને કહેવા લાગ્યું, સ્વામીને રજા આપે.એટલે દેવીએ તેને પગે પડીને કહ્યું, “સાત દિવસનું વરદાન આપ” (અર્થાત સાત દિવસ સુધી વસુદેવ અહીં રહેશે). એટલે ભયભીત થયેલે ગંગરક્ષિત બાલવા લાગે, “અહે ! મારો નાશ થયો!' પછી સપ્તાહ પૂરો થતાં તેણે કહ્યું, “સ્વામિનિ ! હવે રજા આપ.” એટલે સ્વામીએ (વસુદેવે ) કહ્યું, “અમને પણ એક સપ્તાહ આપ.” હું નાશ પામ્યો !” એમ બોલતે તે ગયે અને ફરી પાછો સાતમે દિવસે આવ્યા. એટલે તેને ફરી પાછું કોમુદિકાએ કહ્યું, “અમે શું ખાસડાં ખાધાં? એમને જેમ સાત દિવસનું વરદાન આપ્યું તેમ અમને પણ આપ.” એ પ્રમાણે ત્યાં મારા એકવીસ દિવસ મુહૂર્તની જેમ વીતી ગયા. - હવે, જેના હોઠ અને કંઠ સુકાઈ ગયા છે એ તથા ડરેલે ગંગરક્ષિત આવીને મને વિનંતી કરવા લાગે, “સ્વામી! અંતઃપુરમાં, અમાત્ય, દાસીઓ અને નેકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy