SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - [ ૪૦૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: યક્ષિલ પરિવ્રાજકે પણ ગંગશ્રીને દીક્ષિત થયેલી સાંભળીને સાધુની પાસે દીક્ષા લીધી. તેની સાથે ત્રિદંડીઓને પાઠ (સમુદાય?) પણ સાધુઓની પાસે પ્રવ્રજિત થયે. પછી એ બને કાળધર્મ પામતાં, યક્ષિલ ધરણેન્દ્ર થયે અને ગંગશ્રી તે જ ધરણની અલા નામે અગ્રમહિષી થઈ. આજથી સાતમે દિવસે તે ઉદ્ધતિત થશે.” પછી મેં આવીને પુત્રને-એણીપુત્રને કહ્યું, “પરમ રૂપ વડે દર્શનીય એવી પુત્રી તને થશે.” પછી તે દેવી સાતમે દિવસે ઉદ્ધતિત થઈને એણપુત્ર રાજાની પુત્રી તરીકે (તેની રાણીના ગર્ભમાં) આવી, અને યોગ્ય સમયે તેનો જન્મ થયે. પ્રિયંગુલતાની મંજરી જેવા વર્ણ અને કાન્તિવાળી હોવાથી તેનું નામ પ્રિયંગુસુન્દરી પાડવામાં આવ્યું. અનુક્રમે તે ઊછરી અને રૂ૫ વડે કરીને અત્યંત રૂપાળી એવી તે યુવાવસ્થામાં આવી. પછી સંતુષ્ટ થયેલા પિતાએ તેને સ્વયંવર આપે. પછી અર્ધભરતના સ્વામી જરાસંધ વગેરે સર્વે રાજાઓ તે સાંભળીને આવ્યા. પછી પ્રિયંગુસુન્દરીએ મને પૂછ્યું, સ્વયંવરમાં જાઉં?” કહ્યું, “તારે (થનાર) પતિ હજી આવ્યા નથી.”હે પુત્ર! પછી તે પ્રિયંગુસુન્દરીએ રાજાઓને સ્વયંવરમાં ઈછયા નહીં. આથી તેઓ મારા પુત્ર એણપુત્ર સાથે યુદ્ધ કરવાને આવ્યા. પછી એક જ રથવાળા એણપુત્રે મારી આજ્ઞાથી જરાસંધ વગેરે તે સર્વે રાજાઓને ચારે દિશાઓમાં ભગાડી મૂક્યા. પછી એણીપુત્ર રાજાએ મને પૂછ્યું, “કયા કારણથી કન્યા વરને ઈચ્છતી નથી ?” મેં કહ્યું, “આ કન્યા તે સર્વે નરેન્દ્રોના અધિપતિના પિતાની ભાર્યા થશે. તે હજી આવ્યું નથી. જ્યારે આવશે ત્યારે તને કહીશ.” હે પુત્ર! બંધુમતીની સાથે તું અંતઃપુરમાં ગયો હતો ત્યારે પ્રિયંગુસુન્દરીએ તને જે હતો. ત્યારથી કામનિમિત્ત બિમારી વડે તે હર્ષ રહિત-દુઃખી છે. અષ્ટમ ભક્ત વડે મને આરાધીને પગે પડીને તેણે કહ્યું, “દાદી ! તમારા પ્રભાવથી આર્ય પુત્રની સાથે મારે મેળાપ થશે.” મારી જ સૂચનાથી ગંગરક્ષિત તારી પાસે આવ્યો હતો. પણ તેને તેં ના પાડી. એ કાર્ય માટે હું તારી પાસે આવી છું; માટે હે પુત્ર ! તું નિશ્ચિતપણે અંત:પુરમાં પ્રવેશ કર, હું રાજાને પણ સમાચાર આપીશ. ગંગરક્ષિતે જે માટે તેને વિનંતી કરી હતી તે શીધ્રપણે કર. હે પુત્ર! “દેવદર્શન અમેઘઅનિષ્ફળ હોય છે” એમ લોકકથામાં કહેવામાં આવે છે, માટે તું વર માગ. હું તને વર આપનાર છું.” પછી મેં પણ તે દેવીની પ્રદક્ષિણા કરીને, મસ્તક ઉપર અંજલિ કરીને-હાથ જોડીને કહ્યું, “હે માતા! જ્યારે કારણ પડતાં હું તમારું સ્મરણ કરું ત્યારે તમારે પણ મને સંભાર. આ જ મારો વર છે. ” પછી વસુદેવના વચનથી દેવી જે પ્રમાણે આવી હતી તે પ્રમાણે પાછી ગઈ. ૧. મૂળમાં વ વચન પાઠ છે. આખી કથા વસુદેવની આત્મકથા તરીકે ચાલે છે, એટલે “વસુદેવના વચનથી’ એમ કહેવું એ કથાસન્દર્ભની રીતે ઉચિત નથી. પણ મૂળ પાઠને અનુસરીને અહીં અનુવાદ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy