SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦૦ ] ભાગીરથિકુમારે ગ'ગાને સમુદ્રગામિની કરી એટલામાં અષ્ટાપદ સમીપના પ્રદેશમાં વસનારા લેાકસમૂહે। રાજાની પાસે આવી, તેને પગે પડીને વિનંતી કરવા લાગ્યા, “ સ્વામી ! કુમારેએ મહાનદી ગંગાને અષ્ટાપદમાં આણી છે; હવે માગ નહીં મળતાં તે નદી સર્વે જનપદેાના જળ વડે વિનાશ કરે છે; માટે હું મહારાજ ! ગંગા મહાનદીને એક માગે સમુદ્રગામિની કરવાને-સમુદ્ર તરફ વાળવાને તમે ચેાગ્ય છે. ” પછી રાજાએ પેાતાના બાળક પુત્ર ભાગીરથિને આજ્ઞા આપી, “ રાજાએ અને અમાત્યેાની સાથે ઇડરન લઇને તું અષ્ટાપદ પર્વત પાસે જા. ત્યાં અર્ધ્ય, બલિ, ગ ંધ, ધૂપ અને માહ્ય વડે જ્વલનપ્રભ નાગની પૂજા કરીને, તેની અનુજ્ઞા લઈને દડરત્ન વડે ખેાદતા તુ ગગા મહાનદીને એક માગે સમુદ્રમાં લઇ જજે. ” પછી ભાગીરથિકુમાર રાજાની આજ્ઞા સ્વીકારીને, દડરત્ન લઇને, સૈન્ય અને વાઢુન સહિત તથા રાજાએ અને અમાત્યાને સાથે લઈને અષ્ટાપદ્મ પર્વત પાસે ગયા. ત્યાં અષ્ટમ ભક્તની તપશ્ચર્યા ગ્રહણ કરીને, દર્ભના સંથારા ઉપર રહીને જ્વલનપ્રભ નાગનુ ધ્યાન ધરતા તે બેઠે. પછી અષ્ટમ ભક્ત સમાપ્ત થતાં તે જ્વલનપ્રભ નાગ ભાગીરથ પાસે આવ્યેા. પછી વસુદેવ–હિ'ડી : : પ્રથમ ખંડ : ભાગીથિએ અર્ધ્ય, બલિ, ગંધ, માલ્ય અને ધૂપવડે તેના સત્કાર કર્યાં, એટલે તે એલ્કે, “ તારું શું કાર્ય કરું ? ” કુમારે કહ્યું, “તમારી કૃપાથી દડરત્ન ગ્રહણ કરીને મહાનદી ગગાને એક માગે સમુદ્રગામિની કરીશ. ” એટલે નાગે કહ્યું, “ જા, જલદી તેમ કર. ભરતમાં જે નાગા છે તે સર્વે` મારા વશવતી છે. ” પછી ભાગીરથિકુમાર રથ ઉપર બેસીને ઈડરત્ન વડે ગ ંગાનદીને, હસ્તિનાપુરને સ્પર્શ કરે તેમ કુરુજનપદના મધ્યમાં થઈને અને કાસલા જનપદની દક્ષિણમાં થઈને, ખેંચી જવા લાગ્યા. પશ્ચિમમાં જ્યાં નાગેાનાં ભવનને ( નદીના પ્રવાહથી ) ઇજા આવતી હતી ત્યાં તે અલિ આપતા હતા. તે સમયથી નાગલિ શરૂ થયા. પ્રયાગની ઉત્તરે થઇ, કાશીની દક્ષિણે થઇ, કાઇક સ્થળે વિન્ધ્યમાં થઇ, મગધા જનપદની ઉત્તરે થઇ અને અંગા જનપદની દક્ષિણે થઇ, હજારા નદીએ વડે વૃદ્ધિ પામતી ગંગાને તેણે સાગરમાં ઉતારી. ત્યાં ગંગાસાગર નામનું તીર્થં થયું. જલ્તુએ તેને પૂર્વે ખેંચી હતી, તેથી તે નદી જાહ્નવી કહેવાય છે. પછી ભાગીથિએ ખેંચી તેથી ભાગીરથી કહેવાય છે. ગંગા મહાનદીને સાગરમાં ઉતારીને ભાગીરથ સાકેત નગર ગયે અને સગર ચક્રવતીને નિવેદન કર્યું કે, “ મે ગંગાને સાગરમાં ઉતારી છે. ” ગાથા Jain Education International ततो अव्वत्तगं पुत्तं, भागीरहि भरहसामियं ठविय । पव्वज मन्भुवगतो अजियजिदिस्स पासम्म || ( અર્થાત્ પછી નાના પુત્ર ભાગીરથને ભરતના સ્વામી તરીકે સ્થાપિત કરીને સગરે શ્રીઅજિતનાથ જિનેશ્વર પાસે દીક્ષા લીધી ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy