SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : એટલા માત્ર શબ્દોથી જ તું સન્તોષ પામે છે.” પરંતુ પ્રસન્ન ચિત્તવાળા નંદિષેણે વિનંતી કરી, “મારો અપરાધ ક્ષમા કરે; મને રજા આપે, એટલે આપની સેવા કરું.” મળથી મલિન એ સાધુને નંદિષેણે ઘેઈને સાફ કર્યા અને કહ્યું, “આપને મારા ઉપાશ્રયે લઈ જાઉં છું; આપ નીરોગી થઈ જાઓ તેવી રીતે આપની સેવા કરીશ.” પછી તેણે એ સાધુને ઊપાડ્યા એટલે તે પગલે પગલે બૂમ પાડવા લાગ્યા, “અરે, તું મને દુખાવે છે, મને હલાવે છે, તે વિસામો ખાય છે !” આ પ્રમાણે દબાવા નંદિષણ યતનાપૂર્વક ચાલતો હતો. પછી દેવે તેના ઉપર અત્યંત દુર્ગધવાળે ઝાડો કર્યો. અને બોલ્યા, “અરે દુખ ! મારે ઝાડાને વેગ તે અટકાવ્યા; મને તું મારી નાખવાનું છે !” પણ પ્રસન્ન મુખવાળો નંદિષેણ “માંદાને કયી રીતે સુખ થાય?” એને જ મનથી વિચાર કરતે હતો અને કડવાં વચન અથવા તેવી દુર્ગધને નહીં ગણકારતાં તેણે કહ્યું, “કહે, તમને કેવી રીતે નીચે મૂકું ? અથવા શું કરું ? કહે તો ઘઉં.” આ સાંભળીને કરુણાવાળા થયેલા દેવે પોતાને અશુભ પુદ્ગલેને સંચય ક્ષણવારમાં અદશ્ય કર્યો અને નાસિકા તથા મનને સુખ આપનારી પુષ્પવૃષ્ટિ કરી. સાધુનાં રૂપ ત્યજીને દેવો દિવ્ય રૂપવાળા બન્યા અને ત્રણ પ્રદક્ષિણા કરી, નંદિષણને પગે પડી વારંવાર ખમાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, “ભગવદ્ ! દેવરાજ ઈન્દ્ર તમારું ગુણકીર્તન કરતા હતા, તેમાં અશ્રદ્ધા રાખતા અમે તમારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યા હતા. ખરેખર, ઈન્દ્ર સાચું જ કહ્યું હતું. આ૫ વર માગો, અમે શું આપીએ?” નંદિષેણે કહ્યું, “જિનેશ્વરોએ ઉપદેશેલ મેક્ષને જે પરમ દુર્લભ માર્ગ તે મને મળે છે. મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી.” આ પછી વંદન કરીને દેવે ગયા. આ બાજુ, નંદિષણ સાધુઓની વૈયાવૃત્ય કરતે લાભાન્તરાયના ક્ષપશમથી, જે સાધુ જે ઈરછે છે તે મેળવીને તેને આપતો હતો. આ પ્રમાણે સંયમ, તપ અને ભાવનાપૂર્વક સાધુપણું પાળતાં તેનાં પંચાવન હજાર વર્ષ વીતી ગયાં. સુભગ, સુવર, શુભ, આદેય અને યશે નામકર્મ જેણે ઉપાર્જન કર્યું છે એ તે અનશનકાળે વિચાર કરવા લાગે, “મારા દુર્ભાગ્યના દોષથી ત્રણ કન્યાઓમાંથી એકે પણ મને ઈ નહીં.” આ પ્રમાણે સ્મરણ કરીને તેણે નિયાણું કર્યું કે, “જે આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો આવતા મનુષ્યભવમાં હું સુન્દર અને સ્ત્રીઓને વહાલ થાઉં.” આમ બોલીને તે કાલધર્મ પામે અને મહાશુક્ર ક૯૫માં ઈન્દ્રને સામાનિક દેવ થયે. ત્યાંથી આવીને તે તારે દશમે પુત્ર વસુદેવ થયે. આ પ્રમાણે સંસારગતિ સાંભળીને રાજા અંધકવૃષ્ણુિએ પોતાના મોટા પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી. વિશુદ્ધ ચારિત્ર્યવાળા, જેનો વૈરાગ્ય અવિચલિત રહેલ છે તથા જેણે ઘાતિકર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કર્મો) ખપાવેલાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy