SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્યામા—વિજયા લંભક, [ ૧૫૧ ] જેને કેવલજ્ઞાન થયું છે તથા જેણે માહ્ય અને આંતર કર્મના નાશ કર્યો છે એવા તે રાજા નિર્વાણ પામ્યા. સિહરચના પરાજય અને કંસને મથુરા નગરની પ્રાપ્તિ પછી હું આઠ વર્ષના થયેા ત્યારે મને કલાચા પાસે લઇ જવામાં આવ્યેા. વિશિષ્ટ મેધા અને બુદ્ધિના ગુણુવડે મેં તેમને પ્રસન્ન કર્યા. એક વાર એક રસાણિયાએ ( તેલ વગેરે પ્રવાહી વસ્તુઓના ધંધા કરનાર વિણકે ) મારી પાસે એક બાળક લાવીને કહ્યું, ઃઃ કુમાર ! આ કંસ તમારી સેવા ભલે કરે. ” મેં હા પાડી, અને તે કંસ પણ મારી સાથે કલાઓને અભ્યાસ કરવા લાગ્યા. ,, એક વાર જરાસ'ધે મારા મેાટાભાઇ પાસે દ્ભુત મેાકલીને કહેવરાવ્યુ` કે, “ સિંહપુરના અધિપતિ સિંહથને જો તમે કેદ પકડા તા મારી જીવયશા પુત્રી તથા માઢુ નગર તમને આપુ. આ ખબર સાંભળીને કંસ સહિત મેં રાજાને વિનંતી કરી કે, “ દેવ ! મને રજા આપે; સિંહૅરથને ખાંધીને હું તમારી પાસે લાવુ. ” રાજાએ કહ્યું, “ કુમાર ! તેં હજી યુદ્ધ જોયું નથી, માટે તું ન જઇશ. ” પણ મેં તે નિશ્ચય કરેલેા હતા, એટલે ઘણા પરિવાર સહિત રાજાએ મને માકલ્યા. સિંહૅરથે પણ અમારું આગમન સાંભળીને પેાતાનુ લશ્કર એકત્ર કર્યું. યુદ્ધ શરૂ થયુ, એટલે રાજાએ જેમને સૂચના આપી હતી એવા મેટેરાએ મને વારવા લાગ્યા. સિંહ જેમ હાથીઓના યૂથમાં પ્રવેશે તેમ અમારા સૈન્યમાં પ્રવેશતા સિંહુરથ તેને ક્ષેાભ પમાડવા લાગ્યા. આ પ્રમાણે અમારી સેનાને પીડાતી જોઇને કસ-સારથિવડે કાતા મારેા રથ મેં સિંહુરથની સામે ચલાવ્યેા. પછી તે મારી સાથે યુદ્ધ કરવા લાગ્યા. એ ચાલાક યાષ્ઠા ઉપર મેં મારા હસ્તકૈાશલ્યથી સરસાઈ મેળવી. સારથિ સહિત તેના ઘેાડાઓને મેં વીંધી નાખ્યા. કંસે પેાતાના પરિઘના પ્રહારથી તેના રથની ધૂંસરી ભાંગી નાખી, અને તેને ઉપાડીને મારા રથમાં આણ્યા. આથી તેનુ સૈન્ય નાસવા માંડયુ. વિજય પામેલે હું સિંહૅરથને લઈને અનુક્રમે પેાતાના નગરમાં આવ્યા. સન્તુષ્ટ થયેલા રાજાએ મારા સત્કાર કર્યા, અને પછી એકાન્તમાં મને કહ્યુ, કુમાર ! સાંભળ. કા ુકી નૈમિત્તિકને જીવયશા કુમારીનાં લક્ષણૢાના નિશ્ચય વિષે મેં પૂછ્યું હતું. તેણે મને કહ્યું છે કે,—એ કુમારી બન્ને કુળના નાશ કરાવનારી છે, માટે તેને લેશેા નહીં. ” મેં કહ્યું, “ દેવ ! કંસે સિ’હરથને પકડીને મારી પાસે આણ્યા છે; તેના પરાક્રમને કેમ દબાવી દેવાય ? ” પછી રાજાએ કહ્યુ, “ જો એમ હાય તા પણ રાજપુત્રી વણિકપુત્રને શી રીતે અપાય ?” પણ ‘આનું પરાક્રમ તા ક્ષત્રિય જેવું દેખાય છે માટે આમાં કંઇક રહસ્ય હશે ’ એમ વિચારી રસાણિયાને મેલાવી અમે પૂછ્યું, “ આ બાળકની ઉત્પત્તિ કહે. ” રસાણિયાએ પ્રણામ કરીને કહ્યું, “ આ બાળક કાંસાની પેટીમાં મૂકાયેલા હતા, તે પેટીને યમુનામાં તરતી મેં જોઇ હતી. આ ઉગ્રસેનના નામથી અંકિત થયેલી મુદ્રા છે. Jain Education International For Private & Personal Use Only 66 www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy