SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ગંધર્વદત્તા સંભક [ ૧૭૭ ] તેના પગેથી રુધિરવાળી રેતી લૂછીને અહીં નાખી.” પછી હરિસિંહે પૂછ્યું, “કોઈએ અળતાથી મિશ્રિત કરીને કદાચ અહીં રેતી ન નાખી હોય?” ગોમુખે કહ્યું, “અળ કડવો હોય છે, એટલે તેના ઉપર માખીઓ વળગે નહીં. આ તો તાજા લાગેલા ઘાનું વિચ, મધુર અને માંસમાંથી ટપકેલું લેહી છે; આથી સ્વાદિષ્ટ કેળિયાની જેમ આ રેતી ઉપર માખીઓ બેસી ગઈ છે. ચારુસ્વામી ! તે વિદ્યારે પછી એ સ્ત્રીને પિતાના હાથમાં ઉપાડી.” હરિસિંહ બે, “તેં કેવી રીતે જાણ્યું ?” ગોમુખે કહ્યું, “કારણ કે અહીંથી સ્ત્રીનાં પગલાં અટકી ગયાં છે અને પુરુષનાં પગલાં દેખાય છે. વળી ચારુસ્વામી ! મને એમ વિચાર થાય છે કે-ગુંજારવ કરતા ભમરાઓથી યુક્ત કુસુમતતાઓ વડે વીંટાયેલ, સમ ભૂમિ ઉપર રહેલે તથા જાણે કે લક્ષમીનું નિવાસસ્થાન હોય તે જે લતામંડપ આપણી સામે દેખાય છે ત્યાં એ વિદ્યાધર યુવતિ સહિત રહેલો હોવો જોઈએ. પરંતુ એકાન્તમાં રહેલાને જેવાં એ ગ્ય નથી, માટે આપણે અહીં ઊભા રહીએ. એ પછી કેટલીક વારે અનેક વર્ગનાં પીંછાંઓથી આચ્છાદિત તથા વનથી પરિચિત હોવાને કારણે ભીતિરહિત એ મયૂર તે લતાગૃહમાંથી પોતાની સહચરી સાથે બહાર નીકળે. એટલે ગોમુખે કહ્યું, “ચારુસ્વામી ! આ લતાગૃહમાં વિદ્યાધર નથી.” હરિસિંહે કહ્યું, “આટલી વાર સુધી “યુવતિ સહિત તે અહીં છે” એમ કહીને હવે “તે નથી” એવું કેમ બોલે છે?” એટલે ગોમુખે કહ્યું, “આ મારે કોઈ પ્રકારની આકુલતા વગર લતાગૃહમાંથી નીકળે છે, જે કે મનુષ્ય અંદર હોત તે ભયને લીધે આકુલતાપૂર્વક તે બહાર આવત.” પછી મુખના વચનને પ્રમાણભૂત માનતો હું મિત્રો સહિત લતાગૃહમાં ગયે, અને ત્યાં સહજ રમણીય તથા શેડીક વાર પહેલાં જ ભગવાયેલી હોવાને કારણે જાણે શ્વાસ લેતી હોય તેવી કુસુમની શય્યા મેં જોઈ. એટલે ગોમુખે કહ્યું, “થોડીક વાર પહેલાં જ વિદ્યાધર અહીંથી નીકળે છે; અહીંથી પ્રસ્થાન કરતાં પડેલાં તેનાં પગલાં પણ આ દેખાય. પરંતુ તે અવશ્ય અહીં પાછો આવશે, કારણ કે આ ઝાડની ડાળી ઉપર દીપડાના ચામડાનું બનાવેલું તેનું કેશરન (થેલી) તથા ખડ્ઝ રહી ગયેલ છે; તે લેવા માટે તે જરૂરી પાછા ફરશે.તે પગલાંનું અવલોકન કરતો ગોમુખ કહેવા લાગ્યો, “ચારુસ્વામી ! એ વિદ્યાધર ભારે સંકટમાં છે. શું તેને જીવ તો નહીં જાય ?” મેં ગોમુખને પૂછયું, “એ કેવી રીતે ?” એટલે તે કહેવા લાગ્યા, “જે કયાંથી આવ્યાં તે દેખાતું નથી તથા જમીન ઉપરથી આકાશમાં ઊડવાને કારણે જેણે આમ રેતી ઊરાડેલી છે એવાં આ બીજાં બે પગલાં શું તમે જેતા નથી ? વળી, એ વિદ્યાધરને અહીં કેઈએ પાડી નાખ્યો હોય તેમ જણાય છે, કેમકે બળાત્કારે નીચે ખેંચીને પાડી નાખવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy