SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ-હિંડી [ ૭૫ ] ધનપતિ સાર્થવાહનો પુત્ર ધનવસુ નામે હતો. એક વાર યવન દેશમાં જવાને માટે તેનું વહાણ સજજ કરવામાં આવ્યું. તેણે પોતાના પિતાને વિનંતી, “આ કેકકાસ તમે મને આપ મારી સાથે યવન દેશમાં એ ભલે આવે.” પિતાએ તેને મેક. પછી વહાણ ઉપડયું અને અનુકૂળ પવન હોવાથી ધારેલા બંદરે પહોંચી ગયું. ત્યાં લંગર નાખ્યાં અને સઢ ઉતારી નાખવામાં આવ્યા, એટલે મુસાફર વાણિયાઓ વહાણમાંથી ઉતર્યા. તેમણે સાથે લાવેલે માલ પણ ખાલી કરવામાં આવ્યું, રાજ્યનું દાણ અપાયું અને ત્યાં મુસાફર વાણિયાઓ વેપાર કરવા લાગ્યા. હવે પેલે કક્કાસ યવન દેશના સાર્થવાહ અને વહાણવટીઓને એક સૂતાર જે પડોશમાં જ રહેતો હતો તેને ઘેર બેસીને દિવસ ગાળતું હતું. એ સૂતારના પુત્રને અનેક પ્રકારનાં કામ શિખવવા પિતા મહેનત કરતા, છતાં તેઓ ગ્રહણ કરતા નહોતા. તેમને કક્કાસે ૮ આમ કરો. આમ થાય ? વગેરે કહ્યું. આથી વિસ્મય પામેલા આચાર્ય (શિખવનાર સૂતારે) તેને કહ્યું, “પુત્ર! મારી વિદ્યા તું શિખ. હું તને ઉપદેશ આપીશ.” એટલે કક્કાસે કહ્યું, “સ્વામી! તમે આજ્ઞા આપશે તેમ હું કરીશ.” પછી તે શિખવા લાગે, અને આચાર્યના શિક્ષણની વિશેષતાથી દરેક પ્રકારનું સૂતારી કામ શિખી ગયે; અને એ કામમાં નિપુણ થતાં ગુરુની રજા માગી વહાણમાં બેસીને તામ્રલિસિ ગયા. એ વખતે ત્યાં દુષ્કાળ પડયો હતે. આથી કેસે પિતાના ગુજરાન માટે તેમજ રાજાને પોતાની કલાની જાણ કરાવવા માટે લાકડાંનાં બે પારેવાં બનાવ્યાં. તે પારેવાં દરરાજ ઊડીને અગાશીમાં સૂકવેલી રાજાની ડાંગર લઈને પાછાં આવતાં હતાં. આ પ્રમાણે ધાન્ય હરાતું જોઈને રખવાળોએ રાજા શત્રુદમનને ખબર આપી. તેણે અમાત્યને આજ્ઞા આપી કે, “તપાસ કરે.” રાજનીતિમાં કુશળ અમાત્યાએ બધી હકીકત જાણી અને રાજાને ખબર આપી કે, “કક્કાસનાં બે યાત્રિક પારેવાં ડાંગર લઈ જાય છે.” રાજાએ કહ્યું, “કેકાસને બેલા.” બોલાવીને તેને પૂછ્યું, એટલે તેણે સર્વ હકીક્ત રાજાને જણાવી. આ સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ કક્કાસને સત્કાર કર્યો અને કહ્યું કે, “આકાશગામી યંત્ર તૈયાર કર. તે વડે આપણે બે જણા ઈચ્છિત દેશમાં જઈશું.” રાજાની આજ્ઞાથી કોકાસે યંત્ર તૈયાર કર્યું. તેના ઉપર બેસીને તે તથા રાજા ઈચ્છિત દેશમાં જઈ આવતા હતા. આ પ્રમાણે તેમને સમય વીતતો હતે. એ જોઈને રાજાની પટ્ટરાણીએ એક વાર તેને વિનંતી કરી, “હું પણ તમારી સાથે દેશાન્તરમાં આવવા ઈચ્છું છું.” એટલે રાજાએ કેક્કાસને બોલાવીને કહ્યું, “મહાદેવી પણ આપણે સાથે આવશે.” કક્કાસે કહ્યું, “સ્વામી! આમાં ત્રીજા માણસને બેસાડવું યેગ્ય નથી, કારણ કે આ વાહન બેને જ ભાર વહી શકે એમ છે.” પણ તે સ્વચ્છેદ બુદ્ધિવાળી રાણીને વારવા છતાં તેણે ખૂબ આગ્રહ કર્યો, એટલે એ અબુધ રાજા તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy