SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવ હિંડી [ ૭૪ ] તેઓ ચાલ્યા ગયા. અનાથ અને અશરણુ બિચારી વસુદત્તા પૂર્વકના આ વિપાકને અનુભવતી તથા હૃદયમાં અનેક પ્રકારના વિચાર કરતી ત્યાં બેસી રહી. 66 તેના ભાગ્યયેાગે ઉજ્જયિની જતા એક સાથે તે જ દિવસે ત્યાંથી થાડે દૂર જળા શયની પાસે પડાવ નાખીને રહ્યો હતા. રસાઇ કરવા માટે તૃણુ, શાખા અને પાંદડાંનુ ખળતણુ ભેગુ કરવા નીકળેલા એ સાના માણસેાએ જેની આજુબાજુ કાંટાએ ગઠવેલા હતા એવી, ઝાડના થડ સાથે ખંધાયેલી વસુદત્તાને એકલી જોઇ, અને તેની હકીકત પૂછી. કરુણુ રુદન કરતી તેણે પેાતાના અનર્થ અને દુ:ખની પરંપરા કહી સંભળાવી. જેમને અનુકપા થયેલી છે એવા તે સાર્થના માણસેાએ તેને છેાડી, સાર્થમાં લઇ ગયા, અને સા વાહને બધી વાત કહી. પછી સાવાડે તેને આશ્વાસન આપ્યું તથા ભાજન અને વસ્ત્ર આપીને કહ્યુ, પુત્રિ ! સાની સાથે તુ સુખપૂર્વક ચાલ. ડરીશ નહીં. ” આ પ્રમાણે આશ્વાસન અને ધીરજ મળતાં તે સાર્થની સાથે વસુદત્તા ઉજ્જિયની તરફ જવા લાગી. એ સાની સાથે અનેક શિષ્યાએના પરિવારવાળી, જિનવચનના સારરૂપ પરમાર્થ જાણનારી, તથા જીવંતસ્વામીની પ્રતિમાનું પૂજન કરતી સુત્રતા આર્યો પણ ચાલતી હતી. તેની પાસે ધર્મ સાંભળીને તથા સાર્થવાહની અનુજ્ઞા લઈને વસુદત્તાએ દીક્ષા લીધી, અને કાંટાની વાડમાં ઘેરાયેલી દશામાં તે રહી હતી માટે તેનુ નામ કટકા આર્યા રાખવામાં આવ્યું. પછી તે આર્યાએની સાથે તે ઉજ્જયિની પહેાંચી, અને પિતા-માતા તથા સ્વજનને મળી. તેમને પેાતાનાં દુ:ખ કહેવાથી જેના વૈરાગ્ય અમણેા થયા છે એવી તે સ્વાધ્યાય અને તપમાં ઉઘુક્ત થઈને ધર્મ આચરવા લાગી. : : પ્રથમ ખંડ : માટે હું સુન્દર ! હું તને કહું છુ કે આવાં તથા સ્વચ્છંદ બુદ્ધિવાળાં બીજા પણુ માણુસા ઘણાં દુ:ખ પામે છે, માટે તુ પણ મૂર્ખ ન બનીશ. મારી વાત માન્ય રાખ, જેથી તુ પણ અંતે વસુદત્તાની જેમ દુ:ખ ન પામે. ” 66 આ સાંભળીને વિમલસેનાએ પૂછ્યું, વસુદત્તા તે। આ રીતે દુ:ખી થઈ; પણ રિપુદમન કેવી રીતે નાશ પામ્યા ? ” એટલે મેં તેને કહ્યુ, “ હું સુતનુ ! સાંભળ— સ્વચ્છંદબુદ્ધિ રાજા રિપુદમનનું કથાનક Jain Education International તાલિલિસ નામે નગરી છે. ત્યાં રિપુન્નુમન રાજા હતા. તેની રાણી પ્રિયમતી નામે હતી. એ રાજાને માલમિત્ર ધનપતિ નામે મહાધુનિક સાવાર્હ ત્યાં રહેતા હતા. એ નગરમાં ધનદ નામે સૂતાર રહેતા હતા. તેને એક પુત્ર થયા. ધનદ દરિદ્ર હતા, તેની પત્નીને વૈભવ પણુ ક્ષીણ થઈ ગયા હતા. ચિન્તા કરતાં એ બન્ને પતિ-પત્ની મરણુ પામ્યાં. તેમના પુત્ર ધનપતિ સાથે વાહના ઘેર ઉછરતા હતા. ખાંડણિયા પાસે એસતા તે ડાંગરની કુસકી (૩લે) ખાતા હતા, આથી તેનું નામ ‘કાક્કાસ ' પાડવામાં આવ્યું. આ પ્રમાણે તે માટે થયે. , For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy