SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકી લ’ભક [ ૪૮૩ ] કહીને તે વચન સ્વીકાર્યું. કેટલાક દિવસે વીત્યા પછી ગર્ભ વૃદ્ધિ પામ્યા, એટલે દેવીએ દાસીએ મેાકલીને એકાન્તમાં મને વિનંતી કરી, “ આર્યપુત્ર! કૃપા કરી; દેવ! મારા સાતમા ગર્ભનું રક્ષણ કરા. છેવટે મારા એક પુત્ર તેા ભલે જીવે. એમાં ( પ્રતિજ્ઞાભંગનું ) જે પાપ થાય તે અમને થશે. ” મેં પણ તેઓની આગળ સ્વીકાર્યું કે, “ એમ કરીશ, નિશ્ચિંત થા, હમણાં ચૂપ રહે. ” પ્રસવકાળે ક ંસે મેકલેલા કંચુકીએ દિવ્ય પ્રભાવથી ગાઢ નિદ્રામાં પડ્યા. પછી કુમાર જન્મ્યા; જાતકર્મ કર્યાં પછી હું તેને બહાર લઇ ગયે. તે સમયે ચંદ્ર શ્રવણુ નક્ષત્રના ચેાગમાં રહેલા હતા, વરસાદ વરસતા હતા, દેવતા અષ્ટપણે ( અમારી ઉપ૨ ) છત્ર ધરતી હતી, ( અમારી ) બન્ને ખાજુએ દીપિકાએ રહેલી હતી અને શ્વેત વૃષભ અમારી આગળ ઊભા રહેલેા હતેા. આ પ્રભાવથી વિસ્મિત થયેલા ઉગ્રસેને મને કહ્યું, “ વસુદેવ! આ મહાઅદ્ભુત કયાં લઇ જાય છે ? ” મેં પશુ તેને વચન આપ્યુ, આ મહાઅદ્દભુત થાય છે માટે તમે અમારા રાજા થશે; આ ગુપ્ત વાત કાઇને કહેવી નહીં. ” પછી યમુના નદીએ માર્ગ આપ્યા, એટલે તેમાં હું ઊતર્યાં, અને વ્રજમાં–ગાકુળમાં પહાંચ્યા. ત્યાં નંદ ગેાપની પત્ની યશેાદાએ એ પૂર્વે જ પુત્રીને જન્મ આપ્યા હતા તેને એ કુમાર સેપ્ચા, અને પુત્રીને લઇને પાછા જલદીથી પેાતાના ભવનમાં હું' આવ્યેા. દેવકીની સમીપમાં કન્યાને રાખીને હું તરાપૂર્ણાંક ચાલ્યા ગયા. કંસની પરિચારિકાએ પણ તે સમયે જાગી, અને કંસને આ વાતની ખબર આપી. • ભલે અલક્ષણા થાય' એમ કરીને કંસે તે કન્યાનુ નાક કપાળ્યું ** .. (6 કેટલાક દિવસા ગયા પછી, ઘણી સ્ત્રીઓ વડે વીંટળાયેલી તથા ધવલ વજ્રને ધારણ કરનારી દેવકી ગાયાના માની પૂજા કરતી પુત્રને જોવાને માટે વ્રજમાં ગઇ. ( તે સમયથી ) જનપદામાં ગામા –ગાયાને પૂજવાના વિધિ પ્રો. કંસે પણ નૈમિત્તિકને પૂછ્યું, · અતિમુક્ત શ્રમણુના આદેશમાં વિસંવાદ કેમ થયા ? ” નૈમિત્તિકે કહ્યું, “ એ ભગવાનના વચનમાં વિસ ંવાદ ન થાય; (એ પુત્ર) વ્રજમાં ઊછરે છે. '' પછી કૃષ્ણની શંકા કરતા એવા કંસે તેને વિનાશ કરવાને માટે કૃષ્ણુયક્ષેાને આદેશ કર્યા. તેઓ નદગાપના ગાકુળમાં પહેાંચ્યા. ત્યાં તેમણે ગધેડા, ઘેાડા અને આખલા છૂટા મૂકયા. તે લેાકેાને પીડા કરવા લાગ્યા. પણ કૃષ્ણે તેમના નાશ કર્યાં મેં પણુ છાની રીતે કૃષ્ણનું રક્ષણ કરવા માટે સંકષ્ણુને ઉપાધ્યાય તરીકે ત્યાં રાખ્યા. તેણે કૃષ્ણને કલાઓ શીખવી. નૈમિત્તિકનુ વચન પ્રમાણ કરતા એવા કસે સત્યભામા કન્યાના ઘરમાં ધનુષ્ય રાખ્યું કે— જે આ ધનુષ્યને ચઢાવશે તેને સત્યભામા કન્યા આપવામાં આવશે. ’ એક વાર સત્યભામા કન્યાની ઇચ્છા કરતા અનાધૃષ્ટિ વ્રજમાં થઇને આન્યા; બલદેવ અને કૃષ્ણે તેની પૂજા કરી. પ્રસ્થાનના સમયે કૃષ્ણે તેને રહસ્ય બતાવ્યું ( અર્થાત્ ‘હું તારા ભાઈ છું' એમ અનાવૃષ્ટિને કહ્યું). પછી વટવૃક્ષમાં તેના રથના ધ્વજ ભરાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy