SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૮ ] વસુદેવ–હિ'ડી: : પ્રથમ ખંડ : મે શુભ મુહૂર્તમાં જોઇ. સન્તુષ્ટ રાજાએ વિધિપૂર્વક મારી સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. પછી હું ગર્ભગૃહમાં પ્રવેશ્યા. લગ્ન થઇ રહ્યા પછી શ્યામલી મને એકાંતમાં કહેવા લાગી, “ આર્યપુત્ર! હું વિનંતી કરું છું, મને વરદાન આપેા. ” મેં કહ્યું, “પ્રિયે! વિનંતી તા મારે તને કરવી જોઇએ. તુ વિનતી કરે છે તે મારા ઉપર કૃપા થઇ. ” તે ખાલી, “ સદા તમારા અવિયાગ ઇચ્છુ છું. ” મેં કહ્યું, “ આ વર તે મારા છે, તારા નથી, ” તેણે કહ્યુ, “ આ વર માગવાનું કારણ સાંભળેા— અંગારક અને અશનિવેગના પરિચય અહીં વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં કિન્નરગીત નામે નગર છે. ત્યાં અર્ચિ(શિખા)યુક્ત અગ્નિ જેવા તેજસ્વી રાજા અર્ચિમાલી નામે હતેા. તેની દેવી પ્રભાવતી નામે હતી. તેના બે પુત્રા છે-જ્વલનવેગ અને અભિનવેગ. જ્વલનવેગની વિમલાભા નામે મહાદેવી છે અને તેના અંગારક કુમાર છે. અનેિવેગની દેવી સુપ્રભા છે, તેની હું પુત્રી છુ. એક વાર રાજા અર્ચિમાલી પેાતાની દેવી સાથે વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વિહાર કરીને પાછે પેાતાના નગરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં એક સ્થળે સુખપૂર્વક એસીને તેઓ પરસ્પર વાતા કરતાં હતાં. તેનાથી થાડેક દૂર એક હરણ ઊભેલેા હતા. રાજાએ એ મૃગ ઉપર બાણુ ફૂંકયું, પણ તે પાછુ વળ્યું અને મૃગ હાલ્યા પણ નહીં. તેથી ક્રોધથી રાજા બીજી ખાણુ સાંધતા હતા, ત્યાં અષ્ટ રહેલી દેવતાએ તેને બેધ કર્યો, “ ભગવાન નંદ– સુનંદ નામે ચારણશ્રમણેા અહીં લતાગૃહમાં પ્રશસ્ત ધ્યાનમાં રહેલા છે. તેમની નજીકમાં જ તે મૃગ ઉપર બાણુ તાકયુ. તપરિદ્ધિમાન અણુગારા સેકડો પ્રાણીઓનુ રક્ષણ કરે છે. તેઓ જ્યાં રહેલા હાય ત્યાં કાઇ પ્રાણિવધ કરે અને તેના ઉપર જો તેઓ કાપે તે પછી દેવા પણ તેનુ રક્ષણ કરી શકતા નથી. માટે જા, ચારણ્ણાની ક્ષમા માગ, જેથી તારા નાશ ન થાય. ” દેવતાએ આમ કહ્યું, એટલે ડરેલા રાજા ચારણુ શ્રમણેાની પાસે ગયા. ત્યાં વંદન કરીને તેણે કહ્યું, “ ભગવતા! મને ક્ષમા કરે, આપના ચરણની પાસે જ ઊભેલા મૃગના વધ કરવાનું મેં ધાર્યું હતુ. ' એટલે નંદ નામના સાધુએ કહ્યું “ રાજા ! ક્રીડા કરતા લેાકેા કંઇક અંને માટે અથવા કેવળ નિરર્થક પ્રાણિવધ કરીને નીચી ગતિમાં જાય છે અને પરવશ થઇને ત્યાં ઘણા કાળ સુધી હજારા દુ:ખા પામે છે માટે તું પ્રાણિવધના ત્યાગ કર, વૈરબુદ્ધિના ત્યાગ કર. અપરાધી જીવનેા જે વધ કરે તે પણ પાપના સંચયરૂપ તેના ફળમાંથી સેંકડા ભવે પણ બહાર નીકળી શકતા નથી, તેા પછી જે નિરપરાધી પ્રાણીઓના વધ કરે તેનુ તેા કહેવું જ શું ? આવા પ્રકારના ઉપદેશથી જેને વૈરાગ્ય થયા છે એવા તે રાજાએ પાતાના માટા પુત્ર જ્વલનવેગને પ્રજ્ઞસિવિદ્યા તથા રાજ્ય આપીને દીક્ષા લીધી "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy