SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: જોઈને કેની દષ્ટિ આનંદ ન પામે?” દેવીએ કહ્યું કે, “ ખરેખર એ બધું સાચું છે. ધરણિતલના પૂર્ણચંદ્ર સમાન આ પુરુષ દેવ હશે કે વિદ્યાધર હશે ?' દાસીએ જવાબ આપ્યો, “મને જવાની રજા આપો. એ બાબતમાં તપાસ કરીને ખબર લાવીશ.” રાણીએ દાસીને જવાની રજા આપી. એ બાબતમાં પૂરી તપાસ કરીને પાછી આવેલી દાસી કહેવા લાગી કે, “આ જ નગરમાં રહેતા સમુદ્રપ્રિય સાર્થવાહને એ લલિતાંગ નામને કલાનિપુણ અને ગુણવાન પુત્ર હતો.” એ વચન સાંભળીને લલિતાદેવી કહેવા લાગી, “સખીમંદ ભાગ્યને કારણે મેં એને જે ત્યારથી મારું હૃદય ચંચળ બની ગયું છે. મારી આ અપરાધી આંખો એના પ્રત્યે જ આકર્ષાઈ છે.” દાસીએ કહ્યું, દેવી! વિષાદ ન કરો. તમારું પ્રિય કરવા માટે તેને હું કોઈ ન જાણે તેમ અહીં લાવીશ.” દેવીએ કહ્યું, “ખરેખર, આ શરીરના રક્ષણ નિમિતે તું યત્ન કર.” “ભલે” એમ કહીને તથા દેવીએ લખાવેલે પ્રેમપત્ર લઈને તે દાસી લલિતાંગ પાસે ગઈ. તેના દર્શનથી દેવીને ઉદ્દભવેલે ચિત્તવિકાર પણ દાસીએ લલિતાંગને કહ્યો. દાસીનું વચન સાંભળીને, જેણે પ્રેમપત્ર હાથમાં લીધો છે એ તે લલિતાંગ કહેવા લાગ્યું કે, “સુતનું ! મારા ઉપર ઘણું કૃપા થઈ, પરતુ ધરણિતલ ઉપર ચાલતો કયે પુરુષ ચન્દ્રલેખાને સ્પર્શ કરી શકે? અનિન્દ્રિત એવો કોણ શબને જુએ?” ત્યારે દાસીએ જવાબ આપે, સહાય વગરના માણસ પાસેથી હાથમાં આવેલી વસ્તુ પણ નાશ પામે છે, પરંતુ સહાયવાળા માટે કંઈ દુર્લભ નથી. આ વસ્તુની જવાબદારી હું માથે લઉં છું.” આમ કહી તે પાછી વળી ને તેણે દેવીને સર્વ હકીક્ત જણાવી. આ પછી તે બન્નેને મેળાપ કરાવવાનો ઉપાય વિચારીને પૂર્ણિમાના દિવસે “દેવીની તબિયત અસ્વસ્થ છે” એમ જણાવીને તેના ઉપચારને માટે આવતા લેપ કરનારાઓના છાથી તે લલિતાંગનો પેલી દાસીએ દેવીના વાસઘરમાં પ્રવેશ કરાવ્યો. અશંકિત એવો તે દેવીની સાથે વિષપભેગમાં આસક્ત રહેવા લાગ્યું. બીજી બાજુ અંત:પુરના મહત્તરકોએ આ વાત રાજાને જણાવી. આ બાબતની તપાસ શરૂ થઈ. નિપુણ દાસીએ આ વાત જાણી. પછી એ બને જણીઓએ પોતાના રક્ષણ માટે લલિતાંગને ખાળકૂવામાં નાખ્યો. એ અત્યંત અપવિત્ર કૂવાને જોઈને પોતાના જ્ઞાનની નિન્દા કરતો તે પરમદુઃખી વિચાર કરવા લાગ્યું, “જે અહીંથી હું બહાર નીકળે તો આવા વિષમ પરિણામવાળા ભેગનો હું ત્યાગ કરીશ.” પેલી બે જણઓ લલિતાંગ પ્રત્યેની અનુકંપાથી વધે એંઠવાડ ખાળકૂવામાં નાખતી. ભૂખના દુઃખથી અને પછી પરિચયથી એવો આહાર પણ તે ખાવા માંડ્યો. વર્ષાઋતુમાં ઘણાં પાણીથી પેલે કુ ઉભરાઈ ગયે, આથી એમાંનું પાણ-ખાળનું પાણી જે ખાઈમાં વાળેલું હતું ત્યાં-ચાલ્યું જાય એટલા માટે માણસોએ તે કૂવે ઉઘાડ્યો. પાણીના વેગથી ખેંચાતે લલિતાંગ એકદમ ખાઈના કિનારે નીકળે. તેના ઉપર એકદમ પવનની ઝપટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy