SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૨ ] વસુદેવ-હિંડી: : પ્રથમ ખંડ : વર પસંદ કરી લેજે. હું પુત્રિ ! સ્વચ્છંદ બુદ્ધિવાળી ન થઈશ, નહીં તેા જેવી રીતે વસુદત્તા દુઃખ પામી, બીજાની વાત નહીં સાંભળતા રિપુદમન નાશ પામ્યા. તેવી દશા તારી પણ થશે. આ સાંભળીને તેણે પૂછ્યું, “હે માતા ! વસુદત્તા કાણુ હતી ? તે કેવી રીતે દુ:ખ પામી ? ” ત્યારે મે કહ્યુ, “ હું સુતનુ ! સાંભળ— 27 * સ્વચ્છંદતા વિષે વસુદત્તાનું ઉદાહરણ ઉજ્જયિની નામે નગરી છે. ત્યાં વસુમિત્ર નામે ગૃહપતિ રહેતા હતા. તેની પત્ની ધનશ્રી, પુત્ર ધનવસુ અને પુત્રી વસુદત્તા નામે હતી. કોશાંખીના વતની ધનદેવ સાર્થવાહ વાણિજય પ્રસ ંગે ઉજ્જયિની આવ્યેા હતા, તેને વસુમિત્ર સાથે વાહે પેાતાની પુત્રી વસુદત્તા આપી. લગ્ન થયા બાદ ધનદેવ તેને લઇને કૌશાંખી આન્યા અને માતા-પિતા સહિત સુખપૂર્વક રહેવા લાગ્યા. 66 66 કેટલેક સમયે ધનદેવને વસુદત્તાથી બે પુત્રા થયા. ત્રીજી વાર તેને ગર્ભ રહ્યો. અને પ્રસવના સમય નજીક આવ્યા. એ વખતે ધનદેવ પ્રવાસે ગયેા. એવામાં વસુદત્તાએ સાંભળ્યું કે, ઉજ્જિયની તરફ્ સા જાય છે. ” આથી પિતા-માતા અને બાંધવાને મળવાની ઇચ્છાવાળી તે સાસુ-સસરાની આજ્ઞા માંગવા લાગી કે, “હું ઉજ્જયની જાઉં છું: ” તેઓએ કહ્યું, “ પુત્રિ ! એકલી કયાં જઇશ ? તારા પતિ પ્રવાસમાં છે. તે આવે ત્યાં સુધી રાહ જો, ” પણ તેણે કહ્યુ, હું તેા જાઉં છું. પતિ મને શું કહેવાના હતા ? ” સાસુ-સસરાએ ફરી વાર વારવા છતાં તેણે સાંભળ્યું નહીં અને સ્વચ્છંદી તથા વિડલાની આજ્ઞા ઉલ્લધનારી તે પોતાના પુત્રાને લઇને નીકળી. જેમના કુટુંબને વૈભવ ક્ષીણ થયા છે એવાં તે સાસુ-સસરા પણુ ‘ આ આપણું વચન કરશે નહીં’ એમ માનીને ચૂપ રહ્યાં. પછી એ મંદભાગ્યે વસુદત્તા નીકળી, ત્યાં સુધીમાં તે સાથે દૂર ચાલ્યા ગયા હતા. સાથી જુદી પડેલી તે માર્ગ ભૂલી જતાં ખીજા માગે ગઇ. એના પિત તે જ દિવસે પ્રવાસમાંથી આવ્યેા. તેણે માતાને પૃથ્યુ, “ માતા ! વસુદત્તા કયાં ગઇ ? '' માતાએ જવાબ આપ્યો, “ પુત્ર! અમે વારી છતાં ઉજ્જયિનીના સાની સાથે ગઈ. ’ સ્ત્રી-પુત્રના અનુરાગથી બંધાયેલા તે અહા ! અકાર્ય થયું' એમ ખેલતા ભાથું લઇને માર્ગ શેાધતા તેની પાછળ ગયેા. એમ જતાં જતાં પેાતાની પત્નીને અટવીમાં ભમતી તેણે જોઇ. ફરી વાર પત્નીને મનાવીને તેણે પ્રસન્ન કરી. આગળ ચાલતાં તેઓ એક મેાટી અટવીમાં પ્રવેશ્યાં. ત્યાં સૂર્ય અસ્ત પામતાં તે રહ્યાં. એ સમયે વસુદત્તાના પેટમાં વેણુ ઉપડી, ધનદેવ સાર્થવાહે વૃક્ષની શાખાએ અને પાંદડાં તાડીને તેને માટે મંડપ કર્યાં. ત્યાં વસુદત્તાએ પુત્રને જન્મ આપ્યા. તે વખતે રાત્રિના અંધકારમાં રુધિરની ગંધથી આકર્ષાયેલા, પશુઓનું માંસ ખાનારે, અટવીનાં હિંસક પ્રાણીઓને પણ કાળ અને મોટા ભયરૂપ વાઘ ત્યાં આવ્યેા. સૂતેલા ધનદેવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy