SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પસ્મિલ્લ-હિંડી [ ૮૯ ] શરીરવાળો ધર્મપ્રેમી રાજા અને નગરજને કુતૂહલથી ત્યાં ગયા. ધમ્મિલને પણ એ ભગવાનનું આગમન કૌટુમ્બિક પુરુષોએ જણાવ્યું. આથી હર્ષ પામેલો ધમ્મિલ પિતાના પરિવાર સહિત સંભ્રમપૂર્વક વૈભારગિરિ પહોંચ્યો. ત્યાં તપ, ચારિત્ર્ય અને ક્રિયાવડે સંસાચેલ શરીરવાળા શ્રમણે વડે શોભાયમાન ગિરિશિખર નીચેની ગુફા તેણે જોઈ. એ સાધુઓને પ્રણામ કરતો કરતો તે આગળ ચાલ્યા. આગળ જતાં તેણે શ્રમણમાં ગંધહસ્તી સમાન, મૃદુ, વિશદ, મધુર અને મનોહર વચનોથી ધર્મ કહેતા ભગવાન ધર્મરુચિને જોયા. જઈને તેણે તેમને પ્રણામ કર્યા. સર્વ સ્વર્ગોના સોપાન સમાન એ ભગવાને ધમ્મિલને ધર્મલાભ” કહીને આવકાર આપ્યો, અને સર્વ જગતને સુખકારક ધર્મ તેને કહ્યો. ઉપદેશ પૂરો થતાં ધમિલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણનાર તે સાધુને વંદન કરીને પિતાની તપશ્ચર્યા સંબંધમાં પ્રશ્ન કર્યો કે, “મેં પૂર્વ જન્મમાં એવું શું કર્યું છે, જેથી આ સુખદુ:ખની પરંપરાને હું પામે ?” એટલે સાધુએ કહ્યું – ધમ્મિલ્લના પૂર્વજન્મની કથામાં સુનંદને ભવ આ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં ભરુકચ્છ નામે નગર છે. ત્યાં જિતશત્રુ રાજા હતો, તેની રાણી ધારિણી નામે હતી. એ નગરમાં કુલ અને રૂપને છાજતા વૈભવવાળે અને જિનશાસનના શ્રવણથી રહિત બુદ્ધિવાળો મહાધન નામે ગૃહપતિ હતો અને તેની પત્ની સુનંદા નામે હતી. હે ધમ્મિલ ! આ ભવથી ત્રીજા ભવમાં તું સુનંદ નામે તેઓને પુત્ર હતો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે સુનંદ આઠ વર્ષથી કંઇક મોટો થે એટલે માતા-પિતાએ તેને કલા–આચાર્યને ત્યાં મૂક્યા. ત્યાં તેણે કલાઓને યથાયોગ્ય અભ્યાસ કર્યો. કેટલાક સમય પછી તે બાળકના માતા-પિતાના અગાઉના પરિચિત પ્રિય પરોણું આવ્યા. તેઓ ત્વરાથી એ પરણાઓને ભેટ્યાં, સ્નિગ્ધ અને મધુર વચનથી તેમને બોલાવ્યા. કુલગુડ અને સગાસંબંધીઓનું ક્ષેમકુશળ પૂછીને સત્કાર કર્યો. એ પરોણાએને આસન આપવામાં આવ્યું તે ઉપર તેઓ બેઠા, અને પગ ધેઈને સુખપૂર્વક તેઓ નિશ્ચિન્તપણે ત્યાં રહ્યા. પછી પેલા પુત્રને પિતાએ કહ્યું, “બેટા ! કસાઈવાડામાં જઈને માંસ લઈ આવ.” એટલે પરણાઓના માણસ સાથે પૈસા લઈને તે કસાઈવાડામાં ગયા, પરંતુ તે દિવસના કંઈક યુગે માંસ મળ્યું નહીં. એટલે પરોણાઓના માણસે છોકરાને કહ્યું, “ભાઈ ! ચાલ માછીવાડામાં જઈએ.” છોકરાએ હા પાડી. તેઓને માછીવાડામાંથી પાંચ જીવતાં માછલાં મળ્યાં. છોકરાએ વારવા છતાં પરોણાના માણસે તે લીધાં. માછલાં લઈને જે માગે આવ્યા હતા તે માગે જ તેઓ પાછા વળ્યા. ચાલતાં ચાલતાં તેઓ જળાશય આગળ આવ્યા. પેલા માણસે છોકરાને કહ્યું, “આ માછલાં લઈને તું જા. આગળ મારી રાહ જોજે. હું જંગલ જઈને આવું છું. ” પછી જળની પાસે માછલાંને તરફડતાં ઈને જેને અનુકંપા થઈ છે એવા તે છોકરાએ કર્મોપશમની ભવિતવ્યતાથી માછલાંને ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy