SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પાણીમાં છોડી દીધાં. ક્ષીણ કર્મવાળા આત્માઓ જેમ નિર્વાણમાં જાય તેમ એ માછલાં પણ શીઘ્રતાથી પાણીમાં પેસી ગયાં. પેલો માણસ આવીને છોકરાને પૂછવા લાગે, માછલાં ક્યાં?” તેણે ઉત્તર આપ્યો, “પાણીમાં મૂકી દીધાં.” એટલે પેલાએ કહ્યું, ભાઈ ! આ ઠીક ન કર્યું. તારા પિતા ક્રોધે ભરાશે.” પછી તે બન્ને જણા ઘેર ગયા. પિતાએ છોકરાને પૂછ્યું, “કેમ માંસ આપ્યું ?” એટલે નોકરે કહ્યું, “માંસના અભાવે જીવતાં માછલાં આપ્યાં હતાં, તે પણ રસ્તામાં આ છોકરાએ પાણીમાં મૂકી દીધાં. ” પિતાએ છોકરાને પૂછયું, “તેં કેમ માછલાં છોડી દીધાં? ” એટલે છોકરો બોલે, “માછલાંને તરફડતાં જોઈને મને દયા આવી, અને મેં પાણીમાં મૂકી દીધાં. હવે તમારે જે કરવું હોય તે કરો.” છોકરાએ આમ કહ્યું એટલે મિથ્યાત્વથી ગ્રસ્ત બુદ્ધિવાળો તેને પિતા અત્યંત કોપે ચઢ્યો, અને કપાળમાં ત્રણ રેખા પાડી, ભ્રમર ઊંચી ચડાવી કોઈ પ્રકારની દયા વગર તે છોકરાને નેતરથી મારવા માંડ્યો, મિત્ર, બાંધવ અને પરિજનોએ વારવા છતાં તે મારતો રહ્યો નહીં. છેવટે પિતાની ઈચ્છાથી જ તેણે મારવાનું બંધ કર્યું. પછી શારીરિક અને માનસિક સંતાપ પામેલે, પિતાવડે અનેક પ્રકારના ત્રાસ, ધમકાવટ અને અપમાનથી તિરસ્કાર પામતો, શરીર ક્ષીણ થતાં અંતે તે પુત્ર મરણ પામ્યા. સ્મિલ્લના પૂર્વજન્મની કથામાં સરહનો ભવ વિષમ પર્વતના ઢળાવ ઉપર આવેલા અને અતિ મોટી અને દુર્ગમ ગુફાથી વીંટળાયેલા, વૃક્ષ, લતાઓ અને જાળાંઓથી ગહન તથા પાપીજનોના નિવાસ અને તેમનાં કાર્યોના સ્થાનરૂપ પ્રદેશમાં, જ્યાં બહારના એક પણ માણસને પ્રવેશ મુશ્કેલ છે એવી જગાએ વસેલી વિષમકંદરા નામે ચોરપલી છે. ત્યાં પલ્લીવાસીઓનો મુખી અને પોતાનાં કર્મોને પ્રતાપ જેણે વિસ્તાર્યો હતો એવો મંદર નામે ચોર-સેનાપતિ રહેતો હતો. તેની પત્ની વનમાલા નામે હતી. જેણે પિતાના કર્મથી આયુષ્ય બાંધ્યું છે એ પેલો સુનન્દ એ વનમાલાના ગર્ભમાં આવ્યું. પૂરા દિવસે તે જમ્યા અને તેનું નામ સરહ પાડવામાં આવ્યું. સુખપૂર્વક ઉછરતા અને વ્યાધપુત્રોની સોબતમાં ફરતો તે પિતાના કામમાં મશગૂલ થઈને રહેતો હતો. પછી કેટલાક સમયે તેનો પિતા કોઈ અકાળ-મરણ કરનાર વ્યાધિથી મરણ પામે. મિત્રો અને બાંધ સહિત પુત્રે તેને અગ્નિસંસ્કાર કર્યો, અને બીજાં લૌકિક કાર્યો પણ કર્યા. પછી તે પુત્રનો પલીના વૃદ્ધજનોએ સેનાપતિ તરીકે અભિષેક કર્યો. સ્વજને અને પરિજનો વડે પરિવરાયેલે તે પલીન લેકેનું પાલન કરતો સુખપૂર્વક સમય વીતાવતા હતા. એક વાર સુખપૂર્વક બેઠેલા તે સરહને વિચાર થયો કે–ચાલે, બહાર જાઉં.” એક જ વસ્ત્ર પહેરેલો તે હાથમાં ધનુષ્ય લઈને પહેલીથી થોડેક દૂર ગયે. ત્યાં અતિ દુર્બળ શરીરવાળા, કશાકથી રોકાયેલા હાથવાળા, માર્ગ ભૂલેલા પુરુષોને તેણે જોયા. ૧. સાધુનાં ઉપકરણો હાથમાં રાખવાથી. સરહ સાધુઓને કે તેમનાં ઉપકરણને જાણતા નથી એટલે સાધુએના હાથ “કશાકથી રોકાયેલા ” સમજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy