SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મિલ્લ-હિંડી [ 1 ] તેણે વિચાર્યું કે, “આ લેકે કોણ હશે?” તેઓને આયુધ વગરના જોઈને સરહને તેમની પ્રત્યે અનાદર થયે. પછી તે તેમની પાસે ગયે. સ્વર્ગમાર્ગના સોપાન સમાન, હિત, શિવ, સુખ અને કલ્યાણ કરનાર, મધુર વચનાવાળા અને પૂર્વાભાષી એ શ્રમણ ભગવાને એ તેને ધર્મલાભ કહ્યા. તેણે પ્રણામ કરીને પૂછયું, “તમે કોણ છે? કયાંથી આવે છે? અને કયાં જાઓ છે ?એટલે તેઓએ ઉત્તર આપે, “સર્વ પ્રકારની હિંસાથી વિરક્ત અને ધર્મમાં રહેલા શ્રમણે તરીકે અમે ઓળખાઈએ છીએ.” સરહે પૂછયું, “ધર્મ એ શું છે?” તેઓએ કહ્યું, “બીજાને દુઃખ નહીં આપવું તે.” પછી તેણે શ્રમણને માર્ગ ઉપર ચડાવ્યા, અને પોતે પણ પલ્લીમાં આવ્યો.. - આ પછી કેટલાક દિવસ બાદ ચારેના સમૂહ સહિત તે સરહ ધાડ પાડવા માટે નીકળ્યા અને એક ગામ આગળ આવ્યા. ત્યાં ગામની પાસે દિવસ વીતી જાય તેની રાહ જેતે એક વિષમ અને છાની જગાએ બેઠા. એણે વિચાર કર્યો, “બીજાને દુઃખ આપવાથી અધર્મ થાય છે, બીજાને સુખ આપવાથી ધર્મ થાય છે–એવું શ્રમણે કહે છે. તો મારે બીજાને દુઃખ દઈને શું કામ છે ? બીજાને સુખ થાય તેવું આચરણ મારે કરવું જોઈએ.” આમ વિચારી બધાં હથિયાર ફેંકી દઈને તે ગામમાં ગયે. - ત્યાં ઉત્તમ શીલ અને સમ્યફ આચારવાળે, કરુણવાન, મત્સર રહિત અને સર્વે પ્રાણિઓ પ્રત્યે અનુકંપાવાળે એ સરહ કાલધર્મ પામીને આ કુશાગ્રપુર નગરમાં સુરેન્દ્રદત્ત સાર્થવાહની પત્ની સુભદ્રાની કૂખમાં પુત્ર તરીકે આવ્યું. ધમિલ્લ ! તું જ્યારે ગર્ભમાં આવ્યું ત્યારે ધર્મ કરવાને દેહદ માતાને છે. જેનો દેહદ પૂરો થયો છે એવી તારી માતાના ગર્ભને નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પૂરાં થતાં રૂપવાન પુત્ર જન્મ્યો. તે બાર દિવસને થયે, એટલે માતા-પિતાએ તારા રૂપને અનુરૂપ અને ગુણથી યુક્ત એવું તારું નામ પાડયું કે–આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે અમને ધર્મ આચરવાને દેહદ થયો, માટે તેનું “ધમિલ્લ” એવું નામ આપણે પાડીએ. માટે હે ધમ્મિલ! પૂર્વભવમાં જીના રક્ષણરૂપ બીજ વાવવાથી આ ભવમાં તે આવી માનવરિદ્ધિ પ્રાપ્ત કરી છે.” પછી સાધુનું એ વચન સાંભળીને ચિન્તન, ઊહાપોહ, નિરીક્ષણ અને અન્વેષણ કરતા અને બુદ્ધિપૂર્વક વિચાર કરતા એ ધમિલને પૂર્વજન્મનું સ્મરણ થયું. જેને પૂર્વજન્મનું સ્મરણ થયું છે, વૈરાગ્ય અને શ્રદ્ધા દ્વિગુણિત થયાં છે એવા તથા આનંદાશ્રુથી ઊભરાતી આખેવાળા તે ધમ્પિલે આ માનવ જીવન તથા તેમાંનાં સંગવિયેગને અનિત્ય અને અનેક દુઃખોથી ભરપૂર સમજીને કામગોથી ઉદાસીન થઈ તે જ ધર્મચિ સાધુની પાસે દિીક્ષા લીધી, અને સામાયિક આદિ અગિયાર અંગે ભણી લીધાં. પછી ઘણુ સમય સુધી સાધુ–પર્યાય પાળીને માસિક સંખનાથી પિતાની જાતને ખપાવીને, સાઠ ભક્ત સુધી અનશન કરી તે અચુત ક૫માં દેવેન્દ્રને સામાનિક બાવીસ સાગરોપમના આયુષ્યવાળે દેવ થયો. એ દેવેલેકમાંથી અવીને મહાવિદેહ વર્ષમાં અવતાર પામીને મોક્ષમાં જશે. આ પ્રમાણે ધમ્મિલે તપશ્ચર્યાથી રિદ્ધિ પ્રાપ્ત કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy