SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : એ પ્રમાણે સમય વિતતાં કે એક વાર પ્રશસ્ત રૂપવાળા બે બ્રાહ્મણે (રાજભવન આગળ) આવીને દ્વારપાલને કહેવા લાગ્યા, “રાજાના રૂપથી (રૂપ વિષે સાંભળીને) આશ્ચર્ય પામેલા અને ઈર્ષાળુ બનેલા અમે તેને જોવા માટે આવ્યા છીએ.” તે જ સમયે સનકુમાર શરીર ઉપર તિલાવ્યંગ કરાવીને વ્યાયામશાળામાં બેઠો હતો. પછી તે બ્રાહ્મણેએ પ્રતિહારને પ્રેર્યો. એટલે તેણે રાજાને આ વાત જણાવી. જેની પાસે જવાનું કાર્ય સુગમ છે એવો તે રાજા કહેવા લાગ્યા, “ એમને ઉતાવળ હોય તે પ્રવેશ કરાવ.” પછી તે બ્રાહ્મણેએ અંદર પ્રવેશીને યાશીષ આપી, અને રાજાને જોઈને અત્યંત સંતુષ્ટ થયેલા તેઓ બોલ્યા, “ જેવો તમારો રૂપતિશય અમે સાંભળ્યું હતું તેવો જ છે.” રાજાએ તેમને કહ્યું, “ કહે, અહીં આવવાનું શું પ્રજન હતું?” તેઓ બેલ્યા, “કંઈ પ્રયેાજન નથી, કેવળ તમારી રૂપલક્ષમી જેવાને માટે જ અમે આવ્યા છીએ.” રાજાએ કહ્યું “ જે એમ હોય તો, મારી રૂપલક્ષમી કેવી છે? તમારી જે ઈચ્છા હોય તો હું સ્નાન અને અલંકાર ધારણ કરું ત્યાર પછી મને જેજે.તેઓએ એ વસ્તુ સ્વીકારી અને બહાર નીકળ્યા. રાજા પણ અનુક્રમે સ્નાન કરીને જમે, તથા સારા અલંકાર પહેર્યા. પછી તેણે બ્રાહ્મણને સંભાર્યા. તેઓ આવ્યા, અને રાજાને એ અવસ્થામાં જોઈ વિષાદ પામીને કહેવા લાગ્યા, “ ખરેખર, દુઃખની વાત છે કે એક ક્ષણમાં પણ આટલે ક્ષય થાય છે! ધિક્કાર છે અનિત્યતાને કે જે વડે નહીં સ્પર્શાયેલું એવું કેઈ સ્થાન નથી !” રાજાએ તે બ્રાહ્મણને પૂછયું, “કેમ આવું બોલે છે “હા! અનિત્ય!” એવું શાથી ઉચ્ચારે છો? શેનો ક્ષય? શા કારણથી તમે ખિન્ન થયા છે?” એટલે તેઓ કહેવા લાગ્યા “ સાંભળો, રાજા! અમે શક્રરાજાના સામાનિક દે છીએ. એક વાર ઈન્દ્ર તમારા રૂપની પ્રશંસા કરી કે–અહો ! સનસ્કુમાર રાજાની રૂપશ્રી અદ્દભુત હોઈ મનુખેલકમાં દુર્લભ છે, એટલું જ નહીં પણ કેટલાક દેવને માટે પણ પ્રાર્થનીય છે.” આથી કુતૂહલથી અમે તમને જોવાને માટે આવ્યા. સવારમાં તમારી જે સ્વાભાવિક રૂપલક્ષ્મી હતી તે અત્યારે અત્યંત અલંકૃત હોવા છતાં ક્ષીણ થયેલી છે. આથી અમે ખેદ પામ્યા.” રાજાએ તેમને પૂછયું, “એટલા જ સમયમાં રૂપશાભા શી રીતે ક્ષીણ થાય?” તેઓ કહેવા લાગ્યા “રાજન ! શરીરની જે રચના હોય છે, અંગોપાંગની જે નિષ્પત્તિ હેય છે તથા પ્રાણીને જે સુભગતા, સુસ્વરતા, આદેયતા અને લાવણ્ય પ્રાપ્ત થાય છે તે નામકર્મનો વિષય છે. ઔદારિક અને ક્રિય શરીરની સાથે સંબંધ પામીને ઉદયમાં આવેલી તથા પ્રતિસમય અનુક્રમે ક્ષીણ થતી એ વસ્તુને (સુભગતા આદિને ) ચર્મચક્ષુ જોઇ શકતું નથી, પણ અમે દિવ્ય અવધિજ્ઞાનથી તે (ક્ષીણતા) જોઈને વિષાદ પામ્યા. એ જ પ્રમાણે સમય, ક્ષણ, લવ, મુહૂર્ત અને દિનના ક્રમથી આયુષ્ય ક્ષીણ થાય છે.” આવું દેવવચન સાંભળીને સનકુમાર કહેવા લાગ્યા, “જે રિદ્ધિ આવી અનિત્ય છે, તો પરલોકના (કલ્યાણ) માટે સમર્થ એવી વસ્તુની હું સાધના કરીશ; માટે હું વિષયમાં વૈરાગ્ય કરીશ, અને તપ તથા સંયમમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy