SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયા લંભક [ ૨૨૭ ] તારે મને પ્રતિબંધ પમાડવો.” મનોહરીએ તે સ્વીકાર્યું. પછી મનોહરીએ દીક્ષા લીધી અને પરમ ધૃતિબળથી તે અગિયારે અંગ ધારણ કરનાર થઈ. જેનો વૈરાગ્ય પડ્યો નથી એવી તે કરોડ વર્ષ સુધી તપ કરીને સમાધિથી કાલધર્મ પામી લાન્તક કપમાં ઈન્દ્ર તરીકે આવી. તે (મનોહરીને આત્મા ) તમે મને જાણે. બલદેવ અને વાસુદેવ પ્રમુદિત થઈને ઘણા કાળ સુધી ભેગ ભોગવતા હતા. એક વાર તેઓ ઘોડા ઉપર બેસીને ફરવા નીકળ્યા. વાવાઝોડાને કારણે તેઓ રસ્તો ભૂલી ગયા અને અટવીમાં પ્રવેશ્યા. ગાયો અને રથના સંચારનો માર્ગ તેઓને જડે ત્યાર પહેલાં તે દૂર સુધી જઈને તેમના ઘડા મરણ પામ્યા, અને વિભીષણ પણ મરણ પામે; પરંતુ તે મરણ પામ્યો છે એમ નેહને લીધે અચલ સમજે નહીં. “મૂચ્છિત થયો છે, એટલે ડી વારમાં સ્વસ્થ થશે” એમ સમજીને તેને શીતલ વનઘટાઓમાં તે લઈ ગયે. હું એ વખતે લાન્તક કપમાં હતો, તે પુત્રનેહથી અમારા સંકેતનું સમરણ કરીને ક્ષણવારમાં વિભીષણનું રૂપ વિકુવીને ત્યાં આવ્યું. રથમાં બેઠેલા બલદેવ(અચલ)ને મેં કહ્યું, ભાઈ ! હું વિદ્યાધરોની સાથે યુદ્ધ કરવા ગયે હતો. તેમને મેં વશ કર્યો છે. આ તક મેળવીને મારું રૂપ ધારણ કરીને કેઈએ તમને મોહ પમાડયા છે, માટે ચાલે આપણે નગરમાં જઈએ. મારું ધારીને જે કલેવર તમે સાચવી રાખ્યું છે, તેને પણ આપણે સંસ્કાર કરીએ.” પછી એ કલેવરનો અગ્નિસંસ્કાર કરીને લેકે વડે પૂજાતા અમે અમારા નગરમાં આવ્યા, અને ઘરમાં એક આસન ઉપર બેઠા. પછી મેં મનોહરીનું રૂપ દર્શાવ્યું. સંબ્રાન્ત થયેલા અચલે કહ્યું, “માતા ! તું અહીં કયાંથી ?” પછી મેં મારી દીક્ષાના સમયના સંકેતની તથા વિભીષણનું મરણ થયાની બધી વાત કરીને કહ્યું, “હું લાન્તક કપમાંથી તમને પ્રતિબોધ પમાડવા માટે આવ્યો છું. મનુષ્પરિદ્ધિને અનિત્ય જાણીને પરલકના હિતનું ચિન્તન કરો.” પછી લાન્તક ઇન્દ્ર પોતાના ક૯૫માં ગયે. પછી અચલ પિતાના પુત્રને રાજ્ય સેંપીને, તપ કરીને ઈશાન કલ્પમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાગક નામે દેવ થયો. જ્યારે મને તેનું સ્મરણ થતું ત્યારે પુત્રનેહથી હું દેવી સહિત લલિતાગકને વારંવાર લાન્તક કપમાં લઈ આવતો હતો. તે લલિતાગક દેવ સાગરોપમના સાત-નવમાંશ ભાગ સુધી દેવસુખ ભેળવીને શ્રીપ્રભ વિમાનમાંથી ; તેને સ્થાને બીજે દેવ ઉત્પન્ન થયો. તેને પણ હું પુત્રરનેહથી લાન્તક કપમાં લાવતો હતે. એ પ્રમાણે સત્તર લલિતાગક દેવ થઈ ગયા. આ જે શ્રીમતીને લલિતાગક છે તે અઢાર છે, તેને હું ઘણી વાર લાન્તક કપમાં લઈ ગયા હતા, તેથી તેને હું ઓળખું છું. પછી લાન્તક ક૯૫માંથી અવીને વજસેન થયો.” પછી રાજાએ કહ્યું, “વજાજંઘને બોલાવો.” આ પ્રમાણે આજ્ઞા મળતાં કંચુકી ગયે. વાજંઘ આવ્યો. પરિતેષથી જેની આંખે વિકાસ પામી છે એવી મેં આશ્ચર્યભૂત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy