SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ “બુધસ્વામીના “બહત્કથામ્ભસંગ્રહ” દ્વારા “બહકથા’નું જે નેપાલી રૂપાન્તર આપણને પ્રાપ્ત થાય છે તેના ઘણા કથાપ્રસંગનું “વસુદેવ-હિંડી” સાથે સામ્ય હેઈ, કાશ્મીરી રૂપાન્તરોને મુકાબલે નેપાલી રૂપાન્તર મૂળનું સાચું ચિત્ર રજૂ કરતું હોવાનું લાકે તેનું વિધાન વધારે શ્રદ્ધેય બને છે. ઉદાહરણ તરીકે–“વસુદેવ-હિંડી ની ગણિકાપુત્રી સુહિરણ્યાની જેમ “બહત્કથાકસંગ્રહ’ની મદનમંજુકા પણ એક વારાંગના પુત્રી છે, જ્યારે કાશ્મીરી રૂપાન્તરમાં મદનમંકા એક બૌદ્ધ રાજાની દૌહિત્રી છે. વસુદેવની પત્ની ગધર્વદત્તા એક વણિકની દત્તક પુત્રી છે, બુધસ્વામીએ પણ પ્રસંગ એ જ પ્રમાણે આ છે; જ્યારે કાશ્મીરી રૂપાન્તરમાં ગાધ ૨ દેશને રાજા ઊભું કરી દેવામાં આવ્યો છે ! ગધર્વદત્તાના પાલક પિતાની આત્મકથા એ દરિઆઈ સફરનાં પરાક્રમની એક અતિ રસપ્રદ કથા છે અને એના અમુક અંશે “અરેબીઅને નાઈટ્રસ ” ની ચોક્કસ વાર્તાઓના મૂળ તરીકે પુરવાર થયા છે–એ આખીયે કથા કાશ્મીરી રૂપાન્તરોએ દૂર કરી દીધી છે ! “વસુદેવ-હિંડી' નું કથાનક આ અંશમાં બુધસ્વામીને મળતું આવે છે, પણ એમાં કેટલેક રસિક તફાવત પણ છે. “ બહત્કથાશ્લોકસંગ્રહ’ ના કેટલાક વ્યાપક અને આવશ્યક અંશે કાશ્મીરી રૂપાન્તરોમાં લુપ્ત થઈ ગયેલા છે, તે “વસુદેવ-હિંડી' માં જોવા મળે છે. વળી સામી બાજુએ એ પણ ઉમેરવું જોઈએ કે કાશ્મીરી રૂપાન્તરના જે અંશેને લાકેતેએ મૂલ પ્રાચીન “બૃહત્કથા' ની અપેક્ષાએ સંદિગ્ધ અને પ્રક્ષિપ્ત ગયા હતા અને એવા અંશે કાશ્મીરી રૂપાન્તરોમાં ૯/૧૧ જેટલા છે–તેમની સાથે સરખાવી શકાય એવું કંઈ “વસુદેવ-હિંડી' માંથી મળ્યું નથી. અર્થાત અત્યાર સુધી જે તદ્દન સંભવિત ગણાતું હતું, પણ “બ્રહકથાકસંગ્રહ”ની અપૂર્ણ સ્થિતિને કારણે પુરવાર કરી શકાતું નહતું તે હવે પુરવાર થઈ ગયું છે: તે એ કે એક તરફ, પ્રાચીન મૂલ “બહકથા’ને એક મોટો અંશ કાશ્મીરી રૂપાન્તરમાં લુપ્ત થઈ ગયો છે; બીજી તરફ, કાશ્મીરી રૂપાન્તરોને એક મોટો અંશ મૂલ “બૃહકથા ”માંથી ઉદ્ભવ પામેલે નથી. છેવટે, એ પણ પુરવાર થાય છે કે કાશ્મીરી લેખકે સમક્ષ હતા એવા મૂળ “બૃહત્કથા”ના માત્ર હાડપિંજરની તુલનાએ વિગત–ભરપૂર, નર્મયુક્ત અને જીવનભર્યું એવું મૂલ “બૃહકથા નું સ્વરૂપ આ બન્ને રૂપાન્તરના (“વસુદેવ-હિંડી” અને “બૃહત્કથાલેખસંગ્રહ”ના) કર્તાઓ સમક્ષ સમાનપણે હતું. કાશ્મીરી રૂપાન્તરોની ઉપરકહી ખામીઓને કારણે તે, બુધસ્વામીએ ગુણાત્યના મૂલ ગ્રન્થની વસ્તુસંધટનાનો અને તેના સરવને વારસો કેટલે અંશે સાચવ્યો છે એની વાસ્તવિકતા પણ તપાસી શકાય એમ નહોતું. અહીં પણ બુધસ્વામીમાં આપણે વિશ્વાસ સારા પ્રમાણમાં વધે છે, કેમકે “બહત્કથાશ્લેકસંગ્રહ” અને “વસુદેવ-હિંડી” વચ્ચેના સંખ્યાબંધ તફાવતને કારણે એ બન્ને ગ્રન્થો વચ્ચેના પારસ્પરિક આધારની દલીલ પ્રારંભથી જ ટકી શકે એમ નથી. પણ ગણનાપાત્ર અંશેમાં “બૃહત્કથાશ્લેકસંગ્રહ” અને “વસુદેવ-હિંડી ” વચ્ચે નાનામાં નાની વિગતોની બાબતમાં અને રજુઆતની સમગ્ર કલામાં એટલું પ્રતીતિજનક સામ્ય છે કે બંનેના કર્તાઓની સન્મુખ ઓછામાં ઓછા અંતરે કવિ ગુણાઢ્ય ઊભેલે હતા એમાં શંકાને કોઈ સ્થાન રહેતું નથી. નિદાન, તેના અમુક કથા ભાગોમાં તે “વસુદેવ-હિંડી ” એ પ્રાચીન “બહકથા અને વિશિષ્ટપણે રસપ્રદ અને લાક્ષણિક નમૂને છે અને સર્વ અંશમાં અવલોકન કરવામાં આવતાં મૂળ “ બહત્કથા ની લાક્ષણિકતા અને ગુણાત્યની કાવ્યશક્તિનું વધારે ચોક્કસ અને જીવંત-અને તે કારણે વધારે નક્કર અને પ્રતીતિજનક ચિત્ર તે રજૂ કરે છે. “બહકથાલેકસંગ્રહ” ઉપર વિન્ટરનિસે જે ભારભાર પ્રશંસા વેરી છે તેને ભાગ હવે ગુણયને ફાળે જઈ શકે.” વસુદેવ-હિંડી' : મધ્યમ ખંડ “ વરૂદેવ-હિંડી' ગ્રન્થ બે ખંડોમાં વહેંચાયેલું છે. પ્રથમ ખંડની રચના સંદદાસગણિ વાચકે કરેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy