SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १४ છે, જ્યારે અદ્યાપિ અપ્રકાશિત એવા સત્તર હજાર લેકપ્રમાણ બીજા ગ્રન્થની રચના આચાય ધ સેનગણિ મહત્તરે કરેલી છે. એ બીજા ખંડને સામાન્ય રીતે મધ્યમ ખંડ કહેવામાં આવે છે, કારણ કે તેને આરંભ પ્રથમ ખંડના છેલ્લા લભકના અનુસધાનમાં નહીં, પણ ૧૮મા પ્રિયંગુસુન્દરી લભકના અનુસધાનમાં થાય છે. કથાના સન્દર્ભ આ રીતે કર્તાએ પ્રથમ ખંડના અંતભાગ સાથે નહીં, પણ મધ્ય ભાગ સાથે જોડ્યો હાવાથી તે મધ્યમ ખંડ તરીકે ઓળખાય છે. એમાં કર્તાએ ૭૧ લંભક આપ્યા છે, અને પ્રથમ ખંડના ૨૯ લભકની ( પત્નીઓની પ્રાપ્તિની ) સંખ્યામાં તે ઉમેરીને કુલ ૧૦૦ લભકની સંખ્યા કરી આપી છે. વસુદેવે સે। વર્ષ પરિભ્રમણુ કરીને સા પત્નીએ મેળવી હતી એમ તેમાં કહ્યું છે. વસુદેવ સે। વર્ષ સુધી કર્યા હતા, એમ તે પ્રથમ ખંડમાં પણ કહ્યું છે ( પૃ. ૧૩૯ ); પણ તેમને સે। પત્નીએ હતી એમ ઉપલબ્ધ ગ્રન્થભાગમાં ક્યાંય કહ્યું નથી. વળી સધદાસગણુ વાચકના ઉદ્દેશ સે। લભક લખવાના હતા એવું સૂચન પણ તેમાં ક્યાંય મળતુ નથી—બલ્કે ગ્રન્થને અ ંતે આવનાર ઉપસંહારને નિર્દેશ કર્યાં હોવાથી ૨૯ લભકના સ્વયંસંપૂર્ણ ગ્રન્થ તેમણે રચ્યો હાવાનુ અનુમાન થાય છે. પ્રથમ ખંડને અ ંતે ઉપસ ંહાર આવેલા હાઇ તેમાં કાઇ લભક ઉમેરવાનું ધર્મસેનગણ માટે શક્ય નહતું, આથી ૧૮માં લંભકના સન્દર્ભ સાથે તેમણે મધ્યમ ખંડના કથાસબંધ જોડ્યો હાય એવું અનુમાન થાય છે. ८ सुव्बाइ य किर वसुदेवेणं वाससतं परिभमंतेणं इमम्मि भरहे विज्ज हरिंदणरवतिवाणरकुलवंससंभवाणं कण्णाणं सतं परिणीतं, तत्थ य सामा- विययमादियाणं रोहिणीपजवसाणाणं एगुणतीस लंभता संघदासवायपणं उवणिबद्धा । एगसत्तरिं च वित्थारभीरुणा कहामज्झे छड़िता । ततो भो लोइयसिंगार कहा पसंसणं असह्माणो आयरियसया से अवधारेऊणं पवयणाणुरागेणं आयरितनिओएण य तेसिं मझिललंभाणं गंथणत्थे अब्भुज्जओ हं । तं सुणह इतो पुव्वकहाणुसारेणं चेव । અહીં એક વસ્તુનુ સ્પષ્ટીકરણ જરૂરી છે. પ્રથમ ખંડમાં ૨૮ લભકા અર્થાત્ કથાપરિચ્છેદો છે, પણ તેમાં ‘ લ`ભક ' શબ્દના વ્યુત્પત્તિ-અર્થમાં વસુદેવને પ્રાપ્ત થયેલી પત્નીઓની સંખ્યા ૨૯ હુંાવી જોઇએ. એમ હુંય તે જ · વસુદેવે સે। કન્યાઓ સાથે લગ્ન કર્યું હતું. તેમાંથી રત્ની પ્રાપ્તિ સંધદાસગણિએ વર્ણવેલી છે, બાકીની ૭૧ કન્યાઓની પ્રાપ્તિનું વર્ણન વિસ્તારભયથી તેમણે કર્યું' નથી, તે હું કરું છું' એ આશયના ધર્મસેનગણિ મહત્તરના કથનની સંગતિ સમજી શકાય. પ્રથમ ખંડમાં કુલ ૨૮ લંભક ખરા, પણ અનુપલબ્ધ બે લંભક ખાદ કરતાં અત્યારે ઉપલબ્ધ થતા ગ્રન્થમાં થાપરિચ્છેદ તરીકે ૨૬ લભક વિદ્યમાન છે; ૧૩મા અને ૧૫મે એ એ લભક વસુ દેવની એક જ પત્ની વેગવતી સંબંધમાં છે, અને ૧લા, ૬ઠ્ઠા અને ૨૩મા લાકમાં પ્રત્યેકમાં વસુદેવને બે પત્નીઓની પ્રાપ્તિ થાય છે, એ રીતે ગણતરી કરતાં ઉપલબ્ધ ગ્રન્થભાગમાં વસુદેવને ‘ લભક’ શબ્દના વ્યુત્પત્તિ-અર્થમાં કુલ ૨૮ પત્નીએ પ્રાપ્ત થાય છે. નષ્ટ થયેલા લલકા પૈકી એક લલકનું નામ પ્રિયદર્શીનાલ ભક’હાવુ જોઈએ એ આપણે અગાઉ જોઇ ગયા છીએ. એમાં વસુદેવને પ્રિયદર્શીના નામે પત્નીની પ્રાપ્તિ થતી હોવી જોઇએ. હવે, ૧૩-૧૫ એ એ લલક જેમ એક જ પત્ની-વેગવતી સબધમાં છે, તેમ નષ્ટ થયેલ એ લભકા પૈકી બાકીના એક લલકમાં વસુદેવને કાઈ નવીન પત્નીની પ્રાપ્તિ નહીં થતાં પૂર્વપરિણીત પત્નીએ પૈકી કાઇનું પુનર્મિલન થતુ હશે એમ માનવુ સયુક્તિક છે. એમ ગણતાં પ્રાપ્ત લલકામાં વર્ણવાયેલી વસુદેવની ૨૮ પત્ની, અને ૨૯મી પ્રિયદર્શનાએ રીતે ધ સેનગણિમહત્તરે સૂચવેલ પ્રથમ ખડમાંની ર૯ની સંખ્યા મેળવી શકાય. ખાકીના લલક મધ્યમ ખંડમાં વર્ણવી પેાતાના ગ્રન્થ-પ્રસ્તાવમાં જેને નિર્દેશ કર્યા છે તે ૧૦૦ લભક ( પત્નીપ્રાપ્તિ )ની સંખ્યા તેમણે પૂરી કરી આપી છે. અલબત, ‘ દેવકીલ'ભક ને ઉપસ'હારના ન ભાગ ગણતાં સ્વતંત્ર લંભક ગણીએ તે જ ઉપર પ્રમાણે નિય થાય; નહીંતર અનુપલબ્ધ લ ́લકા પૈકી · પ્રિયદર્શીના લભક ' ઉપરાંત ખીન્ન લ લકમાં પણ વસુદેવને નવીન પત્ની જ પ્રાપ્ત થતી હશે એમ માનવુ જોઇએ. ધર્મસેનગણિએ રોહિણીને વસુદેવની ર૯મી પત્ની કહી છે તેથી આટલા વિકલ્પ વિચારવા જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy