SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ १५ ་ આચાય હેમચન્દ્રે ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્ર ’માં, દિગ ંબર કવિ પુષ્પદંતે અપભ્રંશ ‘ મહાપુરાણુ ’માં, જિનસેને હરિવ’શપુરાણ 'માં, ગુણભદ્રે ‘ ઉત્તરપુરાણુ 'માં, અને કવિ હકલશે સ. ૧૫૫૭ માં જૂની ગૂજરાતીમાં રચેલી ‘ વસુદેવચરિત ચાપાઇ ’માં, ક્યાંય વસુદેવનો સા પત્નીએના નિર્દેશ કર્યા નથી, એટલું જ નહીં પણુ એ સમાં પત્નીઓની સ ંખ્યા તેમજ તેમનાં નામ પણ ભિન્નભિન્ન છે. ધ સેનણુએ ‘ વસુદેવ– હિંડી'ના પ્રથમ ખંડની પૂર્તિ કરવા માટે ૭૧ લભકતા મધ્યમ ખંડ લખ્યા છે, એટલે વસુદેવે ૧૦૦ વર્ષી પરિભ્રમણ કર્યું" હતુ માટે તેમની પત્નીઓ પણ સા હોવા વિષેની કાઇ પરંપરા હોવી જોઇએ—સિવાય કે આપણે એમ માનીએ કે સેાની સંખ્યાની પૂર્તિ કરવાના ઇરાદાથી લેકપ્રચલિત શૃંગારકથાઓને આશ્રય લઇને ધર્માંસેનણુિએ એ ૭૧ લભક લખ્યા હોય. C ધ સેનગંણુ મહત્તરના સમય નિર્ણીત કરવાનું ક્રાઇ ઐતિહાસિક પ્રમાણે તે સધદાસણ વાચકની પછી થયા છે એ જેમ નિશ્ચિત છે તેમ અનેક આ મધ્યમ ખંડની ભાષા જોતાં તેએ સાતમા–આઠમા સૈકાથી અર્વાચીન હોય એ મધ્યમ ખંડ હજી અપ્રકાશિત છે, એટલે તેના વિષય તેમજ ભાષા આદિનુ વિગતથી અવલાકન કરવાનું શક્ય નથી તેમજ એ માટેનુ આ સ્થાન પણ નથી. આપણી પાસે નથી. લક્ષણે વ્યક્ત કરતી અસંભવિત જણાય છે. ‘ વસુદૈવ-હિંડી ’ની ભાષા : માત્ર પ્રથમ ખંડની જ વાત કરીએ તે પણુ, કેવળ ભાષાની દૃષ્ટિએ જોતાં ‘- વસુદેવ-હિંડી ’ એ જૈન સાહિત્યને એક વિરલ ગ્રન્થ છે. આટલા પ્રાચીન કાળમાં લખાયેલે લગભગ સાડાદસ હજાર શ્લેાકપ્રમાણને સળંગ કથાત્મક પ્રાકૃત ગદ્યગ્રન્થ સમસ્ત ભારતીય સાહિત્યમાં ખીને કાઇ શધ્યા જડે તેમ નથી. ગદ્યમાં રચાયેલ હોવાને કારણે તેા ભાષાવિષયક અન્વેષણની દૃષ્ટિએ તેનુ સવિશેષ મહત્ત્વ છે. વિક્રમની આઠમી શતાબ્દીના અરસામાં રચાયેલી સૂત્રપ્રન્થા ઉપરની ચૂર્ણિમાં આપણને ગદ્યાત્મક પ્રાકૃત કથા મળે છે ખરી, પરન્તુ તેમાં અને વસુદેવ–હિંડી ની કથાઓમાં એક ધ્યાન ખેંચનારા તફાવત છે. ચૂર્ણિમાંની કથાએ, થેડાણા અપવાદોને બાદ કરતાં, સાહિત્યિક ગુણુવત્તા અથવા નિરૂપણસૌન્દર્યની દૃષ્ટિએ લખાયેલી નથી; એમાંની કેટલીકમાં તે। કથાભાગથી સામાન્યપણે પરિચિત હાય એવા વાચકજ સમજી શકે એવી તદ્દન મિતાક્ષરી શૈલી પ્રયેાજેલી હાય છે. આથી ઉલટું જ, કથાવણૅનની દૃષ્ટિએ ‘ વસુદેવ-હિંડી ’ને વિસ્તાર અને યાજનાએવાં તે વિપુલ છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં એને જોઢે જડે તેમ નથી. લેખનશૈલી સંક્ષિપ્ત કે શુષ્ક નથી; જીવતી ભાષાનું લાક્ષણિક ચેતનવંતું અને અત્યંત રસપ્રદ એવું ચિત્ર તે ખડું કરે છે. સામાન્ય રીતે · વસુદેવ-હિંડી ’ની ભાષા સરલ રૂઢ અને ઘરગયુ છે; પ્રાકૃત જ્યારે જનસમાજમાં ખેલાતી ભાષા હશે ત્યારે એ લખાયેલ હોવાથી કેવળ સાહિત્યિક ધારણે પ્રાકૃતમાં રચાયેલા પછીના કાળના ગ્રન્થાની તુલનાએ ‘વસુદેવ-હિંડી ’માં ભાષાનો સ્વભાવસિદ્ધ નૈસગિકતા માલૂમ પડે છે, અને સવાદો તે ઘણીવાર કઇ પ્રકારના એપ વગર ખરેખરી વાતચીતની ભાષામાં જ લખાયેલા જણાય છે. આમ છતાં પ્રસંગોપાત્ત અલંકારમય અને સમાસપ્રચુર વનાની ફૂલગૂથણી પણ ગ્રન્થકર્તાએ કરી છે. : Jain Education International ‘ વસુદેવ-હિંડી ’ એ પ્રધાનપણે ગદ્યગ્રન્થ છે, પણ તેમાં વચ્ચે વચ્ચે ઘણીવાર પદ્યો પણ આવે છે. તેમાં યે પ્રિયંગુસુન્દરી લભક અને કેતુમતી લભકમાં આવાં પદ્યો એકી સાથે સંખ્યાબંધ નજરે પડે છે. આ પદ્યો પ્રાસંગિક સુભાષિતા નથી, પણ કથાનુ પોતાનું જ અવિનાભાવી અંગ છે. વળી ઉપયુ ક્ત એ લભકામાં તેમજ અન્યત્ર પણ અનેક સ્થળે ગદ્યભાગમાં યે કેટલાંક પદ્યગધી વાયેા જોવામાં આવે છે. ΟΥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy