SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : નામે ચેરસેનાપતિ સાર્થોને લૂંટી લે છે; માટે શી રીતે જવું?” કહ્યું, “હું કહું તેમ ચાલે; મને કઈ જાતનો ભય નથી.” મેં આમ જવાબ આપતાં “આપની આજ્ઞા યોગ્ય છે” એમ કહીને તેઓ ગયા. તેમણે પેલા સાર્થના માણસોને બધું કહ્યું. “બરાબર છે” એમ કહીને તેઓ બધા જવાને માટે તૈયાર થયા. એવામાં હાથમાં ત્રિદંડ અને કમંડળ લઈને એક પરિવ્રાજક એ પુરુષ પાસે આવીને કહેવા લાગ્યો, “પુત્ર ! તમારે ક્યાં જવું છે?” તેઓએ જવાબ આપે, ઉજજયિની.” એટલે પરિવ્રાજકે કહ્યું, “હું પણ તમારી સાથે ઉજાજયિની આવીશ.” તેઓએ કહ્યું, “ભલે, તમારી કૃપા થઈ, ચાલો.” પછી સાર્થના એક આગેવાન પુરુષને બાજુએ લઈ જઈને તે કહેવા લાગ્યો, “પુત્ર ! મને એક સાધુએ દેવના ધૂપ માટે પચીસ દીનાર આપ્યા છે,” એમ કહીને ધૂર્તતાપૂર્વક બેટા દીનાર તેને બતાવ્યા. એટલે તે સાર્થને આગેવાન બોલ્યો, “ભગવન્! બહીશે નહીં. અમારી પાસે ઘણા દીનાર છે. જે અમારું થશે તે તમારું થશે.” પછી સંતોષ પામેલો તે પરિવ્રાજક તેને આશીષ આપીને મારી પાસે આવ્યા, અને મને બધું કહ્યું. એટલે મેં વિચાર કર્યો કે, “આની સાથે જવું ઠીક નથી. નક્કી આ પરિવ્રાજક ચોર છે, માટે યત્નપૂર્વક અને પ્રમાદ કર્યો સિવાય રહેવું જોઈએ.” આમ વિચાર કરતાં બાકીનો દિવસ મેં ગાજે. અગડદત્તને અટવીમાં પ્રવેશ પછી સૂર્ય અસ્ત પામવાના સમયે ઘોડાઓને પાણી પાઈને મેં રથ જોડ્યો. શ્યામદત્તા પણ શરીરશૌચ આદિ કૃત્ય કરીને રથમાં બેઠી. મેં વેગથી ઘેડા પ્રેર્યા. એ સમયે મેં પણ વનદેવતાને પ્રણામ કર્યા, રથ ઉપર બેઠે, લગામ પકડી, ઘોડાઓ હાંકયા અને રથ ચાલ્યો. સાર્થના માણસો પણ ઘણું ભાથું લઈને પેલા પરિવ્રાજકની સાથે મારા રથની સાથોસાથ ચાલવા લાગ્યા. એમ કરતાં એ જનપદ વટાવીને અમે અટવીમાં પ્રવેશ્યા અને અ૫ સુખવાળા પડાવોમાં વસતા આગળ ચાલવા લાગ્યા. અનેક પ્રકારનાં વૃક્ષ અને લતાઓથી જેના કિનારાની વનરાજિ ઢંકાયેલી છે એવી એક પહાડી નદી પાસે અમે પહોંચ્યા. રથ સારી રીતે ચાલી શકે એવી ભૂમિ ઉપર મેં રથ છોડ્યો. પેલા સાર્થના માણસોએ પણ પિતાપિતાની ઈચ્છાનુસાર વૃક્ષની છાયામાં પડાવ નાખે. પછી પેલે પરિવ્રાજક તેમને કહેવા લાગ્યો, “પુત્ર ! આજ હું તમારા બધાની પરોણાગત કરું. આ અટવીમાં એક ગોકુલ છે. ત્યાં મેં ઉજજયિની આવતાં અને પ્રયાગ જતાં ચાતુર્માસ કર્યો હતો. ત્યાંના ગોવાળિયાઓ મારા પરિચિત છે. ત્યાં હું જાઉં છું, માટે આજે તમારે કેઈએ રસોઈ કરવાની નથી.” આમ કહીને તે ગયો. પછી મધ્યાહકાળે વિષમિશ્રિત ખીર, દહી અને દૂધનાં માટલાં ભરીને તે આવ્યા અને સાર્થના માણસને કહ્યું, “પુત્ર ! આવ, દેવના પ્રસાદરૂપ આહારપાણી વાપરે.” પછી તે લોકેએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy