SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૯૫ ] નામે પુત્ર યુવરાજ હતો. એ નમુચિની સુસીમાં નામે બહેન સુન્દર સીમાવાળી પૃથ્વીની જેમ મનહર શરીરવાળી હતી. તે એક વાર સુરાષ્ટ્ર દેશમાં પ્રભાસ તીર્થમાં સ્નાન કરવા માટે નમુચિ સહિત ગઈ હતી. ગુપ્તચરોએ આ સમાચાર કૃષ્ણને આપ્યા. રામ સહિત કૃષ્ણ ત્યાં ગયા. નમુચિને મારીને જાણે કે બીજી લક્ષ્મી હોય તેવી સુસીમાને પરિવાર સહિત લઈને યાદવપુરીમાં આવ્યા. કુલવૃદ્ધોએ સુસમાને પણ સત્કાર કર્યો અને તેને પ્રાસાદ આપે. ગગનનંદન નગરમાં જાંબવાન નામે વિદ્યાધર રાજા હતો. તેની પત્ની શ્રીમતી નામે હતી. તેને પુત્ર દુષ્પસહ યુવરાજ હતો. જાંબવાનની પુત્રી જાંબવતી હતી. તે કન્યા પિતાના મુખની શોભાથી ચંદ્ર અને કમળની સુન્દરતાને, પોતાનાં નયને વડે ભ્રમર સહિત કમળો, પુષ્ટ, ઉન્નત અને નિરંતર સ્તનયુગલવડે નાનાં તાલ–ફળની શેભાન, બાવડે પલ્લવયુક્ત લતાઓને, ત્રિલિથી મનહર મધ્યભાગવડે વાના મધ્યભાગને, જઘનના વિસ્તારવડે ભાગીરથી ગંગાના તટપ્રદેશને, ઉડે હાથીના બચ્ચાની સૂંઢને, જંઘાવડે કુરુવિંદ આવર્તની આકૃતિને, બે પગ વડે કાચબાના દેહના આકારને, સુકુમારતાવડે શિરીષપુષ્પના સમૂહને તથા વચનોની મધુરતાવડે વસંત સમયની કોયલની વાણુને પણ પરાજય કરતી હતી. “આ કન્યા અર્ધ-ભરતાધિપતિની માર્યો થશે” એવું ભવિષ્ય તેને માટે એક ચારણશ્રમણે ભાખ્યું હતું. એટલે વિદ્યાધરરાજા જાંબવાન “તેના પતિની શોધ કરું” એમ વિચાર કરીને ગંગા કિનારે પડાવ નાખીને રહ્યો. કુમારી પણ વારંવાર ગંગામાં સ્નાન કરવા આવતી હતી. એક વિદ્યારે આ વાતની ખબર સેવા નિમિત્તે કૃષ્ણને આપી. પિતાના બંધુ અનાવૃષ્ટિની સાથે કૃષ્ણ તે પ્રદેશમાં ગયા, અને રૂપથી મોહિત થયેલા હદયવાળા તેમણે ગંગામાં કીડા કરતી તે કન્યાનું હરણ કર્યું. આ વાતની ખબર રાજાને મળતાં રોષ કરીને તે પોતે ત્યાં આવ્યું અને અનાવૃષ્ટિની સાથે યુદ્ધ કરવા લાગ્યો. એટલે અનાધૃષ્ટિએ રાજાને કહ્યું, “ખરેખર તું અજ્ઞાન છે. કૃષ્ણ વાસુદેવને તે સામે જઈને કન્યા આપવી જોઈએ, તો તેણે પોતે જે કન્યાનું હરણ કર્યું છે તો તે ઉત્તમ જ ગણાય. શું તેને પ્રભાવ અને દેવતાની તેના ઉપરની કૃપા તું જાણતો નથી? આ સાંભળીને જાંબવાન શાન થયું અને બોલ્યા, “કુમાર ! તું બરાબર કહે છે. ચારણશ્રમણના આદેશને પ્રમાણભૂત માનતે એવો હું પણ આ જ ઈચ્છા કરતા હતા, માટે હવે હું તપવનમાં જઇશ. દુપ્રસવનું તમે રક્ષણ કરજે. અજ્ઞાનથી મેં કરેલા અવિનયની ક્ષમા કરજો.” પછી જાણે ધૃતિ નામની બીજી દેવકન્યા હોય તેવી જાંબવતીને લઈને તેઓ દ્વારવતીમાં આવ્યા. પત્ની સહિત કૃષ્ણનો યાદવોએ સત્કાર કર્યો. દુપ્રસવકુમાર વિપુલ ધન અને જાંબવતીની દાસીઓને લઈને આવ્યા અને રામ તથા કૃષ્ણને તેણે પ્રણામ કર્યા. તેઓએ પણ સગાંને છાજે એવી રીતે દુષ્પસહન સત્કાર કર્યા પછી દુuસહ પિતાના નગરમાં પાછા ગયે. જાંબવતીને કૃષ્ણ પ્રાસાદ આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy