SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૬ ] વસુદેવ—હિ’ડી : : પ્રથમ ખંડ : વિદર્ભ જનપદમાં કુંડિનપુર નગર છે. ત્યાં ભેષક રાજા હતા, તેની વિદ્યન્મતી દેવી હતી. તેમના રુકમી નામે પુત્ર અને રુકિમણી પુત્રી હતી. આ રુકિમણીના સમાચાર નારદે કૃષ્ણને આપ્યા. નારદે કહ્યું, “ હે કૃષ્ણ ! સાંભળો. મે' ઘણા રાજાએનાં અંત:પુરા જોયાં છે; પણ કુડિનપુરમાં જેવી રુકિમણી નામે કન્યા છે તેવી બીજી કાઈ નહીં હોય એમ હું માનુ છું. એ રુકિમણી સહસ્રરશ્મી સૂર્ય વડે વિકાસ પામેલ સે। પાંખડીના કમળ જેવા સુન્દર વદનવાળી, વદનકમળની નાળ સમાન ચાર આંગળ પ્રમાણુ ડાકવાળી, મૃદુ, ગાળ, સારી રીતે બ ંધાયેલી, સુન્દર આકારયુક્ત, કામળ, સુકુમાર અને શુભ લક્ષણયુક્ત ખાહુલતાવાળી, હાથમાં સમાય તેવા, ગાળ, હારની કાન્તિવડે શેાભાયમાન અને પુષ્ટ એવાં સ્તનયુગલના ભારવડે કષ્ટ પામતા અને ત્રિવલિથી યુક્ત એવા મધ્ય ભાગવાળી, સહજ ખિલેલા સુન્દર કમળ જેવી વિકટ નાભિવાળી, કન્યાલક્ષણના વિશારદોએ જેની પ્રશંસા કરી છે એવા અને કામદેવનાં બાણુનું વારણુ કરનાર મનેાહર નિત ંબવાળી, સ્ત ંભ સમાન, અત્યંત સુકુમાર, સ્થિર અને ઉત્તમ ઉરુવાળી, જેનાં હાડકાં બહાર દેખાતાં નથી એવા ઢીંચણવાળી, જેની નસા અને વાટાં દેખાતાં નથી એવી અને ગાયના પૂછડાંની જેમ અનુક્રમે પાતળી થતી જ ઘાવાળી, તાજાં લાલ કમળ સમાન કામળ તળિયાં અને કમળના રંગ સમાન નખરૂપી મણિવડે પ્રકાશમાન ઉત્તમ ચરણવાળી અને કાન તથા મનને સુન્દર લાગે તેવાં સુન્દર વચન ખાલવામાં ચતુર છે તેમજ સર્વ શુષ્ણેાનુ નિવાસસ્થાન છે. આ પ્રમાણે રુકિમણીને કૃષ્ણની હૃદયવાસી ખનાવીને નારદ ત્યાંથી ઊડ્યા. તેણે રુકિમણીને વાસુદેવ કૃષ્ણના ગુણા કહ્યા. ,, 66 એ સમયે રુકિમણીના વિવાહ દમઘાષના પુત્ર શિશુપાલ સાથે કરવામાં આવ્યે. આ સમાચાર સાંભળીને તેની ફાઇએ રુકિમણીને કહ્યું, પુત્રિ રુકિમણિ ! તું નાની હતી ત્યારે આપણને બન્નેને આકાશગામી કુમારશ્રમણ અતિમુક્તકે કહ્યું હતું કે— આ વાસુદેવની પટ્ટરાણી થશે. ' એ તને સાંભરે છે ? ” રુકિમણીએ કહ્યું, “હ્વા, સાંભરે છે. ” ફ઼ાઇ મેલી, “પુત્રિ ! એ મુનિએ જેમ કહ્યું હતુ તેમજ થશે, એમાં સંશય નથી. અપરાન્ત પ્રદેશમાં બલદેવ અને વાસુદેવ છે એમ સાંભળવામાં આવે છે. સમુદ્રે તેમને માર્ગ આપ્યા હતા, ત્યાં કુબેરે દ્વારવતી નગરી બનાવી હતી. ત્યાં રત્નની વૃષ્ટિ થઈ હતી. ‘ શિશુપાલ અને જરાસંધને વાસુદેવ મારશે ’ એવી પણ ઉક્તિ ચાલે છે. રુકમીએ તને ચેદીપતિ શિશુપાલને આપી છે. શિશુપાલને મારીને કૃષ્ણ તને મેળવશે, એટલે તારું કંઇ પણ અનિષ્ટ નહીં થાય. જો તને માન્ય હાય તેા હું દામેાદરને તેડાવવા માટે ફૂત મેાકવું. ” રુકિમણીએ કહ્યું, “ ફાઇ ! પિતાની પછી તમે સર્વ રીતે મારા ઉપર અધિકાર ધરાવા છે. મારા હિતની ખામતમાં હું તમને પ્રમાણભૂત ગણું છું. ” * પછી રુકિમણીની ફાઇએ પત્ર આપીને છાની રીતે તેને દ્વારવતી માકળ્યા. જેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy