SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૮૭ ] વિવાહને દિવસ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે તથા કુમારી રુકિમણીનું સફળ રીતે દાન કરવાની જેમાં ઈચ્છા દર્શાવવામાં આવી છે એવા અને શિશુપાલની વંચના કરવાને માટે ગુઢ વચને જેમાં લખવામાં આવ્યાં છે એવા પત્રો કૃષ્ણને પાઠવવામાં આવ્યા. વરદા નદીના કિનારે નાગગૃહમાં પૂજા કરવાના નિમિત્તે કુમારી આવશે, ત્યાં તમારે મળવું,” એમ પેલા દૂતોએ કૃષ્ણને કહ્યું. પછી તે પુરુષો કુંડિનપુર પાછા આવ્યા. વર્ણ અને ચિઠ્ઠનના પ્રભાવ સહિત બધું તેમણે ફેઈ સહિત કુમારી રુકિમણીને કહ્યું, તથા કૃષ્ણ નિશ્ચિતપણે આવશે એમ જણાવ્યું. પછી કેટલાક સમયે શિશુપાલ બહુમાનપૂર્વક આવ્યા અને વરદા નદીના પૂર્વ કિનારે તેણે પડાવ નાખ્યો. રુકિમણીને સ્નાન કરાવવામાં આવ્યું, અને સર્વ અલંકારોથી વિભૂષિત થયેલી તથા ભદ્રક નામે કંચુકીવડે રક્ષાયેલી રુકિમણુને નાગગૃહમાં લઈ જવામાં આવી. પૂજાના બહાને તે વારંવાર બહાર નીકળતી હતી. એટલામાં તેણે દૂતોએ કહ્યા મુજબ તાલધ્વજ ( બલદેવ) અને ગરુડધ્વજ(કૃષ્ણ)ને જોયા. સન્તુષ્ટ થયેલી ફેઈએ રુકિમણીને કહ્યું, “આવ, પુત્રિ ! તારા ઉપર દેવતાઓ પ્રસન્ન થયા છે. આવ, દેવકુલની ધીરે ધીરે પ્રદક્ષિણા કર.” વાસુદેવે પણ કુમારીને જોઈને દારુકને કહ્યું, “ઘડાઓ દોડાવ.” એટલે તેણે પણ ઘેડાઓને નાગગૃહ તરફ દેડાવ્યા. રુકિમણને, તેની સંમતિપૂર્વક, કૃષ્ણ રથમાં બેસાડી. નવા મેઘને આલિંગન કરતી જાણે કે વિદ્વતા હોય એવી રુકિમણીને ભદ્રને જોઈ. તેણે ધનુષ્યને ટંકાર કર્યો અને તે બે, “અરે, શૂર! કુમારીને લઈને કયાં જાય છે?” તે આમ બોલતો હતો ત્યાં કૃષ્ણ તેને કહ્યું, “તું મર નહીં, જા, રુકમીને સમાચાર આપ. તું શા માટે મહેનત કરે છે? “રામ અને કૃષ્ણ રુકિમણી કુમારીને હરી જાય છે” એમ ત્યાં જઈને કહે.” એટલે ભય પામેલ ભદ્રક બૂમ પાડતે રુકમી પાસે ગયો. પછી બન્ને જણ પરિજન સહિત નીકળ્યા. રુકમી રાજાએ પ્રતિજ્ઞા કરી કે, “બહેનને નહીં છોડાવું ત્યાં સુધી નગરમાં નહીં પ્રવેશું.” મોટા સૈન્ય સાથે રથના માર્ગે તે નીકળ્યો. આ બાજુ રુકિમણીને ઉદાસ જોઈને કૃષ્ણ પૂછયું, “દેવિ ! શું તને મારી સાથે આવવાનું રુચ્યું નથી?રુકિમણુએ ઉત્તર આપે, “દેવ ! સાંભળે; મારો ભાઈ ધનુર્વેદના નિધિ સમાન છે, અને તે સૈન્ય સહિત અહીં આવ્યો છે. તમે માત્ર બે જ જણે છે, આથી તમને કદાચ પીડા થાય એવી આશંકા મને થાય છે. કૃણે કહ્યું, “દેવિ ! સ્ત્રીની સમક્ષ પોતાની જાતની બડાઈ હાંકવી એ યોગ્ય નથી, છતાં પણ તેને ધીરજ આપવા માટે કહું છું કે-મારું બળ જે.” પછી ત્યાંથી થોડે દૂર મોટા ઘેરાવાવાળાં વૃક્ષો એક પંક્તિમાં ઊભેલાં હતાં તે બધાં કૃષ્ણ એક જ બાણથી વીંધી નાખ્યાં. પાસેનાં પણ ૧. અર્થાત કૃષ્ણને વર્ણ યામ અને બલદેવને ગૌર છે, બલદેવ તાલધ્વજ છે અને કૃષ્ણ ગરુડધ્વજ છે, એવી ખબર દૂએ આપી. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy